SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘સા' દ્વાર / ગાથા ૫ અન્વયાર્થ : પાવાનો યુદ્ધચરળનો તેવુ પદ્મયળ = પાપમાંથી શુદ્ધ ચરણયોગોમાં પ્રજન (એ) પદ્મજ્ઞા=પ્રવ્રજ્યા છે. ઞ = આ રીતે ારાખ્ખોવવારાઓ = કારણમાં કાર્યના ઉપચારથી મુસ્તું પડ્ વયળ=મોક્ષ પ્રતિ વ્રજન = મોક્ષ તરફ ગમન, (એ પ્રવ્રજ્યા) છે. ગાથાર્થ : ૧૯ પાપમાંથી શુદ્ધ ચરણયોગોમાં પ્રવૃજન એ પ્રવ્રજ્યા છે. આ રીતે કારણમાં કાર્યના ઉપચારથી મોક્ષ તરફ ગમન એ પ્રવ્રજ્યા છે. ટીકા : प्रव्रजनं प्रव्रज्या, प्र इति प्रकर्षेण व्रजनं प्रव्रजनं, कुतः क्व ? इत्यत आह- पापाच्छुद्धचरणयोगेषु, इह पापशब्देन पापहेतवो गृहस्थानुष्ठानविशेषा उच्यन्ते, कारणे कार्योपचारात्, यथा “दधित्रपुषी प्रत्यक्षो ज्वर" इति, शुद्धचरणयोगास्तु संयतव्यापारा मुखवस्त्रिकादिप्रत्युपेक्षणादय उच्यन्ते, इय = एवं मोक्षं प्रति व्रजनं प्रव्रज्या । कथमित्याह- कारणे कार्योपचारात् = कारणे शुद्धचरणयोगलक्षणे मोक्षाख्यकार्योपचारात्, यथा “आयुर्घृतम्” इत्यायुषः कारणत्वाद् घृतमेवायुः, इत्थं मोक्षकारणत्वात् शुद्धचरणयोगा एव मोक्ष इति, ततश्च मोक्षं प्रति प्रव्रजनं प्रव्रज्येति गाथार्थः ॥ ५ ॥ ટીંકાર્ય-ભાવાર્થ : પ્ર એટલે પ્રકર્ષથી, વ્રજન = જવું, એ પ્રવ્રજન. પ્રવ્રજન એ પ્રવ્રજ્યા છે. ક્યાંથી ક્યાં જવું ? એથી કહે છે – પાપથી મુક્ત બનીને શુદ્ધ ચારિત્રના યોગોમાં જવું. અહીં કારણમાં કાર્યના ઉપચારથી, ‘પાપ’ શબ્દ વડે પાપનાં હેતુ એવાં જીવહિંસાદિ ગૃહસ્થનાં અનુષ્ઠાનવિશેષો કહેવાય છે. જેવી રીતે દહીં-કાકડી પ્રત્યક્ષ જ્વર છે, એ પ્રકારનો ઉપચાર થાય છે. આશય એ છે કે, જેમ દહીં-કાકડી જ્વરનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચાર દ્વારા દહીં-કાકડીને જ પ્રત્યક્ષ જવર કહેવામાં આવે છે, તેમ ગૃહસ્થની પ્રવૃત્તિઓ પાપબંધનું કારણ હોવાથી કા૨ણમાં કાર્યના ઉપચાર દ્વારા ગૃહસ્થની પ્રવૃત્તિઓને જ પાપ કહેવામાં આવે છે. શુદ્ધ ચારિત્રના યોગોમાં જવું એ પ્રવ્રજ્યા છે એમ કહ્યું, ત્યાં શંકા થાય કે શુદ્ધ ચારિત્રના યોગો કયા છે ? તેથી કહે છે - વળી મુહપત્તિ વગેરેની પ્રત્યુપેક્ષણા વગેરે સંયતના વ્યાપારો શુદ્ધ ચારિત્રના યોગો કહેવાય છે. આ રીતે - પાપથી શુદ્ધ ચરણયોગોમાં પ્રકર્ષથી જવું એ પ્રવ્રજ્યા છે એ રીતે, મોક્ષ તરફ જવું એ પ્રવ્રજ્યા છે. કેવી રીતે ? અર્થાત્ પ્રવ્રજ્યા શબ્દનો અર્થ કરતાં પહેલાં “શુદ્ધ ચરણયોગોમાં પ્રકર્ષથી જવું” એમ કહ્યું, અને પછી “મોક્ષ તરફ જવું” એમ કહ્યું. આમ, પ્રવ્રજ્યાનો અર્થ ભિન્ન ભિન્ન કેવી રીતે થઇ શકે ? એથી કહે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy