SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપદ્ધતિનિર્દોષ અતિશય ધારતા પાંત્રીશ ગુણથી શોભતી, વાણી વદે પ્રભુદેવ ભૂખ તરસ તણા દુઃખ વારતી. પ૦ અર્થ–પ્રભુ એક હજાર વર્ષ સુધી પૃથ્વીને વિષે ઇવસ્થ ભાવમાં ઉપસર્ગ રહિતપણે વિચર્યા એટલે એક હજાર વર્ષ સુધી પ્રભુને કેવલજ્ઞાન થયું નહિ. ત્યાર પછી ફાગણ માસના વદ એકાદશીના શુભ દિવસે, ધનુ રાશિ અને ઉત્તરાષાઢા નક્ષત્ર વર્તતું હતું ત્યારે પુરિ મતાલ નગરની બહાર રહેલા શકટમુખ નામના ઉદ્યાનમાં વડના ઝાડની નીચે પ્રભુ પધાર્યા, ત્યારે પહેલા પહેરમાં અઠ્ઠમ તપ કરવા પૂર્વક ધ્યાનાક્તરીય સમયમાં ચાર ઘાતી કર્મોને નાશ કર્યો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર આત્માના ગુણેને વાત કરતાં હોવાથી ઘાતી કર્મ કહેવાય છે. તે વખતે ભુવનચિંતામણિ એટલે ત્રણ ભુવનના લેઓના મારથ પૂર્ણ કરવાને ચિન્તામણિ રત્નસમાન પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે પ્રભુ ચેત્રીસ અતિશને ધારણ કરતા હતા. તથા જે દેશનાથી ભૂખ અને તરસના દુઃખ દૂર થાય છે એવી પાંત્રીસ ગુણથી શોભાયમાન વાણીને પ્રભુ બોલતા હતા. જ્યારે શુકલધ્યાનના ચાર ભેદમાંના બે ભેદનું ધ્યાન પૂરું કરે, અને છેલ્લા બે ભેદનું ધ્યાન બાકી રહે, તે ટાઈમનું નામ “ધ્યાનાક્તરીય સમય’ કહેવાય છે. ૪૯-૫૦ ચેથા કલ્યાણકમાં ઈદ્રાદિની ફરજ વિગેરે જણાવે છે – આ ક્ષણે કંપે સિંહાસન ઈદ્રનું કેવલતણા, કલ્યાણકે અહીં આવતા સાથે લઈને સુર ઘણ; વાસવ પ્રભુને દેખતા આનંદ અતિશય પામતા, હશે દુરિતની નિર્જરા કરનાર સ્તુતિ ઉચ્ચારતા. પ૧ અર્થ–પ્રભુને કેવલજ્ઞાન થયું તે વખતે સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. અવધિ જ્ઞાનથી પ્રભુને કેવલજ્ઞાન થયું જાણીને ઘણું દેવતાઓને સાથે લઈને કેવલજ્ઞાન કલ્યાણક ઉજવવાને માટે ઈન્દ્ર ભરતક્ષેત્રમાં આવ્યા. પ્રભુને દેખીને વાસવ એટલે ઈન્દ્ર મહારાજ ઘણે આનંદ પામ્યા. અને આનંદથી દુરિત એટલે પાપને નાશ કરનારી પ્રભુની સ્તુતિ આ પ્રમાણે કરવા લાગ્યા. પ૧ આ પ્રસંગે ઈદ્ર કરેલી સ્તુતિ ચાર લેકમાં જણાવે છે – જેમ રત્નાકર રણથી અનંત જ્ઞાનાદિક ગુણે, તેમ આપ શેભ કોડ દેવ જઘન્યથી તુજ ચરણને; પૂજતા ઈહ નષ્ટ પ્રાય બનેલ ધર્મ વૃક્ષને, નિપજાવવાને બીજ જેવા નાથ ! પ્રણમું આપને. પર અર્થ – હે પ્રભુ! જેવી રીતે રત્નાકર એટલે સમુદ્ર થી શોભે છે તેમ આપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy