SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નગરમાં વસ્ત્ર સહિત મોકલ્યો. હવે પોતાના સ્વામીના વિના ઘોડા સહિત રૂધીરથી ખરડાયેલ વસ્ત્રને દેખીને મંત્રીની સ્ત્રીએ વિચાર કર્યો કે મૃગયા રમવા ગયેલ મારા પ્રાણનાથને કોઈ સિહાદિકે મારી નાખ્યા. આવી રીતે ચિંતવના કરતી વ્રજથી હણાયેલીના પેઠે તુરત નીચે પડીને મરણ પામી, તે વાત રાજાએ જાણીને હા હા, હર્ષને ઠેકાણે ખેદ થયો એવું ચિંતવીને મંત્રીને મોઢે તે વાત કરી અને મહાનું ઉપાયે મંત્રીને મરતો બચાવ્યો. હવે બીજી સ્ત્રી કરવી નથી એવા નિશ્ચયવાળો તે યોગીનો વેષ લઈને પોતાની સ્ત્રીના હાડકાને ગંગામાં નાખવા ચાલ્યો અને બાર વર્ષે ગંગાનદી નજદીક કાંઠાને વિષે રહેલા મહારથપુર નગરને ગયો, ત્યાં શતરથ રાજા છે. તેને ભારતી નામની કન્યા છે. વળી ત્યાં વસનારા મહાસેન નામના શેઠીયાની શ્રીમતી નામની કન્યા છે. તે કન્યા અને રાજાની કન્યા બન્ને અરસપરસ પ્રેમવાળી છે. અન્યદા તે યોગી ભિક્ષાને માટે ભમતો ભમતોરાજમંદિર ગયો. ત્યાં ભિક્ષા આપવા આવેલ તે રાજયકન્યા યોગીને દેખી ચિત્રામણીની પુતળી જેવી થઈ જવાથીતેના હાથમાં ભોજન હતું, તેનેકાગડા લઈ ગયા અને યોગી પણ તેને દેખીને ચિત્રામણના જેવો થઇ ગયો આવું દેખીને ઝરૂખાને વિષે બેઠેલી શ્રીમતી બોલી કે – सापिच्छइ त सवयणं, जोगीपुण नाहि मंडलंतीए । पुव्वभवांतरनेहो, कागा चुग्ण्णंति काक्कुरं ॥१॥ | ભાવાર્થ : તે રાજકુમારી યોગીનું મોટું જુવે છે, અને યોગીપણ તેનું નાભિમંડળ જુવે છે તે પૂર્વ ભવાંતરના સ્નેહનું જ કારણ છે તે નેહથી જ કાગડા હાથમાંથી ભોજન લઇ ગયા.એમ બોલીને વળી પણ શ્રીમતિ બોલી કે – लेवे योगी पंचकण, क्या हठ मांडया वार । जिण जिण गलिए तुं फिरे, सो किम जीवे नार ॥१॥ ભાવાર્થ : હે યોગી ! આ પાંચ કણના દાણા લે. તે આ અવસરે શું હઠ પકડી છે ? કારણ કે જે જે ગલ્લીમાં તું ફરે છે. તે સ્ત્રી જીવે ૨૫૬ ૨૫૬ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005492
Book TitleVividh Vishay Vicharmala Part 06
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy