SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયપધરિકૃતરક્ત હતા. પરંતુ એક યોગપટ્ટ ઉપર તેને ઘણી પ્રીતિ થઈ હતી. તે યોગપટ્ટ વિના કઈ પણ સ્થાને તેને પ્રીતિ ઉપજતી નહોતી. ગપટ્ટ એટલે ઉભી પલાંઠી વાળીને કેડ તથા પગને સાથે બાંધવામાં આવતું સુતરનું વસ્ત્ર સમજવું. તે ગપટ્ટ ઉપરની મૂછ તેણે તછ નહી. જિનેન્દ્રોએ તો મૂછને જ સમસ્ત પરિગ્રહનું મૂળ કારણ કહેલું છે. તે મૂછનું પાપ તેણે મૃત્યુ વખતે પણ સમ્યગ્ન પ્રકારે આલેચ્યું નહી. તેથી તે સૂરિ કાળ કરીને અનાર્ય દેશમાં આરબના મ્લેચ્છ કુળમાં રાજપુત્ર થયા. ત્યાં તેના શરીરપર ગપટ્ટના આકારનું ચિન્હ થયું. તલ, લાખું વિગેરે ચિન્હની જેમ તે ચિન્હ જોઈને સર્વે માણસે વિસ્મય પામ્યા; કારણ કે આવું ચિન્હ કેઈ વખત જોવામાં આવ્યું ન હતું, અને તેનું કારણું તે માત્ર જ્ઞાનીજ જાણે તેમ હતું. અહીં તેના શિષ્યોને સંયમ અને તપના બળથી અનુક્રમે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયાં. તે જ્ઞાનવડે પિતાના ગુરુની શી ગતિ થઈ છે?” તે જોતાં મ્લેચ્છ કુળમાં તેમની ઉત્પત્તિ જાણીને તે શિષ્યો વિચારવા લાગ્યા કે “અહો ! ધનાદિક વિના માત્ર સ્વ૯૫ મૂછ પણ આ પ્રમાણે વ્રતભંગના ફળને આપનારી થઈ પડી, એવી મૂછને ધિક્કાર છે, તેમજ તેવી મૂછની અનાલોચના (આલોચના નહિ લેવી તે)ને પણ ધિક્કાર છે. પણ હવે આપણે તેમને સર્વ ધર્મ પમડાવે કરીને તેમને ઉદ્ધાર કરી પ્રત્યુપકાર કરવો જોઈએ. સ્થાનાંગ સૂત્રમાં પણ “તિહું દુષ્પડિયાર” ત્રણ પદાર્થોને પ્રતિકાર થઈ શકે નહિ, ઈત્યાદિ કહેલું છે. એમ વિચારીને તે શિષ્ય તુરક્કની વાણી તથા અરબ શાસ્ત્ર ભણવા લાગ્યા. પછી મ્લેચ્છ લોકોમાં માન્ય થાય એ વેષ ધારણ કરીને અને પિતાને યતિવેષ ગોપવીને તે દેશ તરફ તેઓએ વિહાર કર્યો. અનુક્રમે અનાર્ય દેશ આવ્યા, ત્યાં સર્વ સ્થાને નિર્દોષ આહારદિક મળશે નહી, એમ જાણીને તે સર્વે એ માસક્ષપણ વિગેરે તપ અંગીકાર કર્યું. પછી જ્યાં પોતાના ગુરુ ઉત્પન્ન થયા હતા ત્યાં આવ્યા, અને કુરાનમાં જે જે નિર્દોષ વિષયે હતા તેનું આલંબન કરીને વૈરાગ્યની યુક્તિથી ઉપદેશ કરવા લાગ્યા, તેથી તેઓ ઘણા લોકોની સ્તુતિને યુગ્ય થયા. અનેક જનેનાં મુખથી તેમની પ્રશંસા સાંભળીને તે રાજપુત્ર પણ તેમની પાસે આવવા લાગ્યો. તે સાધુઓની વાણી સાંભળીને રાજપુત્રને ઘણે હર્ષ થયો. તે કોઈ કોઈ વાર એકજ ત્યાં આવતે, અને કઈ કઈ વાર પરિવાર સહિત આવતે. મુનિએ પણ એકાંતમાં તે રાજપુત્રને પોતાને સાધુવેશ દેખાડતા હતા. એકદા સાધુઓની ક્રિયા, વેષ, ગપટ્ટપી નિશાની, મુનિનાં વાક્ય અને પિતાના પૂર્વભવન વૃત્તાંત સાંભળીને તેને જાતિસ્મરણ થયું, એટલે તેણે વિચાર્યું કે “ અહો ! મને ધિક્કાર છે કે મેં યોગપટ્ટ સંબંધી પ્રાયશ્ચિત્ત લીધું નહી. તેથી હું ત્રણ રત્નો (સમકિત, જ્ઞાન ને ચારિત્ર) હારી ગયું અને માત્ર ગપટ્ટની મૂછથી પરમાત્માના ધર્મથી રહિત હીન જાતિમાં ઉત્પન્ન થયો. આ સર્વે મારા શિષ્યો છે, તેઓએ મારા પર ઘણે ઉપકાર કર્યો છે, કેમકે તેઓ આહારાદિકને પણ ત્યાગ કરીને મારે માટે નિઃસ્પૃહપણે આવું ઉગ્ર તપ કરે છે. તેમને અહીં આવ્યા ઘણું દિવસ થઈ ગયા છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy