SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ દેશભચિંતામણિ ] ૨૭. : જ્ઞાન કિરિયા સાધનારે મુક્તિ સાધક જાણુએ, એકાન્ત પક્ષી બેઉ એ એકાન્ત ના અવધારીએ. ર૭૨ અર્થ:–વળી આ ક્રિયાનય વાદી કહે છે કે પ્રથમનાં બે સામાયિક (જે જ્ઞાન રૂપ છે, તે ) દેશવિરતિ સામાયિકને અને સર્વવિરતિ સામાયિકને ઉપકાર કરનારાં છે. તેથી તે પ્રથમના બે સામાયિક ગૌણ છે. એટલે હું તે શરૂઆતના બે સામાયિકને મુખ્ય તરીકે માનતો નથી. આ પ્રકારનો જ્ઞાનનય અને કિયાનને સંવાદ સાંભળીને ભવ્ય જીવને સંદેહ પડે છે. તેથી મુંઝાઈને તે પૂછે છે કે આ બંને નય વાદીઓ યુક્તિ વડે પોત પોતાને પક્ષ સાથે છે એમ સાબીત કરે છે. માટે હે પ્રભુ! આમાં ખરું તત્ત્વ ( રહસ્ય) શું છે? કારણ કે આ બેમાં સાચું કોણ છે તેની મને કાંઇ ખબર પડતી નથી. માટે આ બંને નયનું ખરું રહસ્ય મારી ઉપર કરણ લાવીને એટલે કૃપા કરીને સમજાવો. એ પ્રમાણેનાં પૂછનાર ભવ્ય જીવનાં વચન સાંભળીને પ્રભુદેવ ખરી હકીકત આ પ્રમાણે સમજાવે છે-કે હે ભવ્ય જીવ ! આ સંવાદમાં ખરી બીના એ છે કે જે જ્ઞાન અને ક્રિયા એ બેને સાધના હોય તેજ મુક્તિને પામી શકે છે. એટલે જે એકલા જ્ઞાનનયને માને અથવા એકલા ક્રિયા નયને જ માને તે બંને એકાન્ત પક્ષી એટલે એક જ પક્ષને આગ્રહ કરનાર છે, તેથી તેવા જીવો મેક્ષ સાધી શકતા નથી. માટે એવા એકાન્ત પક્ષને આધાર લે નહિ. પરન્તુ મોક્ષ માર્ગની સાધનામાં જ્ઞાન અને ક્રિયા એ બેની એકઠી સાધના કરવી જોઈએ. એ અહીં ખરું રહસ્ય છે. ૨૭૧-૨૭૨ પ્રભુજી જ્ઞાન અને ક્રિયા બંનેની જરૂરિયાત દષ્ટાંત દઈને બે શ્લોકમાં સમજાવે છે – - પુરૂષાર્થ સિદ્ધિ જ્ઞાનનય જે માનતે તે સત્ય ના, " જ્ઞાન ક્રિયાથી કાર્ય સવિ દષ્ટાન્તથી જ રસેઇના; જ્ઞાનથી જે મુક્તિ બેલે તેહ પણ સાચું નહિં, તે કેવલ તિમ યથાખ્યાતે જ હોવે છે સહી. ર૭૩ - અર્થ–એ પ્રમાણે જ્ઞાનનય એકલા જ્ઞાનથી જ પુરૂષાર્થની સિદ્ધિ જે માને છે, તે સાચું નથી. પરંતુ જ્ઞાન અને ક્રિયા એ બંને વડે જ મુકિત વગેરે તમામ કાર્યની સિદ્ધિ થાય છે. આ બાબતમાં રસોઈનું દષ્ટાન્ત જાણવું. જેમ કેઈકને રસોઈ શી રીતે બનાવવી તેનું જ્ઞાન છે. તેથી કાંઈ રસેઈ બની જતી નથી, પરંતુ તે જ્ઞાન સાથે રસોઈ તૈયાર કરવા માટે જ્યારે દેવતા સળગાવવાથી માંડીને રંધાઈને રાઈ તૈયાર થાય ત્યાં સુધીની બધી ક્રિયા પણ કરવામાં આવે ત્યારે રસોઈ બને છે. એટલે જ્ઞાન અને ક્રિયા બંનેની મદદથી જ રસોઈ રૂપી કાર્ય થાય છે. તેમ મેક્ષસિદ્ધિ પણ જ્ઞાન ક્રિયા બેથી જ થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy