SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ ] જન્મ આપે નાભિર૯ નૃપની શ્રીમરૂદેવી૩૦ મુદા, જનક નાગકુમાર સુર૧ જનની લહે શિવ સંપદાર મેરૂ વગેરે સ્થાન૩૩ છપ્પન દિકુમારીકા તણું, આઠ૩૪ કૃત્યે તેમના દશ૩૫ સર્વ સહ૩૬ ઇંદ્ધિના. ૨૦૩ સ્પષ્ટાથે–આ વખતે અવસર્પિણી કાલના ત્રીજા આરાને છેવટને (૨૧) ભાગ હતો. તે વખતે ત્રીજે આરે પૂરો થવામાં ચોરાસી લાખ પૂર્વ ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના જેટલો કાલ (૨૨) બાકી હતા. તે વખતે ધનુરાશિ (૨૩) અને ઉત્તરાષાઢા (૨૪) નક્ષત્રના ચંદ્ર પેગમાં ચૈત્ર મહિનાની વદ આઠમના દિવસે (૨૫) અર્ધરાત્રીને વખતે ( ર૬ ) કેશલા દેશની (૨૭) ઈફવાકુ નામની ભૂમિને વિષે (૨૮) નાભિ રાજાની ( ૨૯ ) શ્રી મરૂદેવી નામે ( ૩૦ ) રાણીએ સુખ પૂર્વક પુત્રને જન્મ આપે. આ પ્રથમ તીર્થંકર ઋષભદેવના પિતા નાભિ રાજા કાલધર્મ ( મરણ ) પામીને નાગકુમાર દેવ (૩) થયા અને પ્રભુ આદિનાથની માતા મરૂદેવા શિવસંપદા એટલે મોક્ષની લહમીને પામ્યા. (૩૨) હવે જ્યારે પ્રથમ તીર્થપતિને જન્મ થયો ત્યારે મેરૂ વગેરે સ્થાનમાં રહેનારી (૩૩) એટલે ઉર્ધ્વક વાસી અધોલેકવાસી તથા રૂચક દ્વીપમાં વસનારી એવી છપ્પન દિકકુમારીકાઓ પ્રભુની માતાનું સૂતિકર્મ કરવાને આવે છે. તેમને મુખ્ય આઠ કર્તવ્યો (૩૪) કરવાના હોય છે. તે આઠ કર્તવ્ય આ શ્રીદેશના ચિંતામણિના બીજા ભાગના ૨૬મા પાને કહ્યા મુજબ જાણવા. એ પ્રમાણે દિકુમારીકાઓ પિતપોતાના ૮ કાર્યો કરીને જ્યારે પિતાપિતાને સ્થાને ( વિમાનાદિમાં ) જાય છે ત્યારે પ્રભુને સ્નાત્ર મહોત્સવ કરવાને ચોસઠ ઈન્દ્રો (૩૫) આવીને દશ કાર્યો (૩૬) કરે છે. તે દશ કાર્યો આ શ્રી દેશનાચિંતામણિના બીજા ભાગના ર૭મા પાને કહ્યા મુજબ જાણવા. ૨૦૨-૨૦૩ એહ બાબત ચાર સરખી સર્વ તીર્થ સાર્થને, ગોત્ર કાશ્યપ૩૭ વંશ ઈક્વાકુ વૃષભ૩૯ અભિધાન એક ત્રણ કારણે પ્રભુ વ્રત ધુરાના વહનથી તિણ વૃષભ૪૦ એ, દેખવાથી પ્રથમ સ્વપ્ન વૃષભનેતિણ વૃષભ એ. ૨૦૪ સ્પષ્ટાથે–આ ૩૩ થી ૩૬ સુધીની ચાર બાબતે સર્વ તીર્થકરમાં પણ સરખી જ જાણવી. ઋષભદેવ પ્રભુનું કાશ્યપ ગોત્ર (૩૭) હતું. તેમને ઈક્ષવાકુ નામે વંશ (૩૮) હતા. તેમનું નામ વૃષભદેવ (૩૯) હતું. પ્રભુનું વૃષભ નામ પાડવાનાં ત્રણ કારણે હતાં. તેમાં પ્રથમ કારણ આ પ્રમાણે –જેમ વૃષભ ગાડાની ધુંસરીને વહન કરે છે ( ઉપાડીને ચાલે છે ) તેમ પ્રભુ શ્રીવૃષભદેવ મહાવ્રત રૂપી ધુરા એટલે ધુંસરીના ભારને વહન કરે છે એ કારણથી પ્રભુનું વૃષભ નામ પડયું. (૪૦) બીજું કારણ આ પ્રમાણે–પ્રભુ જ્યાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy