SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આલોચના’ દ્વાર-‘ભોજન’ દ્વાર | ગાથા ૩૪૨-૩૪૩ ભવિષ્યકાળનું ગ્રહણ થાય છે, માટે આ સૂત્ર ત્રિકાળના વિષયવાળું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અનાદિ ભૂતકાળ કે અનંત ભવિષ્યકાળમાં હંમેશાં સાધુઓ ગોચરી લાવ્યા પછી આ રીતે સ્વાધ્યાય કરતા હતા, કરે છે અને કરશે. વળી, સાધુએ ભિક્ષાટન કરેલ હોવાથી સાધુના શરીરમાં વાયુ આદિ અને ધાતુઓ ક્ષોભ પામેલા હોય છે, આથી તે સ્થિતિમાં જો આહાર વા૫૨વામાં આવે તો આહાર વિકૃતિને પામે છે. માટે સાધુ ભિક્ષાટન કરીને આવીને ભિક્ષાનું આલોચન કરીને સ્વાધ્યાય ક૨વા બેસે તો આહા૨ વાપરવામાં તેટલો કાળક્ષેપ થવાથી શરીરમાં થયેલા ધાતુ-વાયુ આદિના ક્ષોભો શાંત થઈ જાય છે. તેથી ભગવાને સાધુને આહાર વાપરતાં પૂર્વે સંયમને હિતકારી એવી સ્વાધ્યાયની ક્રિયા બતાવેલ છે. ૩૪૨॥ અવતરણિકા : ગાથા ૨૩૦માં બતાવેલ દશ મૂલદ્વારોમાંથી ‘આલોચના' નામનું પાંચમું દ્વાર ગાથા ૩૨૭થી ૩૪૨માં પુરું થયું. હવે છઠ્ઠા ‘ભોજન’ દ્વારનું વર્ણન ગ્રંથકાર શરૂ કરે છે ગાથા : वो अहो साहू मंडलिउवजीवओ अ इअरो अ । मंडलिमुवजीवंतो अच्छइ जा पिंडिआ सव्वे ॥३४३ ॥ અન્વયાર્થઃ સાધૂ ઞ વુવિદ્દો હો=અને સાધુ પ્રકારના હોય છે : મંત્તિવનીવો અ રો અ=માંડલીઉપજીવક અને ઇતર=માંડલીઅનુપજીવક. ના સબ્વે પિડિયા=જ્યાં સુધી સર્વ સાધુઓ પિંડિત=ભેગા થાય, (ત્યાં સુધી) મંડનિમુવનીવંતો=માંડલીને ઉપજીવતા=માંડલીઉપજીવક સાધુ, અરૂ=રહે છે=રાહ જુએ છે. ગાથાર્થ અને સાધુ બે પ્રકારના હોય છે : માંડલીઉપજીવક અને માંડલીઅનુપજીવક. જ્યાં સુધી બધા સાધુઓ ભેગા થાય ત્યાં સુધી માંડલીઉપજીવક સાધુ રાહ જુએ છે. ટીકા द्विविधश्चाऽसावपि साधुः, , તમેન વૈવિધ્યુંનેત્યાન્ન-મઽત્યુપત્નીવ શેતા=અનુપત્નીવશ્ર્વ, પત્નીવો= मण्डलीभोक्ता, अनुपजीवकः = कारणतः केवलभोक्ता, तत्र मण्डलिमुपजीवन् = मण्डल्युपजीवकः तावत्तिष्ठति गृहीतसमुदान एव यावत्पिण्डिताः सर्व्वे - तन्मण्डलिभोक्तार इति गाथार्थः ॥३४३॥ ટીકાર્ય અને આ પણભિક્ષાટન કરીને આવેલા પણ, સાધુ બે પ્રકારના હોય છે. કયા દ્વિવિધપણાથી બે પ્રકારના હોય છે ? એથી કહે છે – માંડલીઉપજીવક અને ઇતર=અનુપજીવક=માંડલીમાં ભાજન નહીં કરનાર. ઉપજીવક એટલે માંડલીમાં ભોજન કરનાર. અનુપજીવક એટલે કારણથી કેવલ ભોક્તા=એકલા ભોજન કરનાર. તેમાં માંડલીને વિષે ઉપજીવતા એવા=માંડલીઉપજીવક સાધુ, જ્યાં સુધી તે માંડલીમાં ભોજન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy