SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૦૪-૧૦૫ અનુષ્ઠાનપૂર્વક સામાયિકના આરોપણનું શું પ્રયોજન? અને કોઈ પ્રયોજન ન હોય તો ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન વિરતિનો પરિણામ હોતે છતે વિફળ સ્વીકારવું પડે. તેથી ગ્રંથકાર કહે છે તીર્થકરના ઉપદેશનું પાલન હોવાને કારણે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનપૂર્વક સામાયિકના આરોપણની ક્રિયા વિફળ થતી નથી, અને તે વાતને સ્પષ્ટ કરવા કહે છે કે ભગવાનનો ઉપદેશ એ છે કે ભાવથી વિરતિનો પરિણામ થયો હોય, તોપણ વિધિપૂર્વક સંયમ ગ્રહણ કરવું જોઈએ, જેથી પ્રગટ થયેલો સંયમનો પરિણામ સ્થિરતાને પામે, અને વિધિપૂર્વક સંયમ ગ્રહણ કર્યા પછી ઉપધિનું પડિલેહણાદિ ક્રિયાઓ ઉચિત રીતે કરવી જોઈએ, જેથી પ્રગટેલ વિરતિનો પરિણામ વિનાશ ન પામે. તેથી જેમ ઉપધિનું પડિલેહણાદિ ક્રિયાઓ સફળ છે, તેમ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણની ક્રિયા પણ સફળ છે. ૧૭૫ અવતરણિકા : द्वितीयं पक्षमधिकृत्याह - અવતરણિકાર્ય : ગાથા-૧૬૭ ના પ્રથમ પાદમાં કહેલ કે દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ હોય તો ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકનું આરોપણ વિફલ છે, એ રૂપ પ્રથમ પક્ષને આશ્રયીને પૂર્વગાથામાં ગ્રંથકારે નિરાકરણ કર્યું. હવે ગાથા-૧૬૭ના બીજા પાદમાં કહેલ કે દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ ન હોય તો દીક્ષા આપનાર ગુરુને પણ અને દીક્ષા લેનાર શિષ્યને પણ મૃષાવાદની પ્રાપ્તિ થાય છે, એ રૂ૫ દ્વિતીય પક્ષને આશ્રયીને નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : असइ मुसावाओऽवि अईसि पि न जायए तहा गुरुणो। विहिकारगस्स आणाआराहणभावओ चेव ॥१७५॥ અન્વયાર્થ : તદ =અને તે પ્રકારે માત્રામાવો જેવ=આજ્ઞાના આરાધનનો ભાવ હોવાને કારણે જ વિદિવાર' ગુરુવિધિકારક ગુરુને ફેંક(દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ) નહીં હોતે છતે લિપિ =ઇષદ્ પણ મુસાવાઝોવિ=મૃષાવાદ પણ નાય=થતો નથી. * ‘વ’ાવ કાર અર્થમાં છે. ગાથાર્થ : અને તે પ્રકારે આજ્ઞાના આરાધનાનો ભાવ હોવાને કારણે જ વિધિ કરાવનારા ગુરુને, દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ ન હોય તોપણ થોડો પણ મૃષાવાદ પણ થતો નથી. ટીકા : __ असति विरतिपरिणामे मृषावादोऽपि च ईषदपि = मनागपि न जायते गुरोः-उक्तलक्षणस्य, किंविशिष्टस्येत्यत्राह Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy