SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવરનુક/ ‘વિચાર' દ્વાર/ ગાથા ૩૯૩ ૨૧૦ ભાવાર્થ ... રાય, વળી ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જાણવો, અને તે આ છે – સUOT ... માત્રે ય સંજ્ઞા બે પ્રકારની છે ઃ કાલમાં અને અકાલમાં. તથ ... #ા મહાને ત્યાં બે પ્રકારની સંજ્ઞામાં, જે સંજ્ઞા કાલમાં છે તે સૂત્રપોરિસીને અને અર્થપોરિસીને કરીને, કાલનું પ્રતિક્રમણ કરીને થયેલી વેળામાં થાય, તે સંજ્ઞા કાલમાં છે. અથવા જમેલાને ભોજન કરેલા સાધુને, જે થાય તે સંજ્ઞા કાલમાં છે. શેષ=બાકીની વેળામાં થયેલી સંજ્ઞા, અકાલમાં છે. . વિદી ? જો પ્રથમ પોરિસીમાં સંજ્ઞા થાય ત્યાં કઈ વિધિ? તે બતાવે છે – તથ - હિંસિ ત્યાં અવગાહન કરીને=પાત્રાને ઝોળીથી વીંટાળીને, પાનકને ગ્રહણ કરે છે. જો અવગાહન ન કરે તો અસામાચારી છે. લોક જાણે છે - જેવી રીતે આ સાધુ બાહિરપાનકને=મળત્યાગ માટે લઈ જવાના પાનકને, ગ્રહણ કરે છે, ત્યારે ચતુર્થરસિકને છાશની આશને, ન આપે, અને અવગાહિત વડે–પાત્રાને ઝોળીથી ઢાંકવા વડે, અન્ય ગુણ છે=બીજો લાભ છેઃ કોઈ શ્રાદ્ધ જતો હોય, પૂર્ણ શ્રદ્ધા વડે સાધુ જોવાયા, ધ્રુવ ચોક્કસ, લાભ થશે, એ પ્રમાણે પડિલાભે, તે પણ લાભ થાય છે. શંકા પણ થતી નથી. અન્ય લોકો જાણે છે– જેવી રીતે પાનક માટે ફરે છે. સો ... શિvg ત્તિ વળી તે સાધુ, કેવા પ્રકારના પાનકને ગ્રહણ કરે છે? એથી કહે છે – 0 છમ અપાયું ત્તવં સ્વચ્છ, અપુષ્મિત=ગંધરહિત, એવું ચતુર્થરસિક જ્યારે ન હોય=પ્રાપ્ત ન થાય, ત્યારે ત્રિદંડોદકને ત્રણ વાર ઉકાળેલા પાણીને, ગ્રહણ કરે છે. જે દિશામાં સંજ્ઞાભૂમિ હોય=મળત્યાગ માટે જવાની શુદ્ધ ભૂમિ હોય, તે દિશામાં પાનક ગ્રહણ કરવું ન જોઈએ. જો ગ્રહણ કરે તો અસામાચારી થાય, પ્રવચનનો ઉફાહ થાય. તે કારણથી અન્ય દિશામાં પાનક ગ્રહણ કરવું જોઈએ. તે દિ તારે તો તે પણ=પાનક પણ, જો અનાપૃચ્છાથી જાય=અન્ય સાધુઓને પૂછ્યા વિના ગ્રહણ કરવા માટે જાય, તો અસામાચારી થાય. તેથી બીજાને પૂછ્યા વગર જવાથી, તેના વડે=પાનક લેવા જનાર સાધુ વડે, પરિમિત=પ્રમાણસર, પાનક ગ્રહણ કરાયું, ત્યારે અન્ય પણ સાધુ કહે– હું પણ આવું છું. જો એકને પરિમિત એવા પાનકમાં બે સાધુ જાય, તો ઉડ્ડાહ થાય. હવે અન્યને માર્ગણ કરે=બીજું પાનક માંગવા માટે જાય, તો ભાવાસન થાય છે અર્થાતુ મળત્યાગની હાજત તીવ્ર થાય છે, ત્યારે દોષો થાય. ભાવાસનથી થતા દોષોનું વર્ણન ગાથા ૪૨૩માં કરેલ છે. તા ... દિના તે કારણથી પૂછીને અન્ય સાધુઓને પૂછીને, પાનક માટે જવું જોઈએ અને આમંત્રણ કરવું જોઈએ – હે આર્ય! સંજ્ઞાના પાનક વડે કોને કાર્ય છે? ત્યારે જેટલા સાધુઓ કહે છે, તેઓના પરિમાણથી પાનક ગ્રહણ કરે. જો બે જાય બે સાધુ મળત્યાગ માટે આવતાં હોય, તો ત્રણ સાધુઓના પરિમાણથી પાનક ગ્રહણ કરે, અથવા બહુ હોય=ઘણા સાધુઓ આવતા હોય, તો અપરિમિત=ઘણું પાનક, ગ્રહણ કરે. હિનૂUT ... Aનો વિ વવ ગ્રહણ કરીને આવેલા=પાનક ગ્રહણ કરીને આવેલા સાધુ, બહાર હાથ-પગને ને. પ્રમાર્જીને, દંડકને સ્થાપીને, ઇરિયાવહિયાથી પ્રતિક્રમીને, પાનકને આલોવીને, ગુરને દેખાડીને, ફરી પણ પૂછે છે, હું બાહિરને વિષે જાઉં છું. જણાવે અન્ય સાધુઓને પણ પાનક આવી ગયું છે તેમ જણાવે, અને આમંત્રણ આપે. જો કોઈ સાધુ આવે, ત્યારે તેના પ્રમાણવાળું પાનક ગ્રહણ કરે. જ્યારે આત્મા સાથે નથી=કોઈ સાધુ પોતાની સાથે આવતું નથી, ત્યારે એક દ્વિગુણને=બમણા પાનકને, ગ્રહણ કરે છે, ત્યારપછી એકલો પણ જાય છે. .... જિદ્દ અવગાહિત એવા તેને=ઝોળીથી વીંટાળેલ એવા પાત્રકને, અન્ય સાધુના હાથમાં આપીને, દંડકને પ્રમાર્જીને ત્યારે પાત્રક ગ્રહણ કરે છે. નવું... વિહી જો અનાપૃચ્છાથી જાય છે=સંજ્ઞાભૂમિએ જતી વખતે જો અન્ય સાધુઓને પૂછ્યા વિના સાધુ જાય છે, તો અસામાચારી થાય, આવશ્વિકીને કરતા નથી, તો અસામાચારી થાય, આ પ્રમાણે અકાલસંજ્ઞામાં વિધિ કહેવાઈ. ના સા ... પરિસિણ જે તે સંજ્ઞા કાલથી છે, તે સૂત્ર-અર્થોને કરીને તૃતીય પોરિસીમાં થાય છે. ‘ત્તિ' વૃદ્ધ સંપ્રદાયના કથનની સમાપ્તિ અર્થે છે. ત્ન .... યંતરે અન્ય સામાચારીથી સર્યું. li૩૯all Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy