SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૨૨ ર૯૪ [ શ્રી વિજ્યપધસૂરિકૃતસમજવાળા (૧૩૯) હતા તથા મુનિએ સત્તર પ્રકારે સંયમને (૧૪૦) સાધતા હતા. તે આ પ્રમાણે–૧-૫ પાંચ મહાવ્રત, ૬-૧૦ પાંચ ઇંદ્રિયને જય, ૧૧-૧૪ ચાર કષાને જય, ૧૫-૧૭ મને દંડ વગેરે ત્રણ દંડથી નિવૃત્તિ. વળી ધર્મ બે ભેદે હ-૧ દેશવિરતિ ધર્મ તે શ્રાવકને ધર્મ, અને બીજે સર્વવિરતિ ધર્મ તે સાધુને ધર્મ જાણવો. અથવા ધર્મના દાન, શીયલ, તપ અને ભાવ એમ ચાર પ્રકાર ( ૧૪૧ ) પણ કહેલા છે. અને સાધુઓ શ્વેત વર્ણના તથા માને પેત વસ્ત્રો ધારણ કરતા હતા. (૧૪૨) તેમજ વૃષભદેવ ભગવાનને ૮૩ લાખ પૂર્વ પ્રમાણ ગૃહસ્થ પર્યાય હતે. ( ૧૪૩ ) ત્યાર પછી ભગવંત દીક્ષા લીધી. ૨૨૧ સહસ વર્ષે ઉણ ઈગ લખ પૂર્વ પ્રભુજી કેવલી, ૪૪ વ્રતકાલ પૂરવ લાખ૪૫ ચકરાશી સકલ આયુ૧૪૬ વલી; ત્રણ વર્ષ સાડી આઠ મહિના શેષ૧૪૭ ત્રીજા આરના, અંતમાં૧૪૮ ઉપવાસ ષકે૧૪૯ નાથ પર્યકાસના.૧૫૬ સ્પષ્ટાથ–પ્રભુ શ્રીઋષભદેવને જેમાં એક હજાર વર્ષો બાદ કરેલા છે તેવા એક લાખ પૂર્વ પ્રમાણ કેવલી પર્યાય (૧૪૪) જા . એટલે પ્રભુ શ્રી ઋષભદેવ કેવલજ્ઞાન થયા પછી કંઈક ન્યૂન એક લાખ પૂર્વ સુધી કેવલીપણે વિચાર્યા હતા અને પ્રભુને દીક્ષા પર્યાય એક લાખ પૂર્વ પ્રમાણ (૧૪૫) જાણ. એટલે દીક્ષા લીધા પછી ત્રષભદેવ ભગવાન તેટલો કાલ સાધુપણે વિચર્યા હતા. તથા પ્રભુનું ૮૪ લાખ પૂર્વ (૧૪૬ ) પ્રમાણુ સંપૂર્ણ આયુષ્ય હતું. તેમજ પ્રભુ ઋષભદેવ મોક્ષે ગયા તે વખતે અવસર્પિણી કાલના ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડી આઠ મહિના (૧૪૭) બાકી રહ્યા હતા. વળી તે પ્રભુએ નિર્વાણ વખતે (૧૪૮) ૬ ઉપવાસ (૧૪૯) કરેલા હતા. અને મોક્ષે જતી વખતે પ્રભુ પર્યકાસને (૫૦) એટલે પલાંઠી વાળીને કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા હતા. ૨૨૨ માહ વદની તેરસેપ પૂર્વદ્વા૫ અભિજિત ૫૩ મકરમાં,૧૫૪ દશ સહસ પરિવાર ૫૫ સહ અષ્ટાપદે ૫૬ પ્રભુ મેક્ષમાં જાતા શરીર ત્રણ ભાગમાંના ભાગ બે અવગાહના,૧૫૭ મુક્તિમાર્ગ વહ્યો પ્રવાહ૧૫૪ અસંખ્યાત પુરૂષતણા. ૨૩ સ્પષ્ટાર્થ–જ્યારે પ્રભુ સર્વ કર્મોને ક્ષય કરીને મોક્ષે ગયા, ત્યારે મહા વદ તેરસનો દિવસ (૧૫૧) હતું. અને તે વખતે પૂર્વાહ્ન એટલે દિવસને પહેલે ભાગ (૧૫૨) વર્તત હતા, તથા અભિજિત નક્ષત્ર (૧૩૩)ને મકર રાશિ (૧૫) હતી. તેમજ પ્રભુ મોક્ષે ગયા ત્યારે તેમની સાથે દશ હજાર મુનિઓને પરિવાર (૧૫૫) મેલે ગયે હતો. અને પ્રભુ શ્રી આદિનાથ અષ્ટાપદ પર્વત (૧૫૬) ઉપર મોક્ષે ગયા હતા. મેક્ષે જતી વખતે પ્રભુના શરીરની અવગાહના બે તૃતીયાંશ ભાગ પ્રમાણુ (૧૫૭) હતી. સામાન્ય નિયમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy