SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૮૬-૯૦]. ૪૭ મળીને ૪૮૧ાા પડ્યો છે. આ પદ્યના-શ્લોકોના ત્રણ વર્ગ પડાય છે : (૧) વાર્તિક, (૨) અન્તર-શ્લોક અને (૩) સંગ્રહ-શ્લોક. “કથાનુપપુનર્વવાળું પાત્રકેસરીકૃત પદ્ય મૂળમાં ગૂંથી લેવાયું છે. સ્વપજ્ઞ વિવૃતિ– અકલંકે જાતે ગદ્યમાં વિકૃતિ રચી હોય એમ સિદ્ધિવિનિશ્ચયની અનન્તવીર્યકૃત ટીકા (પૃ. ૧૪૧)માંનું અવતરણ જોતાં અનુમનાય છે. ટીકા- ન્યાયવિનિશ્ચય ઉપર દિ. અનન્તવીર્ય ટીકા રચી છે. ન્યાયવિનિશ્ચયવિવરણ- આ ન્યાયવિનિશ્ચય ઉપરની દિ. વાદિરાજસૂરિની ગદ્યાત્મક વ્યાખ્યાનું નામ છે. પરંપરા પ્રમાણે એનું નામ ન્યાયવિનિશ્ચયાલંકાર છે પણ એ સમુચિત નથી એમ પ્રસ્તાના (પૃ. ૩૪-૩૫)માં ઉલ્લેખ છે. સાથે સાથે અહીં એમ કહ્યું છે કે આ વ્યાખ્યાને “તાત્પર્યાવદ્યોતિની વ્યાખ્યાનરત્નમાલા” કહી શકાય તેમ છે. આ વ્યાખ્યાના બીજા પદ્યમાં કનકસેનનો ઉલ્લેખ છે. શું એઓ P ૮૯ ભૈરવપદ્માવતીકલ્પ રચનારા દિ. મલ્લિષણના ગુરુ કનકસેન છે તે જ છે ? આ ૨0000 શ્લોક જેવડી વ્યાખ્યા ન્યાયવિનિશ્ચયની સ્વોપજ્ઞ વિવૃત્તિના ગદ્યાત્મક ભાગને ભાગ્યે જ સ્પર્શે છે. વળી એનાં પડ્યો પૈકી પણ કેટલાકનું આમાં સ્પષ્ટીકરણ નથી. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૧)માં કહ્યું છે કે વાદિરાજસૂરિએ અનન્તવીર્યનો ઉલ્લેખ કર્યો છે તે વાત ખરી છે. (જુઓ ભા. ૧, પૃ. ૧, તેમ જ ભા. ૨, પૃ. ૧૩૧ અને ૩૬૯) પ્રસ્તુત વિવરણમાં પ્રમાણવાર્તિક અને પ્રમાણવાર્તિકાલંકારમાંની કેટલીક બાબતોની સમાલોચના કરાઈ છે. ભા. ૨. પૃ. ૨૩૯માં અશ્વઘોષનો અને એમણે રચેલા રાષ્ટ્રપાલ નાટકનો ઉલ્લેખ છે. "પ્રમાણસંગ્રહ (ઉ. વિ. સં. ૭૮૦)- આ પણ ઉપર્યુક્ત દિ. અકલંકની ગદ્યપદ્યમય કૃતિ છે. પ્રશસ્તપાદભાષ્યને પદાર્થસંગ્રહ કહેવામાં આવે છે તો એ નામ કે પછી તત્ત્વસંગ્રહ એ નામ અને સાથે સાથે ધર્મકીર્તિકૃત પ્રમાણસમુચ્ચય એ નામ ઉપરથી “પ્રમાણસંગ્રહ' નામ યોજાયું હશે. આ જટિલ કૃતિમાં ૮શા કારિકા છે અને એ નવ પ્રસ્તાવમાં વિભક્ત છે. વિષય-પ્રમાણસંગ્રહની બીજી કારિકા પછીના ગદ્યાત્મક લખાણ (પૃ. ૯૭)માં અકલંકે શ્રુતને પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ નિમિત્તવાળું કહ્યું છે જ્યારે શાન્તિસૂરિએ શ્રુતને અનુમાન-જન્ય અને શબ્દ-જન્ય એમ બે પ્રકારનું કહ્યું છે મલયગિરિસૂરિએ આવસ્મયની વૃત્તિ (પત્ર ૩૭૧૮)માં P ૯૦ સમ્યગ્નયનો પરામર્શ કરતાં એમ કહ્યું છે કે “સ્યાત્’ શબ્દનો પ્રયોગ કરવાથી તો પ્રમાણ અને નય વચ્ચે ભેદ રહેશે નહિ. આનો ઉત્તર ન્યાયાચાર્ય યશોવિજયગણિએ ગુરુતત્તવિચ્છિયની સ્વોપજ્ઞ ટીકા (પત્ર ૧. આ પ્રથમ પ્રસ્તાવ પૂરતું “સિંધી જૈન ગ્રં” માં પ્રકાશિત છે. ૨. એમના જીવન અને કૃતિકલાપ વિષે જૈ. સા. ઈ. માં. પ્રકાશ પડાયો છે. એ લખાણ ન્યાયવિનિશ્ચય (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૮-૬૪)માં ઉદ્ધત કરાયું છે. એમણે શકસંવત્ ૯૪૭માં પાર્શ્વનાથચરિત્ર રચ્યું છે. ૩. જુઓ પ્રસ્તાવના (પૃ. ૩૩) ૪. આ પ્રકાશિત છે. (જુઓ પૃ. ૪૪). આ ઉપરાંત આ સ્વપજ્ઞ ભાષ્ય સહિત “સિં, જૈ. ગ્રં.”માં ઈ.સ. ૧૯૩૯માં પ્રસિદ્ધ કરાયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy