SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ચોથા ] આત્મવલ્લાસ વૈરાગ્યાદિ સદ્દગુણ જલધિને, ચંદ્ર જેવા એ વિશે ચીકણાં બહ કર્મને. ૯૭, સ્પષ્ટાથ–શ્રી જિનેશ્વર પ્રભુના વચન-શિવમાગ સાધન એટલે મોક્ષમાર્ગની આરાધના કરવામાં સાધન રૂપ જાણવાં. અને આ જિનેશ્વરદેવનાં વચનો પ્રમાદાદિ બાધકને એટલે મોક્ષમાર્ગની આરાધના કરવામાં અડચણ કરનારા દેષોને દૂર કરે છે. તથા આ વચનોથી જૈનધર્મની આરાધનામાં વૃદ્ધિ થાય છે. તેમજ ધર્મની આરાધના કરવામાં સ્થિરતા એટલે નિશ્ચલપણું થાય છે. વળી તેનાથી આત્મશુદ્ધિને પણ પામે છે. તેમજ આ જિનેશ્વર દેવે કહેલાં વચને આત્મવિલાસ એટલે આત્માની શક્તિને ઉ૯લાસ પમાડે છે. એટલે વધારે છે તથા વૈરાગ્ય વગેરે સગુણે રૂપી સમુદ્રના કલ્લોલને વધારવામાં ચંદ્ર જેવા જિનવચન છે. કહેવાને ભાવાર્થ એ છે કે જેમ પૂર્ણિમાના ચંદ્રને લીધે સમુદ્રમાં ભરતી આવે છે તેમ આ જિનવચનરૂપી ચંદ્રવડે આત્માની શક્તિ, વૈરાગ્ય ગુણરૂપી સમુદ્રમાં પણ ભરતી આવે છે એટલે તેવા આત્મિક ઉત્તમ ગુણેને વધારે થાય છે. તેમજ આ જિનરાજનાં કહેલાં વચનેથી ઘણું ચીકણાં કર્મોને પણ નાશ થાય છે. ભાન ચૂકેલા સુધારે ધ્યાનધારા સાંધતા, દુર્ગતિ અટકાવતા સદ્દગતિ સુખો શિવ આપતા. શીલ સમતા સંયમે શાંતિ અપૂર્વ જગાવતા, નિજ ગુણાનંદી બનાવે ભાવ રોગ મટાડતા. સ્પષ્ટાઈ–વળી આ જિનેશ્વરદેવે કહેલાં વચન ભાન ભૂલેલા એટલે આત્મસ્વરૂપને ભૂલી ગએલા જીવોને સુધારે છે–એટલે ધર્મ માર્ગે જોડે છે. અને શુભ ધ્યાનની ધારાને સાંધે છે. એટલે કે જિનેશ્વર દેવનાં વચનની સહાય વડે ધ્યાન દ્વારા એટલે શુભ ધ્યાનની ધારા સંધાય છે–એટલે તૂટતી નથી પણ ચાલુ રહે છે. તથા દુર્ગતિ એટલે નરકગતિ તથા તિર્યંચગતિમાં જતાં જીને અટકાવીને દેવગત્યાદિક શુભ ગતિનાં સુઓને તથા મેક્ષનાં સુખને આપે છે. તેમજ શ્રી જિનવચને શીલ ગુણવડે, સમતા ભાવવડે તથા સંયમ એટલે ચારિત્રવડે અપૂર્વ આત્મિક શાંતિને જગાડે છે એટલે પ્રાપ્ત કરાવે છે. વળી આ જિનવચને નિજ ગુણાનંદી બનાવે છે. નિજગુણ એટલે આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણેના અપૂર્વ આનંદને પમાડે છે. એટલે જિનવચનેને સાંભળનારા જીવો પિતાના ગુણેમાંજ રમણતા કરનારા થાય છે અને આત્માનું પુદગલાનંદીપણું મટાડે છે. વળી આ જિનવચને રાગ-દ્વેષ અજ્ઞાન વગેરે ભાવ રોગને નાશ કરે છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે જિનેશ્વરનાં વચનને અનુસારે ચાલવાથી આત્માના ખરા શત્રુ અને ભાવગ સ્વરૂપ આઠ કર્મોને જરૂર નાશ થાય છે. ને તેથી આત્માની શુદ્ધ નિર્મળ દશા પ્રગટ થાય છે. પ્રભુશ્રી અભિનંદન સ્વામીએ શ્રી જિન ધર્મના પ્રભાવાદિને જણાવવાના -૧૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy