SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પ્રતિદિનક્રિયાવસ્તુક ભિક્ષા' દ્વાર-“ઇ' દ્વાર/ ગાથા ૩૨૩-૩૨૪ અહીં વિશેષ એ છે કે ભિક્ષાટન કર્યા પછી કરાતા ઇરિયાવહિયામાં ચિંતવન કરાતા સામુદાનિક અતિચારો જ પ્રાયશ્ચિત્ત છે, એમ બતાવવા માટે ગાથા ૩૨૨માં “તે વેવ' એમ વિકાર મૂકેલ છે. તેથી એ ફલિત થાય કે સામાન્ય રીતે સર્વ શુભયોગો કર્મક્ષયનું કારણ છે, પરંતુ ભિક્ષાટન કર્યા પછી સંવેગપૂર્વક અતિચારોનું ચિંતવન કરવામાં આવે તો જ સંવેગને કારણે ભિક્ષાટનની ક્રિયા ઉત્તરોત્તર અતિચારોથી રહિત કરવા સમર્થ બનાવે તેવી શક્તિનું સાધુમાં આધાન થાય છે. તેથી ભિક્ષાટન કર્યા પછી કરાતા ઇરિયાવહિયાપૂર્વકના કાયોત્સર્ગમાં અતિચારોના ચિંતવનને છોડીને લોગસ્સ વગેરે અન્ય શુભયોગોનું , ચિંતવન કરવામાં આવે તો પ્રાયઃ તે પ્રકારની શુદ્ધિનું કારણ બને નહીં. માટે સાધુએ પ્રસ્તુત કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું જ ચિંતવન કરવું જોઈએ અને તે ભિક્ષાટનમાં લાગેલા અતિચારોનું પ્રાયશ્ચિત્ત છે. ||૩૨૩ અવતરણિકા : पक्षान्तरमाह - અવતરણિયાર્થ: ગાથા ૩૨૨-૩ર૩માં બતાવ્યું કે ભિક્ષાટન કર્યા પછી સાધુ ઇરિયાવહિયાપૂર્વક કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે છે એ ગોચરીમાં લાગેલા દોષોની શુદ્ધિરૂપ પ્રાયશ્ચિત્ત છે. વળી તેને જ યુક્તિથી બતાવ્યું કે આ ચિંતવન શુભયોગ છે, માટે તે પ્રાયશ્ચિત્ત છે. હવે પક્ષાંતરને કહે છે=બીજો પક્ષ બતાવતાં કહે છે – ગાથા : कायनिरोहो वा से पायच्छित्तमिह जं तु अणुस्सरणं । तं विहिआणुट्ठाणं कम्मक्खयकारणं परमं ॥३२४॥ અન્વયાર્થ : =અથવા તેનો ગોચરીથી આવ્યા પછી માત્રુ આદિ કરીને કે કર્યા વગર આવેલ સાધનો, અહીં કાયિકાદિ સંબંધી ઇરિયાવહિયામાં, વનિરોદોઃકાયાનો નિરોધ પાછિદં પ્રાયશ્ચિત્ત છે. ગં તુ અપુર વળી જે અનુસ્મરણ છે=સામુદાનિક અતિચારોનું ચિંતવન છે, તંત્રતે વિહિપુvi=વિહિત અનુષ્ઠાન પરમં પરમ મેવરિપકર્મક્ષયનું કારણ છે. * મૂળગાથામાં ‘વા'કાર પૂર્વગાથા સાથે પક્ષાંતર બતાડવા અર્થે છે. ગાથાર્થ: અથવા ગોચરીથી આવ્યા પછી માત્રુઆદિ કરીને કે કર્યા વગર આવેલા સાધુનો, કાચિકાદિસંબંધી ઇરિયાવહિયામાં કાયાનો નિરોધ પ્રાયશ્ચિત્ત છે, વળી જે સામુદાનિક અતિચારોનું ચિંતવન છે, તે વિહિતા અનુષ્ઠાન પરમ કર્મક્ષયનું કારણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy