SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ - [વિજ્યપઘસકૃિતરાગ મદ ને મેહ હીન મુનિ ઘાસના સંથારમાં, બેઠાં છતાં જે શાંતિ પામે તે ન ચકી રાજ્યમાં. ૫૦ સ્પષ્ટાથી–નિજગુણાનંદી એટલે પિતાના જ્ઞાન દર્શનાદિ ગુણોમાં રમણતા કરવામાં આનંદ પામનારા સાધુ મહારાજાઓ નિર્મલ શીયલ ગુણ, સંતોષ એટલે કેઈ પણ જાતના લભ રહિત, તેમજ સાદાઈ એટલે છળ પ્રપંચ અથવા માયા કપટ શરીરની શોભા વગેરેથી રહિતપણું તથા સમતા એટલે રાગ દ્વેષ રહિતપણું જ્યાં છે તેવા ચારિત્રનું પાલન કરતા મુક્તિ (પ્રશાંતિ) રૂપી ઉદ્યાનમાં રમે છે. ભાવાર્થ એ છે કે નિજગુણાનંદી મુનિરાજોને મોક્ષનાં સુખ મળે છે. આવા ગુણવાળા એટલે રાગ, અભિમાન, તથા મહાદિ દોષોથી રહિત સાધુઓ ઘાસના સંથારામાં બેઠેલા હોય તે છતાં જેવી શાંતિને ભગવે છે તેવી શાંતિ ચક્રવર્તીને રાજયના સુખોથી હોતી નથી. કારણકે તે ચકના રાજ્યમાં અશાંતિના કારણે અને શાંતિના શત્રુઓ રાગ દ્વેષાદિના કારણે ઘણાં પ્રમાણમાં રહેલા છે માટે તેવા રાજ્યમાં શાંતિ ક્યાંથી હોય ? ૫૦ ઇંદ્રને પણ તે નથી સુખ જે મુનિને સંયમે, તેહ સુખ સ્વાધીન અક્ષય વિષય કક્ષા ના દમે; લેશથી પણ ભય નથી ત્યાં તેહ આધ્યાત્મિક સુખી, મુનિરાજ છે આધાર તેને જે કર્મોદય કુખી. ૫૧ સ્પદાર્થ–સાધુ મુનિરાજને ચારિત્રની અંદર જે સુખ છે તે સુખ ઈન્દ્રને પણ નથી. કારણ કે ઈન્દ્ર, ચકવર્તી વગેરેને સુખનાં જે સાધને છે તે પદગલિક સુખનાં સાધનો ક્ષણભંગુર અને દુઃખના કારણ હોવાથી ખરાં સુખરૂપ નથી પરંતુ સુખ ભાસન કરાવનારાં છે. તેથી જ બીજા અજ્ઞાની મૂઢ સંસારી જીવોને ઇન્દ્ર અને ચક્રવતીંનાં સુખો મેળવવાની ઈચ્છા રહે છે. વળી તે સુખ પણ નાશવંત છે. કારણ કે ઈન્દ્રપણું કે ચકીપણું કાયમ રહેતું નથી. તે તો અમુક મુદત સુધી જ ટકે છે. તે જ સુખ ખરું સુખ છે કે જે સુખ સ્વાધીન હોય છે અથવા આત્મામાંથી જ ઉત્પન્ન થએલું હોય છે. વળી જે અક્ષય એટલે નાશ પામનારૂં નથી. એટલે એક વાર મળ્યા પછી કઈ વાર પણ જતું રહેવાનું નથી. વળી તે ચારિત્રમાં વિષયકાંક્ષા એટલે ઈન્દ્રિયોના વિષય ભેગવવાની ઈચ્છાને દબાવેલી છે તેથી તે ચારિત્રવંત જીવને સંસારિક સુખેને ભોગવવાની લેશ પણ ઈચ્છા હતી નથી. વળી જેને કઈ પણ જાતને જરા પણ ભય નથી તેથી તેજ જીવ આધ્યાત્મિક સુખી એટલે આત્માના ગુણોની રમણતાને આનંદ ભેગવનાર પરમ સુખી છે. આવા મુનિરાજ જે જે પાપકર્મોના ઉદયથી દુખી છે તે જીવેના આધાર રૂપ છે. અથવા દુઃખી જીવોને આ સાધુ મુનિરાજ ખરા આધાર રૂપ છે. કારણકે તેઓ ભાવદયાના ગુણે કરીને દુઃખને નાશ કરવાને ને સુખી થવાને ખરે રસ્તો બતાવે છે, ને તે રસ્તે દુઃખી જીવને પ્રયાણ કરાવીને સુખિયા બનાવે છે. પ૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy