SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધરિકૃતઆવા પ્રકારના ગુરુને પામીને અવશ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. કદાપિ આલેચના લેવા જતાં માર્ગમાંજ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે તો પણ તેને આરાધક જાણુ. આલેઅણપરિણ, સમ્મ સંપદુિઓ ગુરૂસગાસે જઈ અંતરાવિ કાલ, કરિન્જ આરાઓ તહવિ . ૧ અથ–“આલોયણા પરિણત (આલોયણા લેવાને તત્પર) થયો છતો, ગુરુ પાસે જવાને સમ્યફ પ્રકારે સંપ્રસ્થિત થયેલ હોય એટલે માર્ગે પડયો હોય એ મુનિ કદાપિ માર્ગમાં પણ કાળ કરે તે પણ તે (આલોયણ લીધા વિના પણ) આરાધક છે.” જે કદાચિત આચાર્ય વિગેરેની જોગવાઈ ન મળે તો સિદ્ધની સાક્ષીએ પણ આલોયણું લેવી. કહ્યું છે કે – આયરિઆઈ સગચ્છ, સંભેઈઅ ઇઅર ગીયWપાસત્યે સાવી પછાકડ, દેવ ય પડિમા અરિહસિધ્ધ ૧ છે અર્થ–“સ્વગચ્છના આચાર્યાદિક, સાંગિક, ઈતર, ગીતાર્થપાસન્થ સાપિક, પશ્ચાતકૃત, દેવ, પ્રતિમા, અહંન્ત, અને સિદ્ધની સાક્ષીએ ઉત્તરોત્તર અભાવે આલેચના લેવી.” આ ગાથાને વિસ્તારાર્થ એ છે કે-સાધુ અથવા શ્રાવકે અવશ્ય પ્રથમ પિતાનાં ગચ્છના આચાર્ય પાસે આલોચના લેવી, તેના અભાવે (તે જે ન મળે તો) ઉપાધ્યાય પાસે, તેના અભાવે પ્રવર્તક પાસે, તેના અભાવે સ્થવિર પાસે અને તેના અભાવે ગણાવછેદક પાસે (જે કઈ ગચ્છમાં મોટા હોય તેની પાસે) આલોચના લેવી. પિતાના ગચ્છમાં ઉપરના પાંચે અભાવ હોય તો સાંગિક એટલે સમાન સમાચારીવાળા બીજા ગચ્છના આચાર્ય વિગેરે પાંચેની પાસે અનુક્રમે એક એકના અભાવે આલોચના લેવી. તેમના અભાવે ઈતર અસાંગિક એટલે જુદી સમાચારીવાળા સંવિગ્ન ગ૭માં તેજ કમે આલો. ચના લેવી. તેમના પણ અભાવે ગીતાર્થપાસત્થ એટલે ગીતાર્થ થયા પછી પાસથ્થા થઈ ગયેલ હોય તેની પાસે, તેના અભાવે ગતાર્થ સારુપિક એટલે વેતવસ્ત્રધારી, મુંડ, બદ્ધકચ્છ રહિત, રજોહરણ રહિત, બ્રહ્મચર્ય સહિત, સ્ત્રીવર્જિત, ભિક્ષાવડે ભોજન કરનાર એવાની પાસે અથવા શિખા ધારણ કરનાર અને ભાર્યાવાળા સિદ્ધપુત્રની પાસે, તેના અને ભાવે ગીતાર્થ પશ્ચાતકૃત એટલે ગીતાર્થ થયા પછી ચારિત્રના વેષને તજીને સ્ત્રીવાળા થયેલા ગૃહસ્થ પાસે આલોચના લેવી. આવા પાસસ્થાદિકને પણ આયણ લેતી વખતે ગુરુની જેમ વંદનાદિક વિધિ કરે; કેમકે ધર્મનું મૂળ વિનય છે. જે કદાચ પાસસ્થાદિક પિતે પિતાને હીન ગુણવાળા સમજીને વંદનાદિક કરવાની ના કહે, તે તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરી આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy