SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ દશનાચિંતામણિ ] ૨૫ પુસ્તક, સંઘ, ચિત્ય, તપ, સાધુ, શ્રાવક અને સમાચારીની દેશથી આશાતના કરે તે આંબિલ અને સર્વાશાતનામાં પ્રત્યેકે ઉપવાસ; (૫) દેરાસરની અંદર તંબેળ ખાવું, જલ પીવું, ભોજન કરવું ઈત્યાદિ દશ પ્રકારની ચિત્યની આશાતના દેશથી થાય તે આંબિલ, સર્વથી આશાતના થાય તો ઉપવાસ; (૬) સામાન્ય મિથ્યાત્વ ક્રિયા કરે તે પરિમ, ઉત્કૃષ્ટથી આંબિલ અન્યતીથિકના દેવ ગુરુનું વંદન પૂજન કરે, શ્રાદ્ધ સંવત્સરી કરે, માંડલા માંડે, ઉતાર મૂકે ઈત્યાદિ બાદર મિથ્યાવ એક વાર કરવાથી પ્રત્યેકે એક એક ઉપવાસ, વારંવાર તેવી કરણી કરે તે પ્રત્યેકે દશ દશ ઉપવાસ; (૭) સાધર્મિકની સાથે અપ્રીતિ કરે તે જઘન્યથી એકાસણું, મધ્યમથી આંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ (૮) સ્થાપનાચાર્યની પડિલેહણ ન કરે તે પુરિમઠ્ઠ, પડી જાય તે એકાસણું, ખોવાઈ જય તે ઉપવાસ; (૯) પ્રતિમાની અંગુલી વગેરે પિતાના પ્રમાદથી નષ્ટ થાય તો દશ ઉપવાસ; (૧૦) સૂક્ષ્મપણે દેવદ્રવ્યને ઉપભેગા થઈ જાય તે જઘન્યથી પુરિમટ્ટ, મધ્યમથી ઉપવાસ અને પ્રમાદથી વારંવાર ભેગમાં લે તો દશ ઉપવાસ. દેવદ્રવ્ય ભક્ષણ કરીને જે મનુષ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહી તે સંકાશ શેઠ, સાગર શેઠ વિગેરેની જેમ અનેક દુઃખસંતતિને પામે છે. પૃથ્વીપર પડી ગયેલાં પુષ્પ પ્રમાદથી પ્રભુને ચડાવે તે આંબિલનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવાથી છેડા તાવડે શુદ્ધિ થાય છે, અને જે ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત ન લે તે તે માતંગના પુત્રની જેમ ઘણું દુઃખ પામે છે. છે તે માતંગપુત્રની હકીકત ટૂંકામાં આ રીતે જાણવી છે કામરૂપપટ્ટણમાં કઈ ચાંડાળને ઘેર દાંતવાળે પુત્ર ઉત્પન્ન થયે. તે જોઈ તેની માતાએ ભય પામીને ગામ બહાર જઈ તે પુત્રને તજી દીધો. તેવામાં તે નગરને રાજા ફરવા નીકળ્યું હતું તેણે તેને દીઠે, એટલે પરિજન દ્વારા પિતાના મહેલમાં લઈ જઈ તેને ઉછેર્યો. અનુક્રમે તે યુવાવસ્થા પામે. પ્રાંતે રાજાએ તેને જ ગાદી પર બેસાડીને દીક્ષા લીધી. તે રાજર્ષિ અનુક્રમે જ્ઞાની થયા, એટલે પુત્રને પ્રતિબંધ કરવા ત્યાં આવ્યા. રાજાને ખબર થતાં તે મોટી સમૃદ્ધિથી ગુરુને વાંદીને પાસે બેઠે. તેવામાં તે ચાંડાલની સ્ત્રી પણ ત્યાં આવી ગુરુને વાંચીને બેઠી. તે માતંગીને જોઈને રાજા હર્ષ પામ્યો અને તે માતંગી પણ રાજાને જોઈને હર્ષ પામી. તેના રોમાંચ વિકસિત થયા અને તત્કાળ તેના બન્ને સ્તનમાંથી દૂધની ધારા નીકળી. તે જોઈને રાજાએ આશ્ચર્ય પામી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી ! મારા દર્શનથી આ માતંગીના સ્તનમાંથી દૂધ કેમ નીકળ્યું ?” મુનિ બોલ્યા કે “હે રાજા ! આ માતંગી તારી માતા છે. તેણે તને જન્મતાંજ ગામ બહાર તજી દીધો હતો, ત્યાંથી મેં લઈને તારું પાલન કર્યું હતું, અને મારે પુત્ર નહી હોવાથી તેને રાજ્ય આપ્યું હતું.” તે સાંભળીને રાજાએ પૂછયું કે “હે ગુરુ ! કયા કમથી માતંગ કુળમાં મારે જન્મ થ? અને ક્યા કર્મથી મને રાજ્ય મળ્યું?” મુનિ બેલ્યા કે “તું પૂર્વ ભવે શ્રીમાન અને વિવેકી શ્રેણી હતો. એકદા જિનેન્દ્રની પૂજા કરતાં એક સુગંધી પુષ્પ પદ્માસન ૩૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy