SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજ્યપઘસરિકૃતકરવાને ચાહું છું. આ મારી વિનતિને સ્વીકારીને કૃપાળુ એવા આપ બને મને ચારિત્ર લેવાને માટે રજા આપો. ૩૫ રાજકુમારે માતાપિતાની રજા મેળવી ગુરૂ પાસે લીધેલ દીક્ષા વગેરે બીના બે કેમાં જણાવે છે – પુત્રના દઢ ભાવ જાણું તે અનુજ્ઞા આપતા, ભાવના અનમેદતા ઉત્સવ કરે રંગે પિતા; ફલાથી તરૂ પાસ આવે આવતા ગુરૂની કને, હાથ જોડી શુદ્ધ ભાવે માગતા ચારિત્રને. ૩૬ સ્પષ્ટાર્થ–પુત્રના ચારિત્ર લેવાના દઢ ભાવને એટલે અડગ નિશ્ચયને જાણીને માબાપે રાજકુંવરને દીક્ષા લેવાની રજા આપી. અને તેની આ શુભ ભાવનાની પ્રશંસા કરીને આને દથી મોટા ઉત્સવ પૂર્વક પુત્રને તેમણે દીક્ષા મહોત્સવ કર્યો. આ રીતે અનુક્રમે રાજકુમાર પુરૂષસિંહ જેમ ફલ મેળવવાની ઈચ્છાવાળો પુરૂષ ઝાડની પાસે જાય છે તેમ વિજયનંદન ગુરૂની પાસે ઉદ્યાનમાં આવ્યા. ને તેમને વાંદીને વિનયથી બે હાથ જોડીને ચારિત્રને દેવા માટે માગણી કરી. એટલે હે ગુરૂદેવ! મને કૃપા કરીને ચારિત્ર આપે આ રીતે પિતાની ઈચ્છા જણાવી. ૩૬ સરિ વિધિએ આપતા દીક્ષા કુંવરને બેધતા, હુવિધ શિક્ષા દિવસ ચર્યા સાધુની સમજાવતા; અપ્રમાદી ચરણમાં એકાદિ સ્થાનક સાધતા, જિનનામ કર્મ નિકાચતા એકાદશાંગી1 જાણતા. સ્પાઈ–ત્યાર પછી આચાર્ય મહારાજે રાજકુંવરને વિધિપૂર્વક દીક્ષા આપીને દુવિધ શિક્ષા એટલે ગ્રહણશિક્ષા તથા આસેવન શિક્ષા એમ બે પ્રકારની શિક્ષાને ઉપદેશ આપ્યો. તેમાં ગ્રહણુશિક્ષા એટલે ગ્રહણ કરેલા વ્રતનું સારી રીતે પાલન કરાવનારી શિક્ષા જાણવી. તે પછી સાધુની દિવસચર્યા એટલે દિવસે કયારે કયારે શું શું કરાય તેની સમજણ આપી. સુસાધુ થએલા રાજકુંવર પુરૂષસિંહ મુનિએ પણ અપ્રમાદી એટલે પ્રમાદને તજીને ચારિત્રનું પાલન કર્યું અને એગ્ય સમયે તેમણે વીસ સ્થાનક તપ માંહેના એકાદિ એટલે બે ત્રણ આદિ સ્થાનકોની (૧૦) સારી રીતે સાધના કરી. ને જિનનામ કમને નિકાચિત બંધ કર્યો. આ પ્રસંગે યાદ રાખવું જોઈએ કે “જિનનામ કર્મને નિકાચિત બંધ પૂર્વના ત્રીજા મનુષ્ય ભવેજ કરાય છે. ત્યાર પછી દેવ અથવા નારકીનું આયુષ્ય ભોગવીને તીર્થકર થાય છે. પણ પ્રાયે મનુષ્યમાંથી મનુષ્ય થએલા તીર્થકર થાય નહિ.” વળી તે પુરૂષસિંહ મુનિરાજે આચારાંગ વગેરે અગિયાર અંગોને (૧૧) અભ્યાસ કર્યો. ૩૭ ૩૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy