SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયપધરિકૃતછે. તેવી રીતે જીવને વિષય સુખ ભોગવતાં કાલ્પનિક સુખ લાગે છે, પરંતુ અંતે તે તે સુખ જીવને દુર્ગતિમાં જ લઈ જાય છે અને સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ આપે છે. ૯૨ પ્રભુ સંસારનું સ્વરૂપ વિચારે છે અને દીક્ષા સમય જાણી લોકાંતિક દેવ આવે છે તે બીના જણાવે છે— ઉખર માં મિષ્ટ જલના સમ મનુજ ભવ પામતા, પણ મૂઢ જી વિષયસેવી વ્યર્થ તેહ ગુમાવતા; અવધિ નાણે જાણતા લોકાંતિકામર આવતા, | તીર્થ પ્રવર્તાવે જિનેશ્વર ! એમ જિનને વિનવતા. ૯૩ સ્પાઈ–ઉખર ભૂ એટલે ખારી જમીનમાં મીઠું પાણી મળવું દુર્લભ છે તેની જેમ આ સંસારમાં મનુષ્ય ભવ પામ ઘણો દુર્લભ છે. તે દુર્લભ મનુષ્ય ભવ પામ્યા છતાં પણ મેહમાં મુંઝાએલા મૂખ જી વિષયમાં આસક્ત બનીને તે મનુષ્ય ભવ ફોગટ ગુમાવે છે અને આત્માને હિતકારી કોઈ પણ ધર્મકાર્ય કરતા નથી, એ પ્રમાણે સંસારનું સ્વરૂપ પ્રભુ વિચારે છે. તે વખતે લોકાંતિક દેવ પ્રભુને દીક્ષા લેવાને સમય અવધિજ્ઞાનથી નજીક છે એમ જાણીને પિતાને આચાર હેવાથી પ્રભુ પાસે આવીને નમીને, બે હાથ જેડીને પ્રભુને વિનંતિ કરતાં કહે છે કે “હે જીનેશ્વર ! આપશ્રી ધર્મતીર્થ પ્રવર્તાવે. એ પ્રમાણે વિનંતિ કરીને દેવે સ્વસ્થાને જાય છે. ૯૩ પ્રભુએ કરેલા સાંવત્સરિક દાનનું વર્ણન બે લોકોમાં કરે છે – દીક્ષા દિવસથી વર્ષ પૂર્વે વર્ષિદાન શરૂ કરે, દેવભૂંભક ગિરિ પ્રમુખના દવ્યને સ્થાપન કરે, નગરી તણા ત્રિક આદિમાં કનકાદિના ઢગલા કરે, દાનની ઉદ્દધોષણ પ્રભુદાસ નગરીમાં કરે. ૯૪ સ્પષ્ટાથે દીક્ષા લેતાં પહેલાં પ્રભુ એક વર્ષ સુધી દાન આપે છે તે વર્ષીદાન અથવા સાંવત્સરિક દાન કહેવાય છે. તે વખતે પ્રભુને દાન આપવા સારૂ જભક જાતિના દે પર્વત વગેરે સ્થળે રહેલું દ્રવ્ય લાવીને નગરના ત્રણ રસ્તા જ્યાં ભેગા થતા હોય તે ત્રિક વગેરે અને જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય તે ચોક વગેરે મુખ્ય મુખ્ય સ્થળોમાં સેનૈયા વગેરેના ઢગલા કરે છે. ત્યાર પછી પ્રભુના સેવકે નગરીમાં “પ્રભુ દેવ જેમને જેટલું ધન જોઈશે તેટલું ધન આપશે” એવી ઉદઘોષણા મોટા સ્વરથી કરે છે. ૯૪ એક કેડી આઠ લખનું દાન પ્રભુ પ્રતિદિન કરે, ત્રણસેં અયાશી કોડ એંશી લાખ વર્ષે વિસ્તરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy