SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ છે, તેમ ધર્મરૂપી કામગવી પુન્યરૂપી કામગવી ઉજજવળ દૂધ આપવાના હેતુભૂત છે, ગાય જેમ ઘાસનો ચારો ચરનારી છે તેમ ધર્મરૂપી કામગવી પાપરૂપી ઘાસને ભક્ષણ કરવા વાળી છે, ગાય જેમ માર્ગ ઉન્માર્ગને જાણવાવાળી હોય છે તેમ ધર્મરૂપી કામગવી ભક્ષાભક્ષ, પેયાપેય, ગમ્યાગમ્ય, તતૂપ માર્ગ ઉન્માર્ગની જાણનારી છે, કિં બહુના? ઉજ્જવળ ગાયનું દૂધ જેમ ઉજ્જવળ અને ગુણકારી છે તેમ ધર્મરૂપી કામગવી મુક્તિરૂપી દૂધ આપનારી છે, માટે હે ભવ્ય જીવો! આલસ નિદ્રા પ્રમાદ, વિષય, કષાય, અહંતા, મમતા છોડીને તેર કાઠીયારૂપ ચોરોથીધર્મરૂપી કામગવીનું રક્ષણ કરો, ગાય તો આ ભવમાં જ દૂધ દહીં ઘી આપનારી છે, પરંતુ આ ધર્મરૂપી કામગવી સારી મનુષ્ય ગતિરૂપી દૂધ, દેવગતિરૂપ દહીં અને મુક્તિરૂપી ઘી આપનારી છે, વળી ગાયનું દૂધ,દહીં અને ઘી અતિશય ખાતાં કોઈક દિવસ રોગાદિક કરે છે, પણ આ ધર્મરૂપી કામગવી કાંઇપણ ઉપાધિ નહીં કરતા એકાંત સુખરૂપી મુક્તિને જ આપે છે, માટે ધર્મરૂપી કામગવીને નિરંતર સેવો. (ઉપદેશએક્સો તેતાલીશમો) ધર્મ એ જ તારણહાર અહો ! ભવ્યાત્માઓ! અરિહંત ભગવાન, વીતરાગ દેવ, ભવ્ય જીવોને ઉપદેશ આપે છે કે મનુષ્ય જન્મ પામ્યાનું ફળ એ છે કે ભોગવિલાસ ઉપર પ્રેમ અને કામરાગનો ત્યાગ કરો, બહેન, ભાઈ, પુત્ર-પુત્રી, સ્ત્રી, માતા-પિતા ઉપરથી સ્નેહસંગ ત્યાગ કરો, દૃષ્ટિરાગ મહાપાપિષ્ટ છે તેનો ત્યાગ કરો-એ ત્રણ રાગ આત્માથી દૂર થાય ત્યારે જ આ આત્મા ધર્મ કરવા ઉજમાળ થાય. ધર્મથી વ્યાધિઓ દૂર થાય, ઉપાધિઓ દૂર થાય, ગ્રહાદિકની કુરતા દૂર થાય, શત્રુ ભય દૂર થાય, સિંહ, વાઘ, વરૂ, ચોર, અગ્નિભયદૂર થાય, કિંબહુના? સર્વ પ્રકારે જય થાય. ધર્મ પ્રતાપે કાયા નીરોગી થાય, ધનની પ્રાપ્તિ થાય, નિર્મળ બુદ્ધિ થાય, કોઈપણ પ્રકારે કષ્ટ ૩૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy