SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. હું શ્રી તીર્થકર દેવે ફરમાવેલા અહિંસા સંજમ અને તપ મય ધર્મનું શરણું અંગીકાર કરું છું. તે ધર્મ ઈંદ્રાદિથી પૂજાએલ છે. મેહરૂપી અંધકાર દૂર કરવા માટે સૂર્યના જેવો છે. અને રાગદ્વેષનું ઝેર દૂર કરવા મંત્રના જેવો છે, તથા કર્મરૂપી વનને બાળવા માટે અગ્નિના જેવો છે. તેમજ આ ભવમાં અને પર ભવમાં કલ્યાણ કરનાર પણ તેજ છે. ૭. જે પ્રમાદને લઈને ધર્મની સાધના કરતા નથી. તેઓને છેવટે આ પ્રમાણે પસ્તા કરવો પડે છે. અરેરે અમે દાનાદિની સાધના કરવી ભૂલી ગયા અને ચાર શરણને અંગીકાર ન કર્યા તથા સંસારનો નાશ કરવા માટે પણ પ્રયત્ન કર્યો નહિ. આ વાત ધ્યાનમાં રાખીને હે જીવ! હંમેશાં ચેતીને ચાલજે, અને ધર્મ સાધના કરીને પર ભવને સુધારજે. ૮. મન વચન કાયાથી પ્રભુદેવની આજ્ઞા વિરૂદ્ધ જે કંઈ કર્યું હોય, કરાવ્યું હોય, કે કરતા એવા બીજાની અનુમોદના કરી હોય, હું તે પાપની નિંદા ગહ કરું છું. ૯. હું શ્રી પ્રભુદેવના વચનને અનુસરીને કરેલા કરાતા અને કરીશ એવા ત્રણે કાલના સુકૃતની અનુમોદના ત્રિવિધ ત્રિવિધ કરૂં છું. ૧૦. મેં કઈને અપરાધ કર્યો હોય, કે બીજાએ મારે ગુને કર્યો હોય, તે બાબતમાં અનુક્રમે હું માફી માગું છું, એમ બીજા છે પણ તે પ્રમાણે કરે. હું સર્વ જીની ઉપર મૈત્રી ભાવ ધારણ કરું છું. મારે કેઈન સાથે વેરભાવ નથી. ૧૧. હું સંથારા પિરિસીમાં જણાવેલા અઢારે પાપસ્થાનકને સિરાવું છું. (તેને ત્યાગ કરૂં છું.) ૧૨. જે આ રાતમાં કદાચ મારૂં અચાનક મરણ થાય, તો હું આહાર ધન ધાન્ય ઘર રાચ રચીલું કુટુંબ વિગેરેને ત્રિવિધ ત્રિવિધ સિરાવું છું. ૧૩. હું એકલેજ છું, સંસારમાં મારું કોઈ નથી, તેમ હું પણ કેઈને નથી. હે જીવ! આ વાત જરૂર યાદ રાખજે, ભૂલીશ નહિ. ૧૪ મારે આત્મા જ્ઞાનાદિ ગુણોને ધારણ કરનાર છે. બાકીના ધન વિગેરે પદાર્થો માત્ર સંગ રૂપજ છે. આવા સમયેગથી જ પહેલાં મેં બહુવર દુઃખો ભેગવ્યા છે. માટે તેને હું વોસિરાવું છું. ૧૫. મારા દેવ અરિહંત છે, ગુરૂ સુસાધુ છે, શ્રી જિનેશ્વરદેવે કહેલ નિર્મલ ધર્મ છે. આ ત્રણેની હું સહણું કરું છું. ૧૬. અત્યાર સુધીમાં મન વચન કાયાથી જે કંઈ પાપ કર્મ આચર્યું હોય, તે સંબંધી મિચ્છામિ દુક્કડ માગું છું. આ પ્રમાણે ભાવના કરવાથી સમાધિ મરણ પામીને ભવ્ય છે આરાધક બને છે, અને ભવાંતરમાં પણ તેઓ સુલભ બધિપણું જરૂર પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy