SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૨-૨૫૩ દોષોનું વર્ણન છે, એ પ્રત્યુપેક્ષણામાં ‘' ઇત્યાદિ દ્વારા જે કહેવાયું છે, પરિશુદ્ધ-નિરતિચાવ અનુષ્કાને પત્ર રૂતિ નિર્શનપાં, પરિશુદ્ધ=નિરતિચાર જ, અનુષ્ઠાન ફળને દેનારું છે, એ પ્રકારે નિદર્શનમાં પર છે દેખાડવામાં તત્પર છે. અન્યથા પ્રાન્તનામાવાન્ કેમ કે અન્યથા પ્રકાંત ફળનો અભાવ છે, અર્થાત્ પરિશુદ્ધ અનુષ્ઠાન કરવામાં ન આવે તો પડિલેહણની ક્રિયા દ્વારા પ્રક્રાંત એવું નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થતું નથી. રૂતિ થાર્થ આ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૨૩૩માં ઊર્ધ્વ - સ્થિર ઇત્યાદિ દ્વારા બતાવવા દ્વારા પ્રત્યુપેક્ષણાનું વિધાન કર્યું, તેથી કોઈને થાય કે વિધિ બતાવ્યા પછી અનતિતાદિ દ્વારોથી પ્રત્યુપેક્ષણાના દોષો બતાડવાની જરૂર રહેતી નથી; કેમ કે પૂર્વના કથનથી જ પ્રાપ્ત થાય છે કે પડિલેહણ ઊર્ધ્વ-સ્થિરાદિ ભાવોથી જ કરવાનું છે, અન્ય રીતે નહીં. તેને ગ્રંથકાર કહે છે કે વિધિ બતાવ્યા પછી પણ દોષોનું વર્ણન કરવાથી એ તાત્પર્ય પ્રાપ્ત થાય છે કે વિધિપૂર્વક અને કોઈ પણ જાતના દોષોથી રહિત કરાયેલું પડિલેહણરૂપ પરિશુદ્ધ જ અનુષ્ઠાન નિર્જરારૂપ ફળને આપનારું છે, એ બતાડવા માટે જ ઊધ્વદિ વિધાન કરાયેલ હોવા છતાં પણ દોષોનું વર્ણન કરેલ છે. અહીં વિશેષ એ છે કે અતિ પ્રાજ્ઞ પુરુષ વિધિવાક્યથી જ નિષેધવાક્યને જાણી શકે છે, પરંતુ કલ્યાણના અર્થી પણ મધ્યમ બુદ્ધિવાળા પુરુષને, વિધિનું જ્ઞાન કરાવ્યા પછી પણ, “આ રીતે ન કરાય' એમ નિષિદ્ધનું જ્ઞાન કરાવવામાં આવે તો વિધિ અને નિષેધ દ્વારા તેને પરિપૂર્ણ વિધિનો બોધ થઈ શકે છે. અને પરિપૂર્ણ બોધ કરાવવા પાછળનો ગ્રંથકારનો આશય એ છે કે જો શ્રોતા પરિશુદ્ધ અનુષ્ઠાન કરી ન શકે તો ફળનો અર્થી હોવા છતાં પણ સમ્યગૂ ફળને પામી શકે નહિ, જે ઉચિત નથી. તેથી આ રીતે વિધિ અને નિષેધ બતાવવાથી શ્રોતાને પણ બોધ થાય કે શાસ્ત્રમાં જે રીતે કરવાનું કહ્યું છે તે રીતે જ મારે કરવું જોઈએ, અને જે રીતે કરવાનો નિષેધ કર્યો છે તે રીતે મારે ન જ કરવું જોઈએ, અને તો જ મને પરિપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તેથી ગ્રંથકારે વિધિ બતાવ્યા પછી નિષેધનું પણ વર્ણન કર્યું છે. ઉપરા અવતરણિકા : तथा चाह नियुक्तिकार: - અવતરણિકાર્ય : અને તે પ્રકારે નિર્યુક્તિકાર કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે પરિશુદ્ધ જ અનુષ્ઠાન ફળને દેનારું છે અને અનુષ્ઠાન પરિશુદ્ધ ન હોય તો અનુષ્ઠાનનું જે પ્રક્રાંત ફળ છે તે થાય નહિ, તે પ્રકારે નિર્યુક્તિકાર કહે છે – ગાથા : अणुणाऽइरित्त पडिलेहा अविवच्चासा अ अट्ठ भंगाओ। पढमं पयं पसत्थं सेसाणि उ अप्पसत्थाणि ॥२५३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy