SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ P ૧૪૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ પ્રારંભની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે કે ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ માનીને આત્માના જ્ઞાનાદિ ત્રણ રત્નોનું નિરૂપણ કરાયું જ્યારે આ પ્રકાશમાં ધર્મ અને ધર્મીનો ભેદ માની એ ત્રણ રત્નોનું નિરૂપણ કરાય છે. ८० સત્તુલન–પ્ર. ૧૨મા શ્લો૦ ૨૪-૨૫ અને ૩૭ ભગવદ્ગીતાનું સ્મરણ કરાવે છે. કેટલાક શ્લોક જ્ઞાનાર્ણવ સાથે સામ્ય ધરાવે છે. કેટલાક એમ કહે છે કે જ્ઞાનાર્ણવના કર્તા શુભચન્દ્રાચાર્ય હેમચન્દ્રસૂરિ કરતાં સિત્તેરેક વર્ષ પૂર્વે થયાં છે. એટલે હેમચંદ્રસૂરિએ એમાંથી ઉતારા કર્યા છે. આની વિરુદ્ધની હકીક્ત દાખલા-દલીલપૂર્વક સ્વ. મોહનલાલ ભ. ઝવેરીએ શ્રીભૈરવપદ્માવતીકલ્પના અંગ્રેજી ૧ઉપોદ્ઘાત (પૃ. ૩૪૦-૩૫૧)માં વિચારી છે, આમ આ વિવાદગ્રસ્ત વિષય છે એટલું જ સૂચન હું અહીં કરું છું કેમકે વિશેષ ચર્ચા માટે અત્ર અવકાશ નથી. યોગશાસ્ત્રનો આદ્ય શ્લોક તે હૈમ ત્રિષષ્ટિ.ના દસમા પર્વનો પણ પહેલો શ્લોક છે. પ્ર. ૪ના શ્લો. ૯૦-૯૪-૯૬-૯૭-૯૯ અને ૧૧૨ સિદ્ધસેન દિવાકરે રચેલી મનાતી ૨૧મી દ્વાત્રિંશિકાના શ્લો. ૧૯-૨૪-૨૦-૨૧-૨૨ અને ૨૩ સાથે સરખાવવા જેવા છે. અનેકાર્થી પદ્યો—યોગશાસ્ત્રના આદ્ય પદ્યના ૫૦૦ અર્થ લાભવિજયગણિએ અને ૭૦૦ અર્થ વિજયસેનસૂરિએ કર્યા છે. દ્વિતીય પ્રકાશના રદસમા પદ્યના ૧૦૬ અર્થો માનસાગરે કર્યા છે. આ પ્રકાશના ૮૫મા પદ્યને અંગે એક શતાર્થી જયસુન્દરસૂરિએ રચ્યાનું કહેવાય છે. *સ્વોપજ્ઞ વૃત્તિ-આ ૧૨૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ હેમચન્દ્રસૂરિએ જાતે રચી છે. આની એક હાથપોથી વિ. સં. ૧૨૫૧માં લખાયેલી મળે છે. આના આદ્ય પદ્ય ઉ૫રથી આ વૃત્તિનું નામ અર્થ-વિશેષ–નિર્ણય હોવાની કલ્પના કરાય છે. એમાં નિરૂપાયેલા વિષયનો વિશિષ્ટ બોધ થાય તે માટે વૃત્તિકા૨ે જાતે વૃત્તિમાં કેટલીક વાર પ્રશ્ન (શંકા) ઉપસ્થિત કરી ઉત્તર (સમાધાન) દર્શાવેલ છે. આ વૃત્તિ બોધક અને રોચક એવા ધાર્મિક ઉપદેશથી, જાત-જાતની કથાઓથી, વિવિધ સામાજિક હકીકતોથી અને અનેક અવતરણોથી અલંકૃત છે. પ્રસ્તૃત કથાઓ નીચે મુજબ છે. ૧. પં. નાથૂરામ પ્રેમી અને શ્રી ગોપાલદાસ પટેલ શુભચન્દ્રાચાર્યને ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના પુરોગામી માને છે. આનું નિરસન કરનારો આ ઉપોદ્ઘાત શ્રી સારાભાઇ મ. નવાબ તરફથી ઇ. સ. ૧૯૪૪માં છપાવાયો છે. ૨. આ બારમું પદ્ય છે એમ ૧૦૬ અર્થાવાળી જે કૃતિ છપાઇ છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે તેનું શું કારણ ? ૩. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ. જૈ. સં. સા. ઇ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૪૬૭-૪૬૯). ૪.જૈન સાહિત્ય વિ. મંડળ વગેરે તરફથી આ છપાયેલી છે. ૫. આના અંતમાંનાં બે પદ્યો પૈકી પહેલામાં આનો ‘વૃત્તિ’ તરીકે અને બીજામાં ‘વિવૃતિ’ તરીકે ઉલ્લેખ છે જ્યારે પુષ્પિકામાં ‘વિવરણ’ તરીકે ઉલ્લેખ છે. ૬. દા. ત. અહીં આઠ પ્રકારના લગ્નની વાત છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy