SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સમયે ખપાવવાનું કર્મગ્રંથમાં કહ્યું છે અને તે સિવાયની ૧૬ પ્રકૃતિ, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યના, કષાયની, બે ચોકડી ખપાવતાં, વચમાં ખપાવે તેમ કહ્યું છે. ૨. આ ૧૫ પૈકી ૧૪ નામકર્મની પ્રકૃતિઓ, ચૌદમા ગુણઠાણાના વિચરમસમયે ખપાવે એમ કર્મગ્રંથમાં કહ્યું છે. અને જિનનામ, ૧૪માના ચરમસમયે ખપાવે, એમ કહ્યું છે કર્મગ્રંથનું કથન અન્ય ગ્રંથોની સાથે મળતું છે. પછી આઠ કષાયમાથી કહેલ શેષભાગ ખપાવે છે. પછી વિશ્રાંતિ લઈ કેવલજ્ઞાન થવામાં બે સમય બાકી રહે ત્યારે પહેલા સમયમાં નિદ્રા, પ્રચલા અને નામકર્મની, આ પ્રમાણેની ૧૫ પ્રકૃતિઓ, દેવગતિ, દેવાનું પૂર્વી, વૈક્રિય શરીરના નામકર્મ પહેલા સંઘયણ સિવાયના બીજા પાંચ સંઘયણો, અને પોતાના સંસ્થાના સિવાયના પાંચ સંસ્થાનો, તીર્થંકરનામકર્મ અને આહારક શરીરનામકર્મને ખપાવે છે, અને બીજા એટલે છેલ્લે સમયે, જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓ, દર્શનાવરણીની ચાર પ્રકૃતિઓ, અને અંતરાયકર્મની, પાંચ પ્રકૃતિઓ કુલ ૧૪ પ્રકૃતિઓ ખપાવી, કેવળજ્ઞાન પામે છે એ પ્રમાણે ક્ષપકશ્રેણીનું સ્વરૂપ છે. (ઉપદેશ એક્સોવીશમો) ક્યા ગુણઠાણે શું ક્ષય થાય ? ચોથું ગુણઠાણું આત્મા પામે ત્યારે મળ, કર્મ, મેલ, પરઠવવાનો ટાઇમ શરૂ થાય છે. ચોથે ગુણઠાણે દર્શનમોહનીયને ત્રણ પ્રકૃતિ, અને અનંતાનુબંધી કષાયની ચોકડી મળી સાતનો ત્યાગ થાય. પાંચમે ગુણઠાણે, અપ્રત્યાખ્યાની ચોકડીનો ત્યાગ થાય. છઠ્ઠા ગુણઠાણે, પ્રત્યાખ્યાની ચોકડીનો ત્યાગ થા. સાતમે ગુણઠાણે, પાંચ અગર આઠ પ્રમાદનો ત્યાગ થાય ૨૭૫) ૨૭૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy