SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ છે તે પ્રદેશના દક્ષિણ દિશાના ભાગે વેદિકાથી પંચાવન યોજન દૂર હસ્તિના કુંભસ્થળના આકારવાળું, બહુ દુઃખને આપનારું, પાપના સ્થાનભૂત, સાડા બાર યોજન પ્રમાણવાળું, પ્રતિસંતાપદાયક નામનું સ્થળ રહેલું છે, તે સ્થાપનનો ઉત્સધ ભાગ સાડાત્રણ યોજન લવણ સમુદ્રમાં રહેલો છે. ત્યાં અત્યંત ઘોર અંધકારવાળી, ઘડીયાળના આકાર જેવી ગોળ, છેતાલીશ ગુફાઓ રહેલી છે. તેમાં યુગે યુગે જળમનુષ્યો રહેલા છે. - જે જલમનુષ્યો વજઋષભનારાચ સંઘયણવાળા, સાડાબાર હાથના દેહ માનવાળા, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા, રૌદ્ર આકારવાળા, ખરાબ વર્ણવાળા, વિરૂપ અંગવાળા, સિંહના સમાન ઘોર દૃષ્ટિવાળા, હસ્તિના પેઠે પહોળા મુખવાળા, પરાક્રમ યુક્ત ભુજા વાળા, વજની પેઠે નિષ્ફર પ્રહારવાળા, સામસામા બહુ પ્રેમ કરનારા, સ્ત્રીને વિષે અતિ આસકત્ ઘોર આકારવાળા, સાક્ષાત્ યમના કિંકરો જેવા ત્યાં વાસકરે છે. તે જલમનુષ્યોની અંડગોલિકાને ગ્રહણ કરી, ચમરી ગાયોના ધોળા પુંછડાના વાળથી તેને ગુંથી, બન્ને કાનમાં દ્રઢ બાંધી, વણિક લોકો, મહામૂલ્યવાળા રત્નો લેવા સમુદ્રમાં પડે છે. ત્યાં જલચર જીવોના ભયનો ત્યાગ કરી, સમુદ્રમાં પડે છે. મહાન જાતિવંત રત્નોને ગ્રહણ કરી, સુખપૂર્વક ઉપર આવી શાંતિથી પોતાને ઘરે પહોંચે છે. તે અંડગોલિકાને ગ્રહણકરતી વખતે, દેહના અંતે કરનારી પીડા જલમનુષ્યનોજે ઉત્પન્ન થાય છે તે પીડાને દિન, મન, વચન, કાયાયુક્ત થઈ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા ઘોર કર્મને તે લોકો ભોગવે છે. મહાવીર મહારાજાને શ્રી ગૌતમસ્વામી પૂછે છે, હે ભગવન્! એવા સ્થાને જલમનુષ્યની અંડગોલિકા કેવી રીતેગ્રહણ કરે છે ? વીર પરમાત્મા કહે છે કે હે ગૌતમ ! મહાશૂરવીર પુરુષો બહુ ધીરવીરપુરુષો સન્નદ્ધબદ્ધ થઈ બકતર ધારણ કરી, વીકરાલ, તરવાર, M૧૪૫ ૧૪૫ ભાગ-૮ ફમ-૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy