SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ P ૩૩ P ૩૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ વૃત્તિપદ– આ સર્વાર્થસિદ્ધિ ઉ૫૨ની ટીકા છે. એના કર્તા દિ. પદ્મનન્દિના શિષ્ય પ્રભાચન્દ્ર છે. અનુવાદ– એસ. એ. જૈન જે સર્વાર્થસિદ્ધિના અંગ્રેજી અનુવાદ માટે પ્રયાસ કર્યાનું અને “રીઆલિટિ” (Reality)માં કલકત્તાથી ઇ.સ. ૧૯૬૦માં પ્રસિદ્ધ કરાયાનું જાણવા મળે છે તે પ્રસ્તુત જ કૃતિ હશે. [હિન્દી અનુવાદ સાથે ‘ભારતીય જ્ઞાનપીઠ' વારાણસીથી પ્રસિદ્ધ.] ૧૮ તત્ત્વાર્થ-વાર્તિક કિંવા રાજવાર્તિક અને એનું સ્વોપજ્ઞ વિવરણ– આ બંનેના કર્તા દિ. અકલંક છે. એમની આ મૂળ કૃતિને રાજવાર્તિક, તત્ત્વાર્થવાર્તિકાલંકાર અને રાજવાર્તિકાલંકાર એ નામે પણ ઓળખાવાય છે. બાકી અકલંકે તો તત્ત્વાર્થવાર્તિક એ નામ મંગલાચરણરૂપ પ્રથમ પદ્યમાં આપ્યું છે. આનું પરિમાણ એના ઉપરના સ્વોપજ્ઞ વિવરણ સહિત ૧૬,૦૦૦ શ્લોકનું મનાય છે. અ. ૧ પૂરતું વિવરણ પાંચ આહિકમાં વિભક્ત છે. આગળ ઉપર આવા વિભાગ પડાયેલા નથી. ઇ.સ. ૧૯૧૫ના સંપાદનમાં અશુદ્ધિઓ રહેવા પામી છે. આ સવિવરણ તત્ત્વાર્થ-વાર્તિકની મહત્તા જોતાં એ સમીક્ષાત્મક પદ્ધતિએ ફરીથી પ્રકાશિત થયું છે તે આનંદનો વિષય છે. ૧. આ કૃતિ એના સ્વોપજ્ઞ વિવરણ તેમ જ મૂળ ત. સૂ. સહિત ‘તત્ત્વાર્થરાજવાર્તિક’ એ નામથી ‘સનાતન જૈન ગ્રંથમાલા''માં ‘‘ભારતીય જૈન સિદ્ધાન્તપ્રકાશિની સંસ્થા'' તરફતી કાશીથી ઇ.સ. ૧૯૧૫માં પ્રકાશિત થયેલી છે. પ્રારંભમાં મૂળ સૂત્રો અકારાદિ ક્રમે અપાયાં છે. સાથે સાથે સવિવરણ વાર્તિકનો વિસ્તૃત વિષયાનુક્રમ રજૂ કરાયો છે. પ્રત્યેક સૂત્રને લગતું વાર્તિક સળંગ ન આપતાં કટકે કટકે અપાયું છે અને એ દરેક કટકાની સાથે સાથે જ એનું સ્વોપજ્ઞ વિવરણ અપાયું છે. [હિન્દી સાથે રાજવાર્તિક ભારતીય જ્ઞાન. પ્રકાશિત છે.] ૨. આ નામ શ્રુતસાગરીય તત્ત્વાર્થવૃત્તિની અ. ૧ને લગતી પુષ્પિકા (પૃ. ૮૦)માં છે અને રાજવાર્તિકાલંકાર એ નામ એના પૃ. ૧૧૦માં છે. ૩. ત. સૂ. (અ. ૨, સૂ. ૩૨) ઉપરના વિવરણમાં બા૨સાણુવેક્ષાની ૩૫મી ગાથા ઉદ્ધૃત કરાઈ છે. ૪. પ્રથમ આફ્રિકના અંતમાં નીચે મુજબની પુષ્પિકા છે : .. " इति तत्त्वार्थवार्तिके व्याख्यानालङ्कारे प्रथमेऽध्याये प्रथममाह्निकं ॥१॥" ૫. ‘‘તત્ત્વાર્થવાર્તિક [રાજવાર્તિક”]એ નામથી જે પુસ્તક ‘ભારતીય જ્ઞાનપીઠ, કાશી'' તરફથી પ્રથમ ભાગ તરીકે ઇ.સ. ૧૯૫૩માં પ્રકાશિત થયું છે. તેમાં ત. સૂ. (અ. ૧-૪) પૂરતું અકલંકનું મૂળ વાર્તિક અને એને અંગેનું સ્વોપજ્ઞ વિવરણ ત. સૂ. (અ. ૧-૪) જેટલા મળૂ સહિત તેમ જ ઉપર્યુક્ત વિવરણના હિન્દી સારાંશ સાથે અપાયું છે. આ પ્રથમ ભાગમાં પ્રારંભમાં હિન્દી વિષયસૂચી છે પણ પ્રસ્તાવના નથી. સંપાદકીય કે પ્રકાશકીય નિવેદન જેવું પણ કશું નથી. આ સંપાદનમાં પાઠાંતરો, તુલનાત્મક પાઠ વગેરે ટિપ્પણરૂપે અપાયાં છે. એથી તેમ જ આ વાર્તિકના વિવરણમાંનાં અવતરણોનાં મૂળ સૂચવાયાં છે એથી એનું મહત્ત્વ વધ્યું છે. ઉપર્યુક્ત સંસ્થા તરફથી દ્વિતીય ભાગ ઇ.સ. ૧૯૫૭માં પ્રકાશિત થયો છે અને એ રીતે ગ્રન્થ પૂર્ણ કરાયો છે. તેમ છતાં એમાં પણ કોઇ કારણસર આ બંને ભાગના સંપાદક પં. મહેન્દ્રકમાર જૈનનું કશું લખાણ– પ્રસ્તાવના કે સંપાદકીય નથી. બાકી અંતમાં નીચે મુજબની જે સામગ્રી એમણે આપી છે તે મહત્ત્વની છે :– (૧) દિગંબર અને શ્વેતાંબર માન્યતા મુજબના (૪) અવતરણોની સૂચી. લગભગ અડધોઅડધ અવતરણોનાં મૂળનો ઉલ્લેખ નથી. (૫) ગ્રંથો અને ગ્રંથકારોનાં નામ. પાઠભેદ સહિત ત. સૂ. (૨) ત. સૂ.નાં સૂત્રોની અકારાદિ ક્રમે અનુક્રમણિકા. (૩) ત. સૂ. ગત શબ્દોની અકારાદિ ક્રમે અનુક્રમણિકા. (૬) ભૌગોલિક શબ્દોની સૂચી. (૭) તત્ત્વાર્થવાર્તિકગત વિશિષ્ટ શબ્દો. દ્વિતીય ભાગમાં પણ પ્રથમ ભાગની જેમ ત. સૂ. તેમ જ વાર્તિક અને સ્વોપજ્ઞ વિવરણનો હિન્દી સાર અપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy