SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘ભોજન’ દ્વાર | ગાથા ૩૪૯-૩૫૦, ૩૫૧ ૧૬૦ : लोगेण .......મેથમેવં ? લોક વડે કહેવાયું ઃ તેના વડે=જીર્ણશ્રેષ્ઠી વડે, ભગવાનને પારણું નથી કરાયું, અને તેના=જીર્ણશ્રેષ્ઠીના, ઘરમાં વસુધારા પડી નથી, તો કેવી રીતે આ આમ છે ?=જીર્ણશ્રેષ્ઠી કેવી રીતે પુણ્યશાળી છે ? भगवया પાવિંતો ભગવાન વડે કહેવાયું ઃ ભાવથી કરાયું જ છે=જીર્ણશ્રેષ્ઠી વડે ભગવાનને ભાવથી પારણું કરાવાયું જ છે. વળી એવા પ્રકારનો તેનો—જીર્ણશ્રેષ્ઠીનો, કુશલ પરિણામ હતો, જે કારણથી જો થોડી વેળા સુધી તીર્થંકરના પારણાનો વૃત્તાંત ન સાંભળ્યો હોત તો આના કારણે—વૃત્તાંત નહીં સાંભળવાને કારણે, વધતા એવા સંવેગપણા વડે સિદ્ધિને સિદ્ધિયોગની ભૂમિકાને, પામીને કેવલજ્ઞાનને પણ પામત. અવિ યુ........... યહ્યો ત્તિ અને વળી,પ્રાપ્ત એવા શ્રદ્ધાના અતિશય વડે નિરુપહત એવા સૌખ્યને પ્રાપ્ત કર્યું છે. જીર્ણશ્રેષ્ઠી મોક્ષ પામવાની તૈયારીમાં છે, તેથી ‘મોક્ષ પામ્યા', એ પ્રકારનો ઔપચારિક પ્રયોગ કરેલ છે; કેમ કે આવી ઉત્તમ શ્રદ્ધાથી નજીકના કાળમાં તેઓ મોક્ષ પામવાના છે, આ જણાવવા માટે‘નિરુવયં સોવવું પાર્થ' મૂકેલ છે, અને મોક્ષનું જ સુખ નિરુપહત છે. આ કારણથી મહાન પુણ્યના સમૂહના અર્જુન વડે તે=જીર્ણશ્રેષ્ઠી, કૃતાર્થ છે. पारण પોયાં વળી પારણકને કરાવનાર અભિનવશ્રેષ્ઠીને તેવા પ્રકારનો પરિણામ ન હતો. આ કારણથી અભિનવશ્રેષ્ઠી તેવા=જેવા જીર્ણશ્રેષ્ઠી કૃતાર્થ છે તેવા, કૃતાર્થ નથી, અને વસુધારાનું પડવું એ એક જન્મ સંબંધી થોડું પ્રયોજન છે–ફળ છે. ત્તિ થાયાર્થ: આ પ્રમાણે બંને ગાથાનો અર્થ છે. II૩૪૯/૩૫૦ના અવતરણિકા : ગાથા ૩૪૩ માં કહેલ કે બે પ્રકારના સાધુઓ હોય છે, માંડલીઉપજીવક અને માંડલીઅનુપજીવક. તેમાં પ્રથમ માંડલીઅનુપજીવક સાધુની ગોચરી વાપરવા બેસતા પૂર્વે કરવાની ઉચિત વિધિ ગાથા ૩૪૪-૩૪૫માં બતાવી. ત્યારબાદ માંડલીઅનુપજીવક સાધુ પ્રાથૂર્ણકાદિ સાધુઓને નિમંત્રણા કરે, તેમાં નિમંત્રણા કરનાર સાધુને ક્યારે નિર્જરા થાય અને કયારે ન થાય? એ વાત ગાથા ૩૪૬-૩૪૭માં પ્રાસંગિક બતાવી, અને તેમાં જીર્ણશ્રેષ્ઠી અને અભિનવશ્રેષ્ઠીનું દૃષ્ટાંત બતાવ્યું. આ રીતે માંડલીઅનુપજીવક સાધુની ભિક્ષા વાપરવાની વિધિ બતાવીને, હવે માંડલીઉપજીવક સાધુઓ ભિક્ષા લાવ્યા પછી શું કરે ? તે બતાવે છે ગાથા: इअरे उ निअट्ठाणे गंतूणं धम्ममंगलाईअं । कति ताव सुत्तं जा अन्ने संणिअट्टंति ॥३५१॥ અન્વયાર્થઃ રૂસરે ૩=વળી ઇતર=માંડલીઉપજીવક સાધુઓ, નિસ્રટ્ઠાળે=નિજસ્થાનમાં=માંડલીમાં ગોચરી વાપરવા બેસવાના સ્થાનમાં, મંતૂળ=જઈને ના અન્ને સંસિકૃતિ=જ્યાં સુધી અન્ય સાધુઓ પાછા ફરે છે, તાવ=ત્યાં સુધી ધમ્મમંનતાર્યાં મુર્ત્ત=ધર્મમંગલાદિ સૂત્રને સ્ક્રૃતિ=બોલે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy