SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૭૭-૭૮ ૧૧૦ » ‘ગોપની વ્યવસ્થ' માં “ઉપજીવ્ય’ શબ્દથી સાધુને ઉપજિવાડનાર ગૃહસ્થ પ્રાપ્ત થાય અને ત્ય પ્રત્યય લગાડવાથી ઉપજીવ્યનો ભાવ = ઉપજીવનક્રિયા, ગ્રહણ કરવાની છે. તેથી ગ્રંથકારને એ કહેવું છે કે તમે જ્ઞાનાદિનું પ્રાધાન્ય સ્વીકારશો તો, ઉપજીવનની ક્રિયાનું પ્રાધાન્ય થશે નહીં. ભાવાર્થ : મંદબુદ્ધિવાળા અન્ય વાદીઓ, સાધુઓને જિવાડનાર એવા ગૃહસ્થોને સાધુ કરતાં શ્રેષ્ઠ માને છે, અને તેમાં તેઓ યુક્તિ આપે છે કે આહારાદિ દ્વારા ગૃહસ્થો સાધુઓને જિવાડે છે, જેથી સાધુઓ સંયમની આરાધના કરી શકે છે, માટે સાધુઓ કરતાં ગૃહસ્થો વધારે શ્રેષ્ઠ છે. તેને ગ્રંથકારે ગાથા-૭૫ માં કહ્યું કે જો પૂર્વપક્ષી આ પ્રમાણે ઉપજીવનામૃત પ્રાધાન્ય માનતા હોય તો ગૃહસ્થો કરતાં પણ શ્રેષ્ઠ હળ, ખેડૂત આદિને માનવા જોઇએ. તેનું સમાધાન કરવા ગાથા-૭૬ માં પૂર્વપક્ષી કહે છે કે હળ, ખેડૂત આદિ “ધર્મમાં નિરત એવા ગૃહસ્થોનો અમે ઉપકાર કરીએ છીએ” એમ જાણતા નથી, માટે હળાદિ પ્રધાન નથી. તેને ગ્રંથકાર કહે છે કે દાન આપવાની ક્રિયાને કારણે જો સાધુ કરતાં ગૃહસ્થ પ્રધાન હોય, તો હળાદિ “હું આમને ઉપકાર કરું છું” એ પ્રકારે વિચાર કરતા નથી, માટે ગૃહસ્થો કરતાં પ્રધાન નથી, એ પ્રકારના દૃષ્ટાંતથી શું ? કેમ કે તે પ્રકારનો વિચાર કરતા હોવાથી ગૃહસ્થોની પ્રધાનતા થતી નથી, પરંતુ આપવાની ક્રિયાથી ગૃહસ્થોની પ્રધાનતા થાય છે. આથી જેમ ગૃહસ્થો સાધુઓને અન્નાદિ આપવાની ક્રિયા કરે છે, તેમ ગૃહસ્થોને ધાન્યાદિ આપવાની ક્રિયા હળાદિ કરે છે, તેથી હળાદિ કરતાં ગૃહસ્થો પ્રધાન નથી. આ રીતે પૂર્વપક્ષીના દષ્ટાંતથી જ્યારે સાધુ કરતાં ગૃહસ્થો શ્રેષ્ઠ સિદ્ધ થયા નહીં, ત્યારે પૂર્વપક્ષી એમ કહે છે કે હળાદિમાં જ્ઞાનાદિ ભાવો નથી, માટે ગૃહસ્થ કરતાં હલાદિનું પ્રાધાન્ય ન થઈ શકે; અને ગૃહસ્થોમાં જ્ઞાનાદિ ભાવો છે માટે સાધુ કરતાં ગૃહસ્થો પ્રધાન થઈ શકે; તેને ગ્રંથકાર કહે છે કે જ્ઞાનાદિની પ્રધાનતા સ્વીકારવાથી પૂર્વપક્ષીની વાત સિદ્ધ થઈ શકતી નથી, અને તેનું કારણ આગળની ગાથામાં બતાવે છે. Il૭ી . અવતરણિકા : ततः किमिति चेत् उच्यतेઅવતરણિતાર્થ : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે હળાદિ જ્ઞાનાદિથી વિરહિત છે અને ગૃહસ્થો જ્ઞાનાદિથી યુક્ત છે, માટે હળાદિનું પ્રાધાન્ય નથી, પરંતુ ગૃહસ્થોનું પ્રાધાન્ય છે. ત્યાં ગ્રંથકારે કહ્યું કે હળાદિ કરતાં ગૃહસ્થોને શ્રેષ્ઠ સ્વીકારવામાં જ્ઞાનાદિનું પ્રાધાન્ય થશે, પરંતુ ઉપજીવનક્રિયાનું નહીં. માટે તેનાથી શું? એમ કહીને જ્ઞાનાદિનું પ્રાધાન્ય સ્વીકારવાથી હળાદિનું પ્રાધાન્ય સિદ્ધ થશે નહીં અને સાધુ કરતાં ગૃહસ્થોનું પ્રાધાન્ય સિદ્ધ થઈ શકશે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો, તેને કહેવાય છે અર્થાત્ ગ્રંથકાર વડે ઉત્તર અપાય છે ગાથા : ताणि य जईण जम्हा हुँति विसुद्धाणि तेण तेसिं तु । तं जुत्तं आरंभो अ होइ जं पावहेउ त्ति ॥७८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy