SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સના ચિંતામણિ ] વૃત્તાંત જાણતા હોય તે તમારી આજ્ઞાથી કહી બતાવે તેમ કરે.” તે સાંભળીને અધ્યાપકે તેનું વૃત્તાંત જે જાણતા હોય તેને કહેવાની આજ્ઞા આપી; એટલે મંગળકુંભે તે પુરૂષવેષને ધારણ કરનાર પિતાની પ્રિયા છે, એમ ઓળખીને સિંહ સામંત વિગેરે સર્વના સાંભળતાં પિતાના વિવાહ વિગેરેનું પૂર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજપુત્રીએ સિંહસામંતને કહ્યું કે “આજ મારે પતિ છે, અને તેને શોધવા માટે જ હું પુરૂષનો વેષ ધારણ કરીને અહીં આવી છું.” સિંહ સામંતે કહ્યું કે “જે તેજ તારો પતિ હોય તો તું નિશંકપણે તેની સેવા કર.” પછી એ વાત રાજાને જણાવીને તેની આજ્ઞાથી ક્યસુંદરી સ્ત્રીને વેષ ધારણ કરી પિતાને સાસરે ગઈ, અને તેની સાથે મંગળકુંભ વિલાસ કરવા લાગ્યો. એકદા ગેલેક્યસુંદરીની પ્રેરણાથી મંગળકળશ રાજાની આજ્ઞા લઈને ચંપાનગરીએ ગયો. રાજા પણ પિતાની પુત્રીના મુખથી તેનું સર્વ વૃત્તાંત સાંભળીને હર્ષિત થઈ બે કે “હે પુત્રી ! તેં તારું કલંક દૂર કર્યું.” પછી રાજાએ પિલા દુષ્ટ કાર્ય કરનાર મંત્રીને મારવાને હુકમ કર્યો. તે વખતે મંગળકળશે વિનંતિ કરીને તેને છોડાવ્યો. પછી પુત્રરહિત એવા તે રાજાએ મંગળકળશને રાજ્ય પર બેસાડી પોતે યશભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. મંગળકળશને રાજ્યનું પ્રતિપાલન કરતાં જયશેખર નામને પુત્ર થયે. એકદા જયસિંહ નામના આચાર્યને ઉદ્યાનમાં આવેલા સાંભળીને મંગળકલશે પ્રિયા સહિત ગુરુ પાસે જઈ તેમને વંદના કરી. તેમની દેશના સાંભળ્યા પછી મંગળકળશે પૂછયું કે “ગુરુ! હું ક્યાં કર્મથી આવા પ્રકારની વિવાહવિંડબના પામ્યો? તથા કયા કર્મથી મારી પ્રિયાને દૂષણ પ્રાપ્ત થયું?” સૂરિએ કહ્યું કે “પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠ પુરમાં સોમચંદ્ર નામે એક કુળપુત્ર રહેતે હતો. તેને શ્રીદેવી નામની પત્ની હતી, અને જિનદેવ નામને એક શ્રાવક મિત્ર હતું. એકદા ધનકાંક્ષી જિનદેવ ધન ઉપાર્જન કરવાના હેતુથી દેશાંતર જવા તૈયાર થયે; તે વખતે તેણે પિતાના મિત્ર સેમચંદ્રને પોતાનું ધન સાત ક્ષેત્રમાં વાપરવા માટે આપ્યું. તેના ગયા પછી સેમચંદ્ર મિત્રના કહેવા પ્રમાણે તેનું દ્રવ્ય સાત ક્ષેત્રમાં ખ. તેજ પુરમાં શ્રીદેવીની એક બહેનપણી ભદ્રા નામની હતી. તેને પતિ કેઈક કર્મથી કુષ્ટી થશે. તે વાત ભદ્રાએ એક વખત પિતાની સખી શ્રીદેવીને કહી. ત્યારે શ્રીદેવીએ હાસ્ય કરીને કહ્યું કે “હે સખી ! તારા સંગથી તારે પતિ કુષ્ટી થયે.” તે સાંભળીને ભદ્રા પિતાના મનમાં અતિ દુઃખી થઈ. તે જાણીને થોડી વારે શ્રીદેવી બેલી કે “હે સખી ! ખેદ ન કરીશ, મેં તે તને મશ્કરીમાં કહ્યું છે.” એમ કહીને તેણે ભદ્રાને આનંદિત કરી. પછી સાધુના સંગથી તમે દંપતી શ્રાદ્ધધર્મ પામી તેનું પાલન કરી સમાધિવડે કાળ કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ઍવીને સેમચંદ્રને જીવ તું રાજા થયે, અને શ્રીદેવીનો જીવ દૈલોક્યસુંદરી થયે. તેં પૂર્વભવે પરદ્રવ્યથી - પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેથી આ ભવમાં ભાડાવડે તું રાજપુત્રીને પરણ્ય, અને આ શ્રેલેક્યસુંદરીએ હાસ્યથી પણ સખીને કલંક આપ્યું હતું, તેથી આ ભવે કલંક પ્રાપ્ત થયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy