SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ P ૪૫ ૨ ૪૬ ૨૮ ત્રિષષ્ટિ, પર્વ ૧૦ ૮. વનમાં દાવાનલ |સર્ગ ૩, પૃ. ૫૩ સર્ગ ૩, પૃ. ૫૮ સર્ગ ૪, પૃ. ૬૭ ઘટના ૯. 'કટપૂતનાનો ઉપદ્રવ ૧૦.સંગમે ધારણ કરેલું હાથીનું રૂપ ૧૧. સંગમે રચેલી સુન્દરીઓનું પ્રલોભન સર્ગ ૪, પૃ. ૭૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯ ઘટના ભાગવત ૮. વ્રજમાં આગ અને કૃષ્ણનું | પૃ. ૮૬૬-૮૬૭ અગ્નિપાન ૯. પૂતનાનો વધ ૧૦. ‘કુવલયાપીડ’ હાથીનો નાશ ૧૧. રાસ-ક્રીડા Jain Education International અ. ૬, શ્લો. ૧–૯ પૃ. ૮૧૪ અ. ૪૩, શ્લો. ૧-૨૫ આમ જે ત્રિષષ્ટિ. અને ભાગવતમાં ઘટનાઓ રજૂ કરાઈ છે તેના સંક્ષિપ્ત સ્વરૂપ વિષે તેમ જ એ ઘટનાઓ પાછના દૃષ્ટિબિન્દુઓ સંસ્કૃતિમાં ભેદ તેમ જ આ ઘટનાઓની પરીક્ષા વિષે વાર તીર્થંર (પૃ. ૫૭-૮૬)માં વિચાર કરાયો છે. પૃ. ૯૪૭-૯૪૮ અ. ૩૦, ફ્લો. ૧-૪૦ પૃ. ૯૦૪-૯૦૭ રચનાસમય–ત્રિષષ્ટિની રચના ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ કુમારપાલની અભ્યર્થનાથી કરી છે એટલે આ ગ્રંથ એમણે ઉત્તરાવસ્થામાં રચ્યો હોવો જોઈએ. એના સમય તરીકે ડૉ. બીલ્લરે (Buhler) વિ. સં. ૧૨૧૬થી ૧૨૨૯નો ગાળો સૂચવ્યો છે. પૌર્વાપર્ય—ત્રિષષ્ટિ.ની પ્રશસ્તિ (શ્લો. ૧૮)માં કુમારપાલના મુખે નીચે મુજબની વાત રજૂ કરાઈ છે ઃ પૂર્વે આપે મારા પૂર્વ જ સિદ્ધરાજ નૃપતિની ભક્તિભરી વિજ્ઞપ્તિથી સુંદર વૃત્તિથી સુગમ એવું સાંગોપાંગ વ્યાકરણ સિ.હે. રચ્યું અને મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચ્યું તેમ જ લોકોને માટે ચાશ્રય (કાવ્ય), છન્દ (છન્દોડનુશાસન), અલંકૃતિ (કાવ્યાનુશાસન) અને નામસંગ્રહ વગેરે રચ્યાં . (હે નાથ !) તમે જાતે જ લોકો ઉ૫૨ ઉ૫કા૨ ક૨વાને માટે સજ્જ છો તો પણ મારી એ અભ્યર્થના છે કે મારા જેવાના બોધને માટે ત્રેસઠ શલાકાપુરુષનું વૃત્ત (ચરિત્ર) પ્રકાશો.લ વ સોમપ્રભસૂરિએ શતાર્થ-કાવ્યની સ્વોપન્ન વૃત્તિ (પૃ. ૧૨૪)માં નીચે મુજબનું જે પદ્ય રજૂ કર્યું છે એ દ્વારા જો એમણે ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના કૃતિકલાપનો ક્રમસર ઉલ્લેખ કર્યો હોય તો તે પણ આ દિશામાં પ્રકાશ પાડે છે અને એક પ્રકારે એમના સાહિત્યની સમીક્ષાની ગરજ સારે છે ઃ For Personal & Private Use Only ૧. જિનસેન બીજાએ રચેલા હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૪૨, પૃ. ૩૬૭)માં ‘કુપૂતના’ નામ છે. ૨. આ પુસ્તક “જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ'' તરફથી બનારસથી ઈ.સ. ૧૯૫૩માં પ્રસિદ્ધ કરાયું છે. ૩. આ કાવ્ય સ્વોપજ્ઞ વૃત્તિ સહિત ‘“પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રંથાવલિ'ના ગ્રં. ૨ માં પ્રસિદ્ધ થયું છે. એનું સંપાદન અમરવિજયજીના શિષ્ય ચતુરવિજયજીએ કર્યું છે. www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy