SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી વિજ્યપઘાસરિકૃતિહતા, તેથી તેના પ્રાયશ્ચિત્ત માટે તેમણે મૌનવ્રત ધારણ કર્યું. શીલસન્નાહ મુનિ વિહાર કરતાં કરતાં એકદા પી રાજાના નગરની બહાર ઉદ્યાનમાં આવ્યા. તેમને વાંદવા માટે પી રાજા સામન્તાદિક સહિત ઉદ્યાનમાં આવ્યો. ત્યાં ગુરુની દેશના સાંભળીને પીરાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે શીલસન્નાહ મુનિ સમેતશિખર ગયા. ત્યાં જિનેશ્વરેને વંદના કરીને એક શિલાપટ્ટ ઉપર સંથારો કરી સંલેખના કરવા તૈયાર થયા. તે વખતે સ્પી સાધ્વી બેલ્યા કે “હે ગુરુ! મને પણ સંલેખના કરો.” ગુરુ બોલ્યા કે “ભવસંબંધી સર્વ પાપોની આલોચના લઈને શલ્ય રહિત થયા પછી ઈચ્છિતકાર્ય કરે, કેમકે જ્યાં સુધી શલ્ય ગયું ન હોય ત્યાં સુધી બહુ ભવ ભ્રમણ કરવું પડે છે. અહીં એક દષ્ટાંત કહું તે સાંભળ-“કેઈક રાજાના અશ્વના પગમાં ખીલે વાગ્યું હતું, તેનો નાને સરખો કકડો અંદર ભરાઈ રહ્યો હતો, તેથી તે અશ્વ અતિ કૃશ થવા લાગ્યો. રાજાએ તેને માટે અનેક ઉપચાર કર્યા પણ તે નિષ્ફળ ગયા. પછી એક કુશળ પુરુષે તે અધના આખા શરીરે આછા આછા કાદવ પડે એટલે જે ઠેકાણે શલ્ય હતું તે ભાગ ઉપસી આવ્યો. તે જોઈને તે પુરુષે તેમાંથી નખહરણીવતી તે શલ્ય કાઢી નાખ્યું. એટલે તે અશ્વ સ્વસ્થ થયો.” વળી હે સાધ્વી ! બીજું દૃષ્ટાંત કહું તે સાંભળો–“એક તાપસ હતું. તેણે એકદા અજાણ્યું ફળ ખાધું, તેથી તે રોગગ્રસ્ત થયું. પછી દવા માટે વૈદ્ય પાસે ગયો. વૈધે શું ખાધું છે? એમ પૂછયું ત્યારે તાપસે સત્ય વાત કહી દીધી; તેથી તે વૈદ્ય તેને વમન તથા વિરેચન આપીને સાજો કર્યો. આ પ્રમાણે સાંભળીને તે સ્પી સાધ્વીએ માત્ર એક દષ્ટિવિકાર (શિલસન્નાહ સામું વિકાર દષ્ટિએ જોયું હતું તે) વિના બીજાં સર્વ પાપની આલોચના લીધી. ગુરુએ કહ્યું કે “પ્રથમ સભામાં તે મારી સામું સરાગ દષ્ટિએ જોયું હતું તેની આલોચના કર.” તે બોલી કે “તે તે મેં સહજ નિર્દભપણે જોયું હતું” તે સાંભળીને ગુરૂએ તેને ઉપદેશ આપવા માટે લમણા રાજપુત્રીનું દૃષ્ટાંત આ રીતે કહી સંભળાવ્યું કે ગઈ ઉત્સર્પિણીમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામના નગરને વિષે જંબુદાડિમ નામના રાજની લક્ષમણું નામે યુવાન પુત્રી હતી. તે સ્વયંવર મંડપમાં એક ગ્ય પતિને વરી. તેના પાણિગ્રહણ વખતે ચેરીમાંજ તેનો પતિ અકસ્માત મરણ પામે; તેથી લક્ષમણ અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. તેના પિતાએ તેને શિખામણ આપી કે “હે પુત્રી ! કર્મની વિચિત્ર ગતિ છે, માટે વિલાપ કરવાથી શું મળવાનું છે? તેથી તું જીવિત પયત શીલનું પાલન કર.” ઈત્યાદિ કહીને રાજાએ તેને શાંત કરી. એકદા શ્રીજિનેશ્વર તે રાજાના ઉદ્યાનમાં સમવસર્યા. ભગવાનની દેશનાથી બેધ પામીને રાજાએ પુત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી. લક્ષમણ સાથ્વી પિતાની ગુરુણી (પ્રવત્તિની) પાસે રહીને સંયમ પાળવા લાગી. એકદા ગુણીજી (મહત્તરા) ના કહેવાથી તે વસતિ શોધવા ગઈ. ત્યાં ચકલાના મિથુનને ચુંબનાદિ પૂર્વક કામક્રીડા કરતું જોઈને તેણે વિચાર્યું કે “પતિથી વિગ પામેલી મને ધિક્કાર છે! અહે! આ પક્ષીઓ પણ પ્રશંસા કરવા લાયક છે કે જેઓ સાથે રહીને નિરંતર કીડા કરે છે. ૧ ધર્મદેશનાદિ શુભ નિમિત્ત વિના ન બોલવું એ પ્રમાણેનું મૌનવ્રત જાણવું. ૨ ભાષામાં “નરેણું કહેવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy