SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદશંકરનું ધર્મચિંતન poetical myths and symbols, which dogmatism turns in to flat historical narratives and rationalism as ponderously rejects ? And have not the greatest philosophers been more than half poets? We value Spinoza not for his geometrical metaphysics but for the flashes of vision in which the amor intellectualist makes him a "God-drunken man"? Plato is for ever unintelligible till we read him as a prophet and prose - poet and cease to hunt for a system in his writings.” (ધર્મવિચાર -૧, પૃ.૨૧) ...... આપણા પ્રાચીન ગ્રંથોમાં આ પ્રમાણે તત્ત્વજ્ઞાન કવિપ્રતિભાના માધ્યમથી પ્રગટ થયાનાં અસંખ્ય ઉદાહરણો છે. આપણા વૈદિક તેમજ પૌરાણિક સાહિત્યમાં એવા અનેક પ્રતીકો જોવા મળે છે, જેમાં ઉચ્ચ ધાર્મિક સિદ્ધાંતો ગર્ભિત રીતે રહેલા બતાવી શકાય છે. આપણા સાહિત્યમાં રહેલાં આવા કેટલાંક જાણીતાં રૂપકોનો આધ્યાત્મિક અર્થ આનંદશંકરે સુંદર રીતે તારવી બતાવ્યો છે. ૧૫૫ (૧) સૌથ : છાંદોગ્ય ઉપનિષદમાં fૌથ (છાંદોગ્ય ૨-૧૦-૩, ૧-૩-૬)ની ઉપાસના છે. વ્હીથ એટલે ઉચ્ચરેલું બહાર પ્રગટેલું ગાન. આ સૃષ્ટિ અને સૂર્ય આદિ પદાર્થો એ પરમાત્માના ગાનરૂપ છે. આવો ઉપાસનાભાવ જેનાં અંતરમાં રહેલો છે તે ‘ઉગીથ’ છે. (૨) અર્ધનારીનટેશ્વર : ઈશ્વરની અર્ધનારીનટેશ્વરની કલ્પનામાં વિશ્વની ઉત્પત્તિને સ્થાને એની સ્થિતિનું સ્વરૂપ બતાવવાનો પ્રયત્ન છે. આ વિશ્વમાં પ્રભુનું અદ્ભુત નર્તન થયા કરે છે : એ નટના નર્તનમાં સ્થિતિ (static) ઉપરાંત ક્રિયા (dynamic) મૂર્તિમંત થાય છે. અર્ધનારીશ્વરની કલ્પનામાં પ્રકૃતિ અને પુરુષનો સમન્વય વિવક્ષિત છે. અને એમના લાસ્ય (સ્ત્રીનું કોમળ નૃત્ય) અને તાંડવ (પુરુષનું ઉગ્ર નૃત્ય)માં પણ એ જ પ્રમાણે સુંદરતા અને ભવ્યતા એકઠાં થાય છે. (૩) કૃષ્ણ-ગોપીનો રાસ : Jain Education International કૃષ્ણ-ગોપીના રાસમાં તત્ત્વજ્ઞાનીય ભાવ રહેલો છેઃ આ વિશ્વ એક અખંડ રાસ-અર્થાત્ રસમય નૃત્યની લીલા યા ગરબો-છે, જેના મધ્યમાં કેન્દ્રરૂપે પ્રભુ વિરાજે છે, આસપાસ પ્રકૃતિની વિવિધ શક્તિઓ ગરબે રમી રહી છે તેમાં પ્રત્યેક ગોપીની સાથે એક એક કૃષ્ણ દેખાય છે; એનો ભાવાર્થ એવો છે કે : પ્રભુ આ વિશ્વના મધ્યબિંદુએ વસેલો છે, એટલું જ નહિ પણ એના વર્તુળમાં પણ આવેલો છે ઃ અર્થાત્ પરમાત્મા પ્રકૃતિથી પર છતાં પ્રકૃતિમાં અનુસ્યૂત છે, નિર્ગુણ હોઈને પણ સગુણ છે અને જેઓ એને નિર્ગુણ નહિ પણ સગુણ જ માને છે તેઓ તો વિશેષમાં રાસના મધ્યમાં પણ કૃષ્ણ અને રાધા-બ્રહ્મ અને માયાનું યુગલ કલ્પે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005477
Book TitleAcharya Anandshankar Dhruv Darshan ane Chintan
Original Sutra AuthorN/A
AuthorDilip Charan
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy