SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધસૂરિકતઅર્થ-વળી આ સમકિતી જીવો પોતાનાં જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદયથી કદાચ કઠિન બીના એટલે દ્રવ્યાનુયોગાદિની ઝીણું ઝીણું હકીકતને ન સમજી શકે, તે પણ જિનેશ્વરનાં વચન છેટાં છે એવું માનતા નથી, પરંતુ તેમનાં વચન સાચાં જ છે એવું ભાવ પૂર્વક માને છે. કારણ કે જૂઠું બોલવામાં મનના રાગ દ્વેષ કોધ લેભ હાસ્ય અને ભય હેતુઓ જિનેશ્વર ભગવંતમાં જરા પણ છે જ નહિ. કારણ કે તેમણે મેહનીય કર્મને સંપૂર્ણ ક્ષય કર્યો છે. તેથી સત્યવાદી એવા નિગ્રંથ પ્રવચન એટલે જિનેશ્વરનાં સિદ્ધાન્ત જ આત્માને હિતકારી છે એમ સમ્યગદષ્ટિ જીવે ઘણા આનંદ પૂર્વક માને છે. ૪૪૫ અરિહંત જિનમત ત્યાં રહેલા ભવ્ય વિણ સંસારમાં, શેષ કચરે ભાવના રૂચિવંતની નિજ હૃદયમાં નિજ વંશમાં સભ્યત્વ થાપે જેહ તેણે સિદ્ધિની, સન્મુખ કર્યો સવિ વંશ બલિહારી સદા સમ્યકત્વની. ૪૪૬ અર્થ:–અરિહંત એટલે વિતરાગ શ્રી તીર્થકર ભગવંત, જિનમત એટલે તે તીકરોએ કહેલે મત એટલે જૈન ધર્મ તથા જૈન ધર્મમાં વર્તતા ભવ્ય જી એ ત્રણ સિવાય બાકીનો બધી વસ્તુઓ આ સંસારમાં કચરા સમાન છે, આવા પ્રકારની ભાવના રૂચિવંત એટલે સમકિતી જીવના હૃદયમાં હોય છે. તથા જેણે પિતાના વંશની અંદર સમકિતનું સ્થાપન કર્યું એટલે જેમણે પિતાના કુટુંબને સમક્તિવાળું બનાવ્યું તેમણે પિતાના સઘળા વંશને મેક્ષની સન્મુખ કર્યો છે એમ જાણવું, માટે સમકિતની હંમેશાં બલિહારી જાણવી. ૪૪૬ શક્ય કિરિયા આદરે બીજા વિષે શ્રદ્ધા ધરે, સમ્યકત્વ તુ બે ભવ્ય જનતા ભવ જલધિને ઝટ તરે; કાળ થડે પણ મળે સમ્યકત્વ સંસ્કૃતિ જલધિને, યુલ કરે બહુ વાર પામે ઋદ્ધિ ના સમ્યકત્વને ૪૪૭ અર્થ --આ સમકિતી જીવ પિતાથી બની શકે તેવી ધાર્મિક ક્રિયાઓ આદરે છે (કરે છે, અને જે પોતાથી બની શકે નહિ તેવી ક્રિયાઓને વિષે શ્રદ્ધા રાખે છે, એટલે તે કરવા યોગ્ય છે એમ માને છે અને તેવા અવસરને પણ ઈચ્છે છે. એ પ્રમાણે આ સમક્તિ રૂપી તુંબડા વડે ભવ્ય આ સંસાર રૂપી સમુદ્રને તરે છે. અહીં સમક્તિને તુંબડાની ઉપમા આપી છે, કારણ કે જેમ તુંબડા વડે સમુદ્ર ઝટ તરી શકાય છે, એક અંતમુહૂર્ત જેટલા વખત સુધી પણ જે સમકિત થયું હોય તો તે જીવેને ઉત્કૃષ્ટથી પણ અર્ધપુદગલ પરાવર્ત જેટલો જ સંસાર બાકી રહે છે, તેથી તે સંસાર રૂપી સમુદ્રને ચૂલુ કરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy