SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર ગાથા ૧૯૦-૧૯૧ વળી, ઇષ્ટની પ્રાપ્તિ આદિમાં આર્ત્તધ્યાન હોવા છતાં તેમાં જીવને કોઇ બાહ્ય સંક્લેશ લાગતો નથી; જ્યારે હું દુર્ગ ક્યારે જીતીશ ?, વગેરે આર્ત્તધ્યાન કરતી વખતે જીવમાં ખેદનું સંવેદન હોય છે. તેથી આવા પ્રકા૨ની ચિંતાને સંક્લિષ્ટ આર્ત્તધ્યાનરૂપ કહેલ છે, જે સંક્લિષ્ટ આર્ત્તધ્યાનરૂપ ચિંતા પાપ સ્વરૂપ છે.૧૯૦ના ગાથા : ૨૬૪ इअ चिंताविसघारिअदेहो विसएऽवि सेवइ न जीवो । चिट्ठउ अ ताव धम्मो संतेसु वि भावणा एवं ॥१९१॥ અન્વયાર્થ : इअ = આ રીતે ચિંતાવિસધારિઅનેદ્દો = ચિંતારૂપી વિષથી ઘેરાયેલ દેહવાળો નીવો = જીવ વિજ્ઞવ =વિષયોને પણ ન સેવકૢ = સેવતો નથી. ધો ૬ તાવ વિઃ = અને ધર્મ તો દૂર રહો, વં = આ પ્રકારે - જે પ્રકારે સત્ એવા ગૃહાદિમાં વૃદ્ધિ આદિની ચિંતા છે એ પ્રકારે, અનંતેષુ વિ = અસમાં પણ માવળા = ભાવના છે = પ્રાપ્તિ આદિની ચિંતા થાય છે. ગાથાર્થ : પાપાનુબંધીપુણ્યથી મળેલા રાજ્યાદિની વૃદ્ધિ આદિની ચિંતા થાય છે, એ રીતે ચિંતારૂપી વિષથી વ્યાપેલ શરીરવાળો જીવ, ધર્મ તો દૂર રહો પરંતુ વિષયોને પણ સેવતો નથી. અભિષ્યંગ હોતે છતે વિધમાન ગૃહાદિમાં વૃદ્ધિ આદિની ચિંતા છે, એ રીતે અવિધમાન પણ ગૃહાદિમાં પ્રાપ્તિ આદિની ચિંતા થાય છે. ટીકા : इति = एवं चिन्ताविषघारितदेहो = व्याप्तशरीरः सन् विषयानपि सेवते न जीव:, तथा आकुलत्वात्, तिष्ठतु च तावद्धम्र्म्मो विशिष्टाप्रमादसाध्यः, असत्स्वपि गेहादिष्विति गम्यते अभिष्वङ्गे सति भावना एवं इति अशुभचिन्ता धर्म्मविरोधिनी पापादेवेति गाथार्थः ॥ १९९ ॥ * ‘“વિસવિ’” માં ‘અવિ’ થી જણાવવું છે કે ચિંતારૂપી વિષથી ઘેરાયેલા શરીરવાળો જીવ ધર્મ તો સેવતો નથી, પરંતુ વિષયોને પણ સેવતો નથી. * ‘‘અસંતેસુ વિ’’ માં ‘પિ' થી એ કહેવું છે કે ગૃહાદિ હોતે છતે તો વૃદ્ધિ આદિની ચિંતા થાય છે, પરંતુ ગૃહાદિ નહીં હોતે છતે પણ પ્રાપ્તિ આદિની ચિંતા થાય છે. ટીકાર્ય : = આ રીતે = પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, ચિંતારૂપી વિષથી ઘારિત દેહવાળો વ્યાપ્ત શરીરવાળો છતો, જીવ વિષયોને પણ સેવતો નથી; કેમ કે તે પ્રકારનું – રાજ્યવૃદ્ધિ, પ્રતિકૂળતાનિવારણ આદિ થાય તે પ્રકારનું, ચિંતામાં આકુલપણું છે; અને વિશિષ્ટ અપ્રમાદથી સાધ્ય એવો ધર્મ તો દૂર રહો, અભિષ્યંગ હોતે છતે આ પ્રકારે = વિદ્યમાન ઘરાદિમાં વૃદ્ધિ વગેરેની ચિંતા થાય છે એ પ્રકારે, અસત્ પણ = અવિદ્યમાન Jain Education International For Personal & Private Use Only = www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy