SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ દશનાચિંતામણિ ભાગ ચ ] માગનારી!) હજુ સુધી તું તારું ચરિત્ર છેડતી નથી.” ત્યારે તેણે જવાબ આપ્યો કે “મેં કઈ પણ વખત તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, હું કઈ વખત કરવું વચન પણ બેલી નથી, અને શા માટે કારણ વિના મને ઠપકો આપે છે?” એમ બલીને ક્રોધથી અશ્રપાત કરતી તેણે તપાવેલા તેલથી ભરેલો લેઢાને તો મારી ઉપર ફેંકો. તેમાંથી ઉછળતા તેલના બિંદુઓ એટલાં બધાં મારા શરીર ઉપર પડયાં કે મારા શરીરની બધી ચામડી નાશ પામી ગઈ પછી હું ભયથી એકદમ નાસીને મહા મુશ્કેલીઓ મારી માના ઘરમાં પેસી ગયો, ત્યાં જતાંજ હું મૂછ ખાઈને પડી ગયું. મારા સ્વજનોએ મને શત પાક તૈલ વિગેરે ઉપચાર કરીને સાજો કર્યો. પછી મેં સર્વ કુટુંબને સત્ય વૃત્તાન્ત કહીને સાધુ પાસે આવી ધર્મોપદેશ સાંભળી વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી. અત્યારે પણ તે ભયનું મને સ્મરણ થયું.” તે સાંભળી અભયકુમાર બોલ્યો કે “હે પૂજ્ય! તમે તે બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના ભયથી રહિત છે, પણ અમે જ કર્મના સમૂહથી ભારે થતા સર્વ ભયની મધ્યે રહીએ છીએ.” ઈત્યાદિ ઘણી રીતે તેમની પ્રશંસા કરીને અભયકુમારે રાત્રીપસહ પૂર્ણ કર્યો. સૂર્યોદય થયે ત્યારે મંત્રી ઉપાશ્રયની બહાર નીકળ્યા. ત્યાં કાયોત્સર્ગમાં તત્પર અંત:કરણવાળા સુસ્થિત મુનિના કંઠમાં પેલે હાર જોઈને તેણે વિચાર્યું કે “અહે ! રાત્રીના દરેક પ્રહરે તે ચારે મુનિઓ “મહાભય પ્રાપ્ત થયું” એમ બોલ્યા હતા તે સત્ય છે; કેમકે નિસ્પૃહ મુનિઓને તે કાંચન મહાભય રૂપજ છે. અહે! સાધુઓની નિર્લોભતા કેવી છે! રાજ્ય સમાન દિવ્ય હાર જોઈને પાંચમાંથી કેઈએ લગાર પણ લોભ કર્યો નહી. ખરેખર સર્વ ભયે લોભમાંજ રહેલાં છે.” આ પ્રમાણે વિચરી સુસ્થિત મુનિને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને તથા સ્તુતિ કરીને રાજ્યકુમાર બોલ્યા કે “અહે ! તમેજ ખરેખરો લેભને જીત્યો છે.” પછી તે હાર મુનિના ગળામાંથી પિતેજ ઉતારીને હર્ષ પામતા રાજસભામાં જઈ શ્રેણિક રાજાને આપ્યું અને રાતે બનેલી તમામ બીના જણાવી. તે સાંભળીને રાજાએ મંત્રીને કહ્યું કે-મુનિઓના ગુણની પ્રશંસા વગેરે કરવાથી અનંત ભોના દુ:ખ ચિંતાદિકને અને આ ભવના પણ દુઃખ ચિંતાદિકને જરૂર નાશ થાય છે. આ રીતે મેં ટૂંકામાં જે કાર્યોત્સર્ગનું સ્વરૂપ જણાવ્યું, તે પ્રમાણે શ્રીમહાબલ રાજર્ષિ કાર્યોત્સર્ગ તપને ઉલ્લાસથી આરાધતા હતા. અને ચોમાસામાં સ્થિરતાથી ધ્યાન કરતા. અહીં ધ્યાન શબ્દના અર્થ સ્વરૂપ વગેરેનું ટૂંકામાં આ રીતે જાણવું -“ અન્તર્મુહૂર્ત માત્ર જે એકાગ્ર ચિત્તપણું તે ધ્યાન કહેવાય છે. તેવું ધ્યાન ઘણા કાળનાં બાંધેલાં કર્મોનો ક્ષય કરવામાં કારણભૂત છે.” આ અર્થને પુષ્ટિ કરનારૂં સિદ્ધાન્તનું વાકય પણ છે કે – અંતમુહુરમિત્ત, ચિત્તાવસ્થાણુમેગવત્કૃમિ | છઉમથાણું ઝાણું, જેગનિરેહો જિણાણે તુ . ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy