SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) : પ્રિ. આ. ૧૨૭-૧૩૦] ૬૯ સ્વોપજ્ઞવૃત્તિ-પ્રસ્તુત પ્રકરણ ઉપર કર્તાએ જાતે પાંચેક હજાર શ્લોક જેવડી વૃતિ રચી છે. એમાં ૨ ૧૨૯ પરિણામવાદ, સત્કાર્યવાદ, અસત્કાર્ય-વાદ, અંધકાર-ભાવ-વાદ, અપોહ-નિરાસ, સપ્તભંગી એમ વિવિધ વિષયોને સ્થાન અપાયું છે. મુનિશ્રી જંબૂવિજયએ “શ્રીનન્દીસૂત્ર મલયગિરીયા વૃત્તિમાં આવતા દાર્શનિક સાક્ષિપાઠોનાં મૂલસ્થાનો” નામના લેખ (પૃ.૮૦)માં કહ્યું છે કે ઉત્પાદાદિસિદ્ધિમાં ધર્મકીર્તિકૃત હેતુબિંદુમાંથી તથા તેની અર્ચટભટ (અપરનામ ધર્માકરદા)કૃત ટીકામાંથી પાનાંઓ ભરીને પૂર્વ પક્ષરૂપે પાઠો લેવાયા છે. વળી વાદિવેતાલ શાન્તિસૂરિકૃત જૈનતર્કવાર્તિક કિંવા ન્યાયાવતારસૂત્રવાર્તિકમાંથી અનેક સમાન પાઠો લેવાયા છે. વિવરણ–ન્યાયાચાર્ય યશોવિજયગણિએ મૂળ કૃતિ ઉપર વિવરણ રચ્યું છે પરંતુ એ હજી સુધી તો સાત પદ્ય પૂરતું અને તે પણ ત્રુટક જ મળ્યું છે. વિવરણનો પ્રારંભિક ભાગ, દ્વિતીય પદ્યને અંગેનો અંતિમ ભાગ, તૃતીય પદ્યનું સંપૂર્ણ વિવરણ, ચતુર્થ પદ્ય પૂરતો પ્રારંભિક ભાગ અને સાતમા પદ્યને અંગેના વિવરણનો અંતિમ ભાગ ખૂટે છે. ખૂટતા ભાગોનું અનુસંધાન પ્રકાશનસંસ્થાએ છપાવ્યું છે પણ તેમ કરનારું નામ દર્શાવ્યું નથી. આમાં વિવિધ વિષયો ચર્ચાયા છે. અનેકાન્તવ્યવસ્થા કિવા જૈનતર્ક (ઉ. વિ. સં. ૧૭૪૦) –આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ = ૧૩૦ છે. આ ૩૩૫૭ શ્લોક જેવડી ગદ્યાત્મક કૃતિમાં વેદાન્ત વગેરે દર્શનોનો સંક્ષેપમાં વાસ્તવિક પરિચય આપી એમાં દર્શાવાયેલા વિચારોની આલોચના કરાઈ છે. પ્રારંભમાં પદ્યાત્મક મંગલશ્લોક છે. ત્યાર બાદ બે શ્લોક છે. એ પૈકી પહેલામાં કહ્યું છે કે જેમ હરણને વાઘનું મુખ સુંઘવું હોય તો તે બને નહિ તેમ નયના ૧. આ “ઋ. કે. જે. સં.” તરફથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૨૮, ટિ. ૧. ૨. આ લેખ “આ. પ્ર.” (પુ. ૪૬, અં. ૫)માં છપાયો છે. ૩. આની માહિતી માટે જુઓ યશોદોહન (પૃ. ૧૮૨). ૪. આ કૃતિ નાશ પામેલી મનાતી હતી. આજથી ત્રીસેક વર્ષ પૂર્વે શ્રીવિજયવલ્લભસૂરિજીની પાસે શ્રી આત્મારામજી ઉર્ફે વિજયાનન્દસૂરિજીએ રચેલી નવતત્ત્વસંગ્રહની હાથપોથી વિષે વાતચીત નીકળતાં એમણે પંજાબના ભંડારોની એક સૂચી મને બતાવી. એમાં આ કૃતિનું નામ જોઈ મેં એ પણ મંગાવી આપવા વિજ્ઞપ્તિ કરી. આ અનેકાન્તવ્યવસ્થાની હાથપોથી આવતાં વેંત મને જોવા મળી ત્યારે મારા આનંદનો પાર રહ્યો નહિ. મેં મારે ખર્ચે એની એક નકલ ઉતરાવી લીધી અને એના સંપાદન માટે તૈયારી કરવા માંડી. “ગા. પો. ગ્રં.”માં એ છપાવવા માટે મેં એ સંસ્થાને વિજ્ઞપ્તિ કરી પરંતુ આ કૃતિ જો છપાવવી હોય તો સ્વપજ્ઞ વ્યાખ્યા સહિતની અનેકાન્તજયપતાકા જતી કરવાની શરત રજૂ કરાઈ એટલે આગળ ઉપર એ છપાવવાનો વિચાર કરવો પડ્યો. થોડેક વર્ષે શ્રીવિજયદર્શનસૂરિજીને મેં મારી નકલ બતાવી ત્યારે તેમણે મારી સંમતિ લીધા વિના મારી આ નકલ અન્યત્ર મોકલાવી એના ઉપરથી નકલ તૈયાર કરાવી લીધી. વિશેષ માટે “પંજાબકેસરી આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી' (પૃ. ૪૭-૪૮)માં જે મારો લેખ “સૂરિવર્યની શ્રુતભક્તિ” છપાયો છે તે જોવો. કાલાંતરે એ કૃતિનું સંપાદન શ્રીવિજયોદયસૂરિજીએ કર્યું અને એ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી અમદાવાદથી વિ સં. ૧૯૯૯માં પ્રકાશિત થઈ છે. વિ સં. આિનું પુનર્મુદણ “જિ. આ. ટ્રસ્ટ” વિ. સં. ૨૦૪૪મ કર્યું છે.] ૨૦૦૮માં એ કૃતિને સાખ્ય સિદ્ધાન્ત સુધીનો ભાગ અને બાકીનો ભાગ વિ. સં. ૨૦૧૪માં શ્રીવિજયલાવણ્યસૂરિકૃત તત્ત્વબોધિની નામની વિવૃતિ સહિત “વિજયલાવણ્યસૂરીશ્વરજ્ઞાનમંદિર' તરફથી છપાવાયો છે. [મુનિ યશોવિજયજી આનું સંપદાન સંશોધન કરી રહ્યા છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy