SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ = દેશનાચિંતામણિ ' ૨૫ ત્યારબાદ મનુષ્ય (પ્રતિનિધિ) ને બોલાવીને કહ્યું કે તમારે અહિંથી મનુષ્યને જન્મ લેવો. મનુષ્ય--હે વિધાતા દેવ ! મનુષ્યના જન્મમાં અમારું આયુષ્ય કેટલું ને કામ શું કરવાનું? વિધાતા–હે મનુષ્ય ! તમારું આયુષ્ય તો ૩૦ વર્ષનું છે. અને તમારે મનુષ્ય લોકમાં જન્મ લઈ પ્રથમ બાળ અવસ્થામાં બ્રહ્મચારી જીવન ગુજારવું, અને બીજી યૌવન અવસ્થા (જુવાની) માં પણ પરબ્રાનું અદ્વિતીય કારણ શીલ છે એમ સમજીને શીલમય જીવન ગુજારવું. અને તે પ્રમાણે ન વસ્તીં શકાય, તે દરેક વ્યવહારમાં સંતોષવૃત્તિ ધારણ કરીને નિર્દોષ ગૃહસ્થાશ્રમને પાલ. આ સ્થિતિમાં તમારે ત્યાગ ધર્મ તરફ જરૂર લક્ષ્ય રાખવું. કારણ કે ખરૂં સુખ ત્યાગમાં જ છે, પરંતુ ભેગમાં નથી. જેઓ ઉત્તમ સંસ્કારને લઈને બાલ્ય વયમાં ત્યાગ ધર્મને સ્વીકારવા ચાહે, તેમણે જરૂર નાની ઉંમરમાં ત્યાગી થવું. કારણ કે ત્યાગ ધર્મ સ્વીકારને માટે અમુક જ અવસ્થા જોઈએ એ કંઈ નિયમ નથી, માટે કહ્યું છે કે જે ટાઈમે વૈરાગ્ય થાય તે ટાઈમે પ્રત્રજ્યા અંગીકાર કરવી. અન્ય ધર્મમાં શંકરાચાર્ય વિગેરેની બાબતમાં પણ તેમજ થયું છે. આવા ધર્મરંગી જીવોથી ચાર આશ્રમ કમને જળવાય, તો પણ તેમાં લગાર પણ અઘટિત છે જ નહિ. ત્યાગ ધર્મ જ્યાં સુધી અંગીકાર ન કરી શકાય, ત્યાં સુધી માનવ ધર્મની ઉત્તમ ફરજ બજાવવી એટલે દાન તપ પરોપકાર પૂજા વિગેરે ધાર્મિક અનુષ્ઠાનની જરૂર સાધના કરવી. કારણ કે જન્મ મરણની રખડપટ્ટીને દૂર કરવાનું અપૂર્વ સાધન એક ધર્મ જ છે. જેઓ જલ્દી સંસારનો ત્યાગ ન કરી શકે, તેવા હાય, તેમને ઉદ્દેશીને જ ક્રમસર આશ્રમની વ્યવસ્થા જણાવી છે. એમ ગૃહસ્થાશ્રમની સેવા કરતા કરતા જ્યારે ગ્ય અવસર આવે, ત્યારે આત્મદષ્ટિ ધારણ કરીને ત્રીજી અવસ્થામાં વાનપ્રસ્થાશ્રમ અંગીકાર કરો. તેમાં ઘર છોડી વનમાં રહેવું અને બ્રહ્મચર્ય પાળવું, તથા પ્રભુની ભક્તિમાં વખત ગાળ અને છેલ્લી વૃદ્ધાવસ્થામાં પરમહંસ અવસ્થા સ્વીકારી અત્યંત નિઃસ્પૃહી રહી આત્માના સ્વરૂપમાં તલ્લીન થવું, એ પ્રમાણે ચાર અવસ્થાઓ પ્રમાણે સંતેષમય જીવન ગુજારવું. મનુષ્ય––હે વિધિ દેવ ! તમારી આજ્ઞા પ્રમાણે અમે મનુષ્ય જન્મ લઈશું, પરંતુ આપે જે ૩૦ વર્ષ આયુષ્ય મુકરર કર્યું તે તે બહુ જ થોડું લાગે છે, કારણ કે બાળ વિગેરે ત્રણ અવસ્થાઓ તો ભલે થોડાં વર્ષની ચાલે, પરંતુ બીજી યૌવન અવસ્થામાં બતાવેલાં કાર્યો તે થોડા ટાઈમમાં ઘણા જ અધૂરા રહી જશે એમ લાગે છે. કારણ કે ગ્રહવાસમાં ધન પેદા કરવામાં પણ ઘણે વખત જોઈએ, તે સાથે અમને બાળ બચ્ચાં થાય તે તેમને માટે પણ ધન ભેગું કરવા વિગેરે જરૂરી કાર્યોમાં ઘણે સમય જોઈએ, માટે આયુષ્યને ઘણે વધારો કરી આપે. વિધાતા–હે મનુષ્ય ! તમારી માગણું તે બહુ જ વિલક્ષણ છે, કારણ કે ગધેડાએ કૂતરાએ ને વાનરે તો જેમ બને તેમ આયુષ્યને ઓછું કરવાનું કહ્યું, ને તમે તે વધારો માગે છે માટે એ તમારી માગણ બહુ વિચિત્ર લાગે છે, હું આયુષ્ય વધારીશ નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy