SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯o. પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૦-૨૧૧ નિર્દોષ ભિક્ષાદિની પ્રાપ્તિ કરવા માટે મુનિ અટન કરે છે. વળી તે ભિક્ષાટનકાળમાં પણ જ્યાં સુધી આહારપાણીની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી જે સુધા-તૃષા સહન કરવા પડે છે તે પણ મુનિને દુઃખરૂપ થતા નથી; કેમ કે જીવને હંમેશાં અનુકૂળતા પ્રત્યે જે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે જે દ્વેષ છે, તે રૂપ ભાવવ્યાધિને મટાડવા માટે મુનિ ભિક્ષાટનાદિકાળમાં સુધા-તૃષા પ્રત્યે નિરપેક્ષ થવા સમ્યગૂ યત્ન કરતા હોય છે. તેનાથી મુનિનો ભાવવ્યાધિ નાશ પામે છે, અને તે ભાવવ્યાધિનો નાશ થવાથી મુનિને ચિત્તની સ્વસ્થતારૂપ સુખનું વેદન થાય છે. તેથી ચિત્તની સ્વસ્થતારૂપ સુખવેદનની આગળ સુધાદિનું દુઃખ અકિંચિકર છે. ર૧૦ના અવતરણિકા : તથાદિઅવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે તપસ્વીઓને ભિક્ષાટનાદિમાં વિદ્યમાન પણ પિપાસાદિ દુઃખરૂપ થતા નથી. તે વાત દૃષ્ટાંતથી બતાવવા માટે તથાદિ' થી કહે છે ગાથા : वाहिस्स वि खयहेऊ सेविज्जंता कुणंति धिइमेव । कडुगाई विजणस्सा ईसिं दंसिंतगाऽऽरोग्गं ॥२११॥ અન્વયાર્થ : વાદિસ વ= વ્યાધિના પણ રવ = ક્ષયનો હેતુ એવાં વિન્નતા = સેવાતાં હિંમર u = થોડા આરોગ્યને વંતિમ = દેખાડતાં કુમારું = કટુકાદિ પણ નાસા =જનની થિમેવ = કૃતિને જ સુપતિ = કરે છે. ગાથાર્થ : કુષ્ઠાદિ વ્યાધિના પણ ક્ષયનું કારણ એવાં સેવન કરાતાં અને કંઇક આરોગ્યને દેખાડતાં કટુ ઔષધાદિ પણ ઔષધ લેનારની વૃતિને જ કરે છે. ટીકા : ___ व्याधेरपि-कुष्ठदेः क्षयहेतवः सेव्यमानाः कुर्वन्ति धृतिमेव कटुकादयोऽपि जनस्य ईषद् दर्शयन्त आरोग्यम्, अनुभवसिद्धमेतदिति गाथार्थः।।२११॥ * “ાથેfપ" માં “ગ' થી એ બતાવવું છે કે ભાવવ્યાધિના ક્ષયનાં હેતુભૂત પિપાસાદિ તો મુનિની વૃતિને કરે છે, પરંતુ કુષ્ઠાદિ દ્રવ્યવ્યાધિના પણ ક્ષયનાં હેતુભૂત કડવાં ઔષધાદિ પણ જનની વૃતિને કરે છે. * “છ” માં મારિ પદથી અન્ય ભયંકર વ્યાધિઓનો સંગ્રહ છે. * “દુયોજિ" માં ગતિ પદથી અપ્રિય સ્વાદવાળાં ઔષધોનું ગ્રહણ છે અને ' થી એ જ્ઞાપન કરવું છે કે વ્યાધિના ક્ષયનાં કારણ એવાં મધુર ઔષધો તો જનની વૃતિ કરે છે, પરંતુ કડવાં ઔષધો પણ જનની ધૃતિને કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy