SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ક૨૦ [ શ્રી વિજયપધસૂરિકૃતત્યારે ગુરૂએ સર્વ વિદ્યા મંત્રના બીજરૂપ નવકાર મંત્રને જાણીને તેને તે મંત્ર આપ્યું. અને તેની સાધનાને વિધિ પણ આ પ્રમાણે કહ્ય-કૃષ્ણ પક્ષની ચૌદશને દિવસે ઉપવાસ કરી તે દિવસે અધીર રાત્રિએ વનમાં જઈ વડ વૃક્ષ ઉપર કાચા સૂત્રનું શીકું બાંધવું, તેની નીચે પ્રથ્વી પર કંડ કરી તેમાં અગ્નિ સળગાવ. પછી વડની શાખા ઉપર બેસી આ મંત્રનો એક ને આઠ વાર જપ કરવો. જપ થઈ રહે ત્યારે સાહસને ધારણ કરી કદકે મારી શીંકા ઉપર પડવું. આટલું કરવાથી આકાશ ગામિની વિદ્યા સિદ્ધ થશે. આ પ્રમાણે સર્વ વિધિ મનમાં ધારીને ધનમિત્ર વનમાં જઈ વડની શાખા ઉપર કાચા સૂત્રનું શીંકુ બાંધી તેની નીચે પૃથ્વી પર કંડ કરી તેમાં અગ્નિ સળગાવી વડની શાખા ઉપર બેસી મંત્રને જપ પૂર્ણ કર્યો. પછી શીકા ઉપર પડવાને વખતે તેને ભય લાગ્યો-“હા ! હા! મહાકણ છે. જે કદાચ આ કાચા સૂત્રનું શીકું ટુટી જાય તે હું અગ્નિમાં જ પડું.” આમ વિચારી વિદ્યા સાધ્યા વિના જ તે વડ ઉપરથી નીચે ઉતર્યો. ફરીથી સાહસનું અવલંબન કરી ઉપર ચડી જપ પૂર્ણ કરી શકા ઉપર પડવાનો વખત આવ્યો ત્યારે ફરીથી ભય પામ્યો, તેથી ફરીથી નીચે ઉતર્યો. એમ ત્રણ વાર તે ચડયો અને ઉતર્યો. આ અવસરે કઈ ચેર કેઈક ધનિકના ઘરમાં પેસી રત્નના અલંકારની પેટી લઈને નાઠો. તરતજ તે વૃત્તાંત જાણી કેટવાળ તેની પાછળ દેડ. તેને આવતો જોઈ ચેર નાસીને વનમાં આવ્યો. ત્યાં વડની નીચે પ્રકાશ જોઈ તેની પાસે આવ્યો. ત્યાં તેણે ધનમિત્રને વારંવાર વડ ઉપર ચડવાનું ને ઉતરવાનું કારણ પૂછયું. ધનમિત્રે તેને વિદ્યા સાધવાનું કારણ કર્યું. તે સાંભળી ચારે વિચાર્યું કે આ અત્યંત બીકણ જણાય છે. ઉપકારીના વચન ઉપર પણ સંશય કરે છે.” એમ વિચારીને તેણે ધનમિત્રને કહ્યું કે-“તમે મારા ગુરૂ થાઓ. મને વિદ્યા આપે. આ અલંકારની પેટી ગુરૂ દક્ષિણ તરીકે તમે રાખે.” તે સાંભળી મંત્રની પ્રતીતિ કરવાના હેતુથી ધનમિત્રે તેને મંત્ર આપે. તે ચરે તે દિવસે કાંઈ પણ ખાધું નહોતું, તેથી તરતજ શાખા પર ચડી મંત્ર જપ કરી શીંકા ઉપર પૃપાપાત કર્યો. તરત જ આકાશગામિની વિદ્યા સિદ્ધ થઈ. તે આકાશમાં રહીને જ જોવા લાગ્યો. તેટલામાં કોટવાળે આવી આજ ચોર છે.” એમ ધારી ધનમિત્રને પકડ, અને બાંધીને વિટંબણા પૂર્વક તેને લઈ જવા લાગ્યા. તે ચેરે જોયું. તેથી તે આકાશમાં રહીને જ બે કે-“હે લેકે! આ ધનમિત્ર મારે ગુરૂ છે. તેને કષ્ટ આપવાથી હું તમને સર્વને કષ્ટ આપીશ. તેથી તેને છોડી મૂકે. મેં ચેરેલું ધન મેં તેનેજ આપ્યું છે. તે પણ જે તે અર્ધ ધન આપે તો તે ભલે આપે.” તે સાંભળી કેટવાળ ભય પામ્યા. તેથી ધનમિત્રને સત્કાર પૂર્વક ગામમાં લાવ્યો. છે ઈતિ આકાશ ગામિની વિદ્યાને સાધનાર ચોરનું દૃષ્ટાંત છે (૪) નમસ્કારના મહાઓ ઉપર શ્રીમતીની કથા. - સૌરાષ્ટ્ર દેશમાં કઈ ગામને વિષે એક શ્રાવક હતો. તેની પુત્રી શ્રીમતી નામની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy