SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભિક્ષા દ્વાર-“ઇ” દ્વાર/ ગાથા ૩૨૧ અવતરણિકા: પૂર્વગાથામાં બતાવ્યું કે સાધુ ભિક્ષા માટે ઉપાશ્રયમાંથી નીકળે અને ઉપાશ્રયમાં પ્રવેશે, ત્યાં સુધીમાં લાગેલા દોષોનું ચિંતવન કરે. હવે તે દોષોને કયા ક્રમથી ચિંતવવાના છે? તે બતાવે છે – ગાથા : ते उ पडिसेवणाए अणुलोमा होति विअडणाए अ । पडिसेवविअडणाए इत्थं चउरो भवे भंगा ॥३२१॥ અન્વયાર્થ: તેzવળી તેઓત્તે દોષો, પરિસેવUIL=પ્રતિસેવના વડેવિમUTU=અને વિકટના વડે મyત્નોમ= અનુલોમ=અનુકૂળ, હૉતિ=હોય છે. ડિસેવિUTI=પ્રતિસેવના અને વિકટનારૂપ રૂú=અહીં આ બે પદમાં, વડો મંગા=ચાર ભાંગાઓ ભવે થાય છે. ગાથાર્થ : વળી તે દોષો પ્રતિસેવના વડે અને વિકટના વડે અનુકૂળ હોય છે. પ્રતિસેવના અને વિકટનારૂપ આ બે પદમાં ચાર ભાંગાઓ થાય છે. ટકા ? ते तु दोषाः प्रतिसेवनया-आसेवनारूपयाऽनुलोमा भवन्ति अनुकूला भवन्ति विकटनया - आलोचनया च, प्रतिसेवनायां विकटनायां च पदद्वये चत्वारो भङ्गा भवन्ति, तद्यथा - प्रतिसेवनयाऽनुलोमा विकटनया च, तथा प्रतिसेवनया न विकटनायां, तथा न प्रतिसेवनया विकटनायां, तथा न प्रतिसेवनया न विकटनयेति પથાર્થ રૂરશા ટીકાર્ય : વળી તે દોષો આસેવનારૂપ પ્રતિસેવના વડે અને આલોચનારૂપ વિકટના વડે અનુલોમ હોય છે=અનુકૂળ હોય છે. પ્રતિસેવનારૂપ અને વિકટનારૂપ પદયમાં ચાર ભાંગાઓ થાય છે, તે આ પ્રમાણે – (૧) પ્રતિસેવનાથી અને વિકટનાથી અનુલોમ છે; (૨) અને પ્રતિસેવનાથી અનુલોમ છે, વિકટનામાં અનુલોમ નથી; (૩) અને પ્રતિસેવનાથી અનુલોમ નથી, વિકટનામાં અનુલોમ છે; (૪) અને પ્રતિસેવનાથી અનુલોમ નથી, વિકટનાથી અનુલોમ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગોચરીમાં લાગેલા દોષોનું ચિંતવન અને ગુરુ પાસે નિવેદન સાધુ આસેવનાના ક્રમથી અથવા આલોચનાના ક્રમથી, કરે છે. પહેલા પ્રકારનું ચિંતવન પ્રતિસેવનાઅનુલોમ છે. તેથી સાધુ ભિક્ષા માટે વસતિમાંથી નીકળે ત્યારથી માંડીને વસતિમાં પ્રવેશે ત્યાં સુધીમાં જે ક્રમસર પ્રવૃત્તિ થઈ છે, તેમાં લાગેલ અતિચારોનું ક્રમસર ચિંતવન કરે, અર્થાત્ પ્રથમ ભિક્ષા જયાં ગ્રહણ કરી ત્યારથી માંડીને જયાં છેલ્લી ભિક્ષા ગ્રહણ કરી, ત્યાં સુધીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy