SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર | ગાથા ૩૧૨ થાય છે. પ્રવેશન નિજ દ્વાર છે–વસતિમાં પ્રવેશવું એ સાધુનું મુખ્ય દ્વાર છે. નૈષધિકી’ એ પ્રકારનું દ્વાર અલ્પવક્તવ્યતા હોવાથી ઉત્ક્રમના પ્રયોજનવાળું છે, અર્થાત્ પાદપ્રમાર્જનદ્વાર પ્રવેશનદ્વારનું પ્રથમ દ્વાર છે, છતાં નૈષધિકી દ્વારનું પ્રથમ વર્ણન કરવારૂપ ઉત્ક્રમનું પ્રયોજન નૈષધિકીદ્વારમાં રહેલી અલ્પવક્તવ્યતા છે. પાદપ્રમાર્જનદ્વારને કહે છે – અસાગારિક હોતે છતેગૃહસ્થ નહીં હોતે છતે, પાદ પ્રમાર્જવા; કેમ કે સમ્યગ્યતનાદિનો સદ્ભાવ છે–ગૃહસ્થ ન હોય ત્યારે સમ્યગ્ યતના આદિ થઈ શકે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. इह સંપ્રવાયઃ અને અહીં ભિક્ષાટન કરીને આવતાં વસતિના પ્રવેશમાં, આ=આગળ કહેવાય છે એ, વૃદ્ધોનો સંપ્રદાય છે. ......... भिक्खा વિઠ્ઠી ભિક્ષાચર્યાથી નિવૃત્તનીપાછા ફરેલા સાધુઓની, આ=નીચે બતાવે છે એ, વિધિ છે. વાર્દિ • ફુગ્ગા બહાર સ્થિત=ઉપાશ્રયની બહાર રહેલા સાધુઓ, દેવકુલિકામાં કે શૂન્યઘરમાં ભક્ત-પાનને પ્રતિલેખે છે=જુએ છે. અહીં પ્રશ્ન થાય કે ભક્ત-પાનને બહાર રહીને કેમ જુએ છે ? એથી કહે છે – મક્ષિકા અથવા કંટક ન હો=વહોરેલા ભક્ત-પાનમાં માખી કે કાંટા ન હો, અર્થાત્ માખી કે કાંટા હોય તો તેને બહાર પરઠવીને સાધુઓ વસતિમાં પ્રવેશ કરે. હું ....... વિસંતિ અને જે પાનક કારણ હોતે છતે અવલંબકમાં=માત્રકમાં, ગ્રહણ કરાયું હોય, તેને અવગ્રહમાં=પાત્રકમાં, નાંખીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે. जमसुद्धं जहिं च કરતા નથી. ૧૧૯ अह सत्तुगा નાંખીને ત્રણ વાર પ્રતિલેખે છે. વૃત્તિ જે અશુદ્ધ હોય તેને ત્યાં જ=શૂન્યઘરાદિમાં જ, પરઠવીને અન્યને ગ્રહણ કરીને ઉપાશ્રયમાં આવે છે. વિખંતિ અને જેમાં જીવાદિથી સંસક્ત પાનક ગ્રહણ કરાયું હોય, તે ભાજનમાં અન્ય પાનકને ગ્રહણ ********. પત્નેિહિંતિ હવે સત્તુકા પ્રાપ્ત થઈ=ભિક્ષામાં સાથવો પ્રાપ્ત થયો હોય, તો પાત્રબંધમાં=ઝોળીમાં, जइ ......... ના રીસંતિ જો ત્રણ વાર પ્રતિલેખવા વડે સાથવામાં જીવાત વગેરે ન દેખાયું તો શુદ્ધ છે, હવે જીવો દેખાયા તો ફરી ત્રણ જ વાર પ્રતિલેખે છે, આ પ્રમાણે જ્યાં સુધી જીવ દેખાય ત્યાં સુધી પ્રતિલેખે. नियत्ता પમન્નતિ અને નિવૃત્ત=ભિક્ષાચર્યાથી પાછા ફરેલા સાધુઓ, બહાર અલ્પસાગારિકવાળી= ગૃહસ્થોના અભાવવાળી, વસતિ હોતે છતે પગને પ્રમાર્જે છે. ता પવેશળે ય ત્યારપછી અગ્રદ્વારમાં, મધ્યમાં અને પ્રવેશનમાં=પ્રવેશવામાં, ત્રણ નિસીહિઓને કરે છે. अण्णे મૂત્તે ય અન્યો કહે છે – પ્રવેશદ્વારમાં અને મૂલદ્વારમાં ત્રણ વાર નિસીહિને કરે છે. Jain Education International ભાવાર્થ: ગાથા ૨૯૭માં બતાવ્યું એ રીતે ભિક્ષાટન કરતા સાધુઓ પોતાને અપેક્ષિત એટલો આહાર પ્રાપ્ત થાય ત્યારે વસતિમાં પ્રવેશ કરે છે. તેથી ભિક્ષાટનથી આવ્યા પછી વસતિમાં પ્રવેશ એ સાધુનું નિજ દ્વાર છે, અને તે દ્વા૨ના અવયવો ગાથા ૩૧૧માં વસતિમાં પ્રવેશવાના ક્રમ પ્રમાણે બતાવ્યા છે. તેથી વસતિમાં પ્રવેશતી વખતે સૌ પ્રથમ સાધુ પગની પ્રમાર્જના કરે છે અને પછી ‘નિસીહિ’ બોલે છે. તેથી તે અવયવોનું વર્ણન કરતાં પ્રથમ પાદપ્રમાર્જન દ્વારનું અને પછી નૈષેધિકી દ્વારનું વર્ણન કરવું જોઈએ. આમ છતાં ગ્રંથકારે પાદપ્રમાર્જન દ્વારને છોડીને ઉત્ક્રમથી પ્રથમ નૈષધિકી દ્વારનું વર્ણન કર્યું, તેનું પ્રયોજન નૈષેષિકી દ્વા૨માં રહેલી અલ્પવક્તવ્યતા છે, અર્થાત્ “અગ્રદ્વારમાં, મધ્યદ્વારમાં અને પ્રવેશદ્વા૨માં એમ ત્રણ દ્વા૨ોમાં સાધુ ‘નિસીહિ’ બોલે છે,” આટલું જ નૈષેધિકી દ્વારમાં વક્તવ્ય છે, જ્યારે પાદપ્રમાર્જન દ્વારમાં અધિક વક્તવ્ય છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy