SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજ્યપઘસરિતપ્રતિબિંબ ત્રણ વ્યંતર હવે ભામંડલાદિક દીપતા, વાછત્ર વાગે અગ્નિ ખૂણે સાધુ આદિક શાભતા; નિત્યમાંહી ત્રિવિધ દેવી ત્રિવિધ સુર વાયવ્યમાં, વિમાનિકાર આદિ ત્રણ પણ પર્ષદા ઇશાનમાં. ૧૧૮ પદાર્થ –તે સિંહાસન ઉપર પ્રભુ પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને બેસે છે. તે વખતે વ્યન્તર દેવતાઓ બાકીની પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં પ્રભુના ત્રણ પ્રતિબિંબને સ્થાપન કરે છે. તેથી પ્રભુ ચારે દિશામાં ઉપદેશ આપતા હોય તેમ જણાય છે. વળી પ્રભુની પાછળ ભામંડલ શોભે છે. પ્રભુની આગળ બંને બાજુ બે બે દેવે ચામર ઢાળે છે. આ પ્રસંગે દેવતાઈ વાજિંત્રો વાગે છે. સૌથી અંદરના ગઢના અગ્નિ ખૂણામાં સાધુ વગેરે બેસે છે. એટલે અગ્નિખૂણામાં પ્રથમ સાધુ બેસે છે. તેમની પાછળ વૈમાનિક દેવીઓ ઉભી રહે છે અને તેમની પાછળ સાધ્વીઓ ઉભી રહે છે. નૈઋત્ય ખૂણામાં વિવિધ દેવીઓ એટલે ત્રણ પ્રકારના દેવની દેવીઓ બેસે છે. તેમાં પ્રથમ ભવનપતિની દેવીઓ, તેમની પાછળ વ્યક્તી દેવીએ અને તેમની પાછળ તિષીની દેવીએ બેસે છે. ત્રણ પ્રકારના દેવે વાયવ્ય ખૂણામાં બેસે છે. તેમાં પ્રથમ ભવનપતિ દે, પછી વ્યક્તર દેવે અને તેમની પછી જ્યોતિષી દે બેસે છે. તથા ઈશાન ખૂણામાં વૈમાનિક દેવ વગેરે ત્રણ પર્ષદાઓ બેસે છે. તેમાં પ્રથમ વૈમાનિક દે, તેમની પાછળ મનુષ્ય અને તેમની પાછળ મનુષ્યની સ્ત્રીઓ બેસે છે. એ પ્રમાણે કુલ બાર પર્ષદા જાણવી. ૧૧૮ ત્રણ ગઢને વિષે કણ કણ રહે છે તે કહે છે: પ્રથમ ગઢમાં સંધ તિમ તિર્યંચ બીજા ગઢવિષે, વાહને ત્રીજા ગઢ તિમ હરિ સ્તવે ભક્તિવશે, પ્રભુ! સકલને મદદ કરતા આપ તિમ નિષ્કારણે, વાત્સલ્ય ધરતા સર્વની પર તિણ નમું છું આપને. ૧૧૯ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે સૌથી અંદરના પ્રથમ ગઢને વિષે બાર પર્ષદાઓ બેસે છે. બીજા ગઢની અંદર હાથી, ઘેડા, સિંહ, વાઘ વગેરે તિર્યચે પરસ્પરના વૈરભાવને તજી દઈને શાંતિ પૂર્વક બેસે છે. તથા ત્રીજા ગઢને વિષે વાહને એટલે દેવાના વિમાન વગેરે તથા રથ વગેરે રહે છે. જ્યારે પ્રભુ સિંહાસન ઉપર બેસે છે, તે અવસરે ઈન્દ્ર મહારાજ ઉભા થઈને ભક્તિ પૂર્વક પ્રભુની સ્તુતિ કરે છે. તે સ્તુતિ આ પ્રમાણે –હે પ્રભુ આપને જગતના સઘળા જી ઉપર દયા ભાવ હોવાથી તમે તેમને મેક્ષમાર્ગની આરાધના કરવામાં મદદ કરે છે. તેમજ તમે સઘળા જી ઉપર બદલો લેવાનું કારણ નહિ છતાં પણ વાત્સલ્ય એટલે સ્નેહભાવ ધારણ કરે છે. આવા ગુણવાળા હે પ્રભુ! હું આપને નમસ્કાર કરું છું. ૧૧૯. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy