SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] આવવું નહી, છાયામાં અથવા તડકે આવવું નહી, અદ્ધર રહીને અથવા પગે ચાલીને આવવું નહીં, માગે કે ઉન્માર્ગે આવવું નહી, અને સ્નાન કરીને અથવા સ્નાન કર્યા વિના આવવું નહી.” આ પ્રમાણેને હુકમ સાંભળીને હકે કંઠ સુધી સ્નાન કર્યું, અને ગાડાના પિડાંના બે ચીલાના મધ્ય ભાગને રસ્તે, નાના ઘેટા ઉપર બેસીને માથે ચાલણીનું છત્ર ધારણ કરીને, સંધ્યા સમયે અમાવાસ્યા ઉપરાંત પડવાને દિવસે તે રાજાની પાસે ગો. ત્યાં “ખાલી હાથે રાજાનું, દેવનું અને ગુરુનું દર્શન કરવું નહીં.” એવી કશ્રતિ (લોકમાં ચાલતે વ્યવહાર ) જાણીને માટીને એક પિંડ હાથમાં રાખીને રાજાને પ્રણામ કરી તે પિંડ રાજાની પાસે ભેટ તરીકે ધર્યો. રાજાએ પૂછયું કે “હે હક! આ તું શું લાવ્યો ? ” તેણે જવાબ આપ્યો કે “હે દેવ! તમે પૃથ્વીના પતિ છો, તેથી હું પૃથ્વી લાવ્યો છું.” તે સાંભળીને રાજા પ્રસન્ન થયો. તે રાત્રે રાજાએ રોહકને પિતાની પાસે સુવાડો. રાત્રીને પહેલો પ્રહર ગયો ત્યારે રાજાએ તેને બોલાવ્યો કે “અરે રેહક! તું જાગે છે કે ઉઘે છે?” તે બોલ્યો કે “દેવ! જાણું છું.” રાજાએ પૂછયું કે “શું વિચાર કરે છે?” રોહક બે કે “હે દેવ ! હું એ વિચાર કરતો હતો કે–પીપળાના પાંદડાનું ડીંટ મોટું કે તેની શિખા મટી?” તે સાંભળીને રાજાને પણ સંશય થયો. તેથી તેણે કહ્યું કે “તેં ઠીક વિચાર કર્યો, પણ તેને નિર્ણય શો કર્યો?” તે બોલ્યો કે “જ્યાં સુધી શિખાનો અગ્ર ભાગ સૂકાઈ ન જાય ત્યાં સુધી બન્ને સરખાં હેચ છે.” પછી બીજો પ્રહર પૂર્ણ થતાં રાજાએ પૂછયું કે “અરે ! જાગે છે કે ઊંઘે છે?” રોહક બે કે “દેવ! જાણું છું.” રાજાએ પૂછયું કે “શું વિચાર કરે છે ?” ત્યારે તે બે કે “હે દેવ! બકરીના પેટમાંથી જાણે સરાણે ઉતારેલી હોય તેવી તેની લીંડીઓ બરાબર ગોળ થઈને બહાર નીકળે છે, તેનું શું કારણ?” રાજાએ રોહકને જ તેનું કારણ પૂછયું ત્યારે તે બોલ્યો કે “બકરીના ઉદરમાં સંવતક નામને વાયુ રહે છે, તેના પ્રભાવથી લીંડીઓ એવી ગોળ થાય છે. પછી રેહક સુઈ ગયો. રાજાએ ત્રીજે પ્રહરે રોહકને બોલાવ્યું કે “અરે જાગે છે કે ઉંઘે છે?” તે બોલ્યો કે “જાગું છું.” રાજાએ પૂછયું કે “શું વિચાર કરે છે?” તે બોલ્યો કે “હે દેવ! ખીસકેલીનું જેટલું મોટું પૂછડું છે તેટલું જ તેનું શરીર પણ હશે કે કોઈ નાનું મોટું હશે?” રાજાએ તેને નિર્ણય તેને જ પૂછો, ત્યારે તે બોલ્યો કે “હે દેવ ! બંને સરખાં હોય છે. પછી રોહક સૂઈ ગયે. રાજા પ્રાતઃકાળે જાગે, ત્યારે રેહકને બેલા, પણ નિદ્રાવશ હેવાથી તેણે જવાબ આપ્યો નહી. ત્યારે રાજાએ કીડાથી રેહકને સટી લગાડી, એટલે રોહક જાગી ગયો. રાજાએ પૂછયું કે “અરે કેમ ઉંઘે છે?” તે બોલ્યો કે દેવ જાણું છું. રાજાએ કહ્યું “કે ત્યારે કેમ ઘણીવારે બેલ્યો ? રહકે જવાબ આપ્યો કે “હે દેવ ! હું વિચાર કરતો હતો કે રાજા કેટલા પુરુષોથી ઉત્પન્ન થયે હશે ? (રાજાને કેટલા બાપ હશે?) તે સાંભળીને રાજા લજજા પામીને જરાવાર મૌન રહ્યો. પછી થેલીવારે પૂછયું કે “અરે,બોલ ! હું કેટલા પુરુષથી ઉત્પન્ન થયો છું ? “પાંચ પુરુષથી.” ફરીથી રાજાએ પૂછયું કે “કયા કયા પાંચથી ?” તે બોલ્યો કે” એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy