SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ [ શ્રી વિજયપધસૂરિકૃત અર્થ –ઉપર જણાવ્યું તે મોક્ષસુખ ઉત્તમ દર્શન એટલે સમતિ, બધ એટલે સમ્યજ્ઞાન અને સંયમ એટલે ઉત્તમ ચારિત્ર તેની સાધનાથી મળે છે. એ ત્રણેની ભેગી સાધના કરવાથી ભવ્ય જીવ મોક્ષને મેળવે છે પરંતુ તેમાંની એકની અથવા બેની સાધનાથી મોક્ષ મળતું નથી. તેમાં પ્રથમ સમ્યગ્દર્શનનું સ્વરૂપ જણાવે છે -જિનેશ્વરે કહેલાં જીવ, અજીવ વગેરે નવ તની રૂચિ તે ઉત્તમ સમ્યગ્દર્શન અથવા સમક્તિ જાણવું. આ સમક્તિની ઉત્પત્તિ બે કારણોથી થાય છે એ પ્રમાણે ચિત્તમાં વિચારવું. ૪૨૦ - સમ્યગ્દર્શનનું સ્વરૂપ વિગેરે જણાવે છે – નિજ સ્વભાવે તેમ ઉપદેશે લહે સમત્વને, - મિથ્યાત્વિ ભાવે જીવ કરતા ક્રમ થકી ત્રણ કરણને; પહેલું યથાપ્રવૃત્ત તિમ અપૂર્વ તિમ અનિવૃત્તિ એ, ક્રમસર પ્રવૃત્તિ એહની ધુર કરણ કાર્ય વિચારીએ. ૪૨૧ અર્થ–પોતાની મેળે જે સમકિત થાય તે પહેલું નિસર્ગ સમકિત કહેવાય છે. અને ગુરૂ વગેરેના ઉપદેશથી થાય તે બીજું અધિગમ સમકિત કહેવાય. એમ બે પ્રકારે સમપ્તિ થાય છે. આ સમકિત મેળવતાં મિથ્યાત્વમાં વર્તતા ભવ્ય જે અનુક્રમે ત્રણે કરણ કરે છે. તેમાં પહેલું યથાપ્રવૃત્ત કરણ જાણવું. બીજું અપૂર્વ કરણ અને ત્રીજું અનિવૃત્તિ કરણ જાણવું. આ ત્રણે કરણની પ્રવૃત્તિ અનુક્રમે ચાલે છે. તેમાં પહેલા યથાપ્રવૃત કરણ વડે શું કાર્ય થાય? તેની વિચારણા આ પ્રમાણે જાણવી. ૪૨૧ યથાપ્રવૃત્તિ કરણનું સ્વરૂપ વિગેરે જણાવે છે – જીવ અનાદિ નિગોદમાંહી જોરથી કૃત કર્મના, દુઃખને સહંત અકામ નિજ રણાદિ કારણ ગણ તણા; અનુભાવથી દાખલ થતાં વ્યવહાર રાશિમાં અને, દ્રવ્યાદિથી પામે તથા ભવ્યત્વ સ્થિતિ પરિપાકને. કરર અથ ––સંસારી જીવ પહેલાં અનાદિ નિગદમાં એટલે અવ્યવહાર રાશિમાં (અનાદિ કાળ વાળી સાધારણ વનપતિ કાયમાં અથવા અનંતકાયમાં) રહેલો હોય છે, ત્યાં રહ્યો થકે ૧ જે જે અનાદિ કાળથી કોઈ પણ વખતે બદર નિગોદ પણાને અથવા પૃથ્વીકાયાદિ ભાવને પામ્યા નથી એવા અનાદિકાળ વતી સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ છેને સમુદાય તે અવ્યવહારરાશિ કહેવાય, અને એકવાર પણ એ અવ્યવહાર રાશિમાંથી નિકળીને પૃથ્વીકાયાદિ ભાવને અથવા બાદર ભાવને પામે. તે તે વ્યવહાર રાશિમાં આવ્યો કહેવાય. પુનઃ એ જ જીવ સૂ૦ સાધાવનસ્પતિમાં જાય તે પણ તે વ્યવહાર રાશિવાળો જ છવ ગણાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy