SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૨૦૯ ગાથાર્થ : જ્ઞાતતત્ત્વવાળા મુનિઓને નિશ્ચયનયથી ઘર પણ આત્મા જ છે અને વ્યવહારનયથી જે તે દેવકુલાદિ છે તે ઘર છે. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાતતત્ત્વવાળા મુનિઓ ઘર કેમ રાખતા નથી ? તેથી કહે છે કે વળી પોતે બનાવડાવેલ ઘર મારું છે, એ દુઃખનું કારણ છે. ટીકા : ૨૯૫ अवकाशोऽपि तत्त्वतः आत्मैव जो वा सो व त्ति यो वा स वा ज्ञाततत्त्वानां देवकुलादिः, स्वकारितस्तु ममायमिति जीवस्वाभाव्यात् दुःखस्योपादानमिति गाथार्थः॥ २०९ ॥ * ‘‘અવાશોપિ’” માં ‘પિ’ થી એ જણાવવું છે કે નિશ્ચયનયથી મુનિઓની રત્નત્રયીની પરિણતિ તો આત્મા છે, પરંતુ મુનિઓનો અવકાશ પણ આત્મા જ છે. ટીકાર્ય : જ્ઞાતતત્ત્વવાળા મુનિઓનો અવકાશ પણ=આશ્રય પણ, તત્ત્વથી=નિશ્ચયનયથી, આત્મા જ છે, અને વ્યવહારનયથી જે તે દેવકુલાદિ છે. મુનિઓ આશ્રય કેમ રાખતા નથી ? તેથી કહે છે- વળી સ્વકારિત= પોતાનાથી કરાવાયેલો, આ=અવકાશ, ‘મારો છે', એ જીવના સ્વભાવપણાથી દુઃખનું ઉપાદાન છે= કારણ છે. આથી મુનિઓ અવકાશ રાખતા નથી એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : તત્ત્વને જાણનારા મુનિઓને બોધ હોય છે કે આત્મા પોતાના ભાવોમાં વસે તો સુખી થાય. તેથી નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને મુનિઓ હંમેશાં આત્મભાવોમાં રહેવા માટે યત્ન કરતા હોવાથી તેઓને બાહ્ય આશ્રયની ઇચ્છા હોતી નથી. આમ છતાં તત્ત્વના જાણ એવા તે મુનિઓને જ્ઞાન હોય છે કે સિદ્ધના આત્માઓને બાહ્ય અવકાશની સર્વથા આવશ્યકતા નથી, જ્યારે પોતે તો દેહ સાથે જોડાયેલ છે અને દેહના બળથી સંયમની આરાધના કરીને ધીરે ધીરે સિદ્ધાત્માઓની જેમ પોતાને પણ પરિપૂર્ણ આત્મભાવમાં સ્થિર થવાનું છે અને તે સ્થિરતાને પ્રગટ કરવા માટે ધર્મ કરવો આવશ્યક છે અને તે ધર્મ કરવા માટે બાહ્ય એવા રહેવાના સ્થાનની પણ જરૂર પડે; તેથી સંયમની વૃદ્ધિ માટે વિહાર કરતાં જે તે દેવકુલાદિ મળે, તેમાં મુનિઓ વ્યવહારનયથી આશ્રય લે છે; અને તે દેવકુલાદિમાં આશ્રય પણ એ રીતે લે કે જેથી તે આશ્રયમાં પણ મમત્વ ન થાય, પરંતુ તે આશ્રય સંયમની વૃદ્ધિનું કારણ બને. અહીં પ્રશ્ન થાય કે રોજ નવા-નવા આશ્રયો મેળવવા માટે સંક્લેશ પેદા થાય, તેના કરતાં મુનિ એક નિયત સ્થાનમાં રહીને ધર્મની પ્રવૃત્તિ કરે તો શું વાંધો ? તેથી કહે છે પોતાની વસ્તુમાં મમત્વ કરવાનો જીવનો સ્વભાવ હોવાને કારણે પોતાનું ઘર બનાવવાથી “આ ઘર મારું છે” એ પ્રકારનો જીવને મમત્વનો પરિણામ થાય છે, જે મમત્વનો પરિણામ જીવના દુઃખનું કારણ છે. તેથી નિઃસ્પૃહી મુનિઓ ‘આ ઘર મારું છે' તેવી મમત્વની બુદ્ધિ ન થાય તે માટે સ્વકારિત ઘર રાખતા નથી; એટલું જ નહિ પરંતુ ચિત્તને વિશેષ પ્રકારે નિઃસ્પૃહ કરવા માટે નવકલ્પી વિહાર કરીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy