SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જેથી આઠ પ્રકાર જ્ઞાનોપયોગના સમજાય. દર્શનથી ચક્ષ, અચકું, અવધિ અને કેવલ લેવાનું છે. દરેકની પાછળ “ઉપયોગ’ શબ્દ જોડી દેવાથી ચક્ષઉપયોગ વગેરે શબ્દો તૈયાર થાય છે. આ બારે પ્રકારોનું સ્વરૂપ ૧૧, ૧૨માં દ્વારમાં કહેવાઈ ગયું છે. સર્વ સામાન્ય સંસારી જીવો કમધીન હોવાથી તેનો ઉપયોગ અવિરત અને પૂણશે વર્તતો નથી હોતો, પણ તૂટક તૂટક અને અલ્પાંશે હોય છે. જ્યારે તીર્થકરો તીર્થકરોને, સર્વજ્ઞોને, અને સિદ્ધોને અપૂર્ણતા અને ખંડિતતાનાં પ્રતિબંધક કમરૂપ કારણોનો ક્ષય થવાથી તેમને અવિચ્છિન્ન અને સવશે હોય છે. ૧૬. ઉવવા [૪૫૫/- શબ્દાર્થ તો એનો ઉત્પન્ન થવું એટલો જ થાય, પણ ઉપલક્ષણથી તેની સંખ્યા અને વિરહની વાત પણ આ દ્વારમાં કહેવાની અભિપ્રેત છે. એટલે કઈ ગતિમાં, એક જ સમયે, (સમકાળે) કઈ ગતિના, કેટલા જીવ, સંખ્યાથી ઉત્પન્ન થાય અથતિ જન્મ લે? અને કઈ ગતિમાં એક જીવ ઉત્પન્ન થયા બાદ બીજા જીવને ઉત્પન્ન થવામાં સમયનો કેટલો વિરહ પડે ? તે વિરહકાળ પ્રમાણ કહેવું તે. 9૭. રવણ મિન- એનો શબ્દાર્થ છે, ખરી જવું, મૃત્યુ થયું છે. પણ ઉપપતની જેમ આ દ્વાર પણ ઉપલક્ષણથી બે રીતે કહેવું અભિપ્રેત છે. એટલે કઈ ગતિમાંથી, સમકાળે એક જ સમયમાં, કેટલા જીવ –મૃત્યુ પામે ? અને વિવક્ષિત કોઈપણ ગતિમાંથી એક જીવ મૃત્યુ પામ્યા બાદ, બીજા જીવને મૃત્યુ પામવામાં વચ્ચે કેટલો સમય પસાર થાય ? તે અંગે કાલ નિયમ દર્શાવવો તે ચ્યવન વિરહ કહેવાય. ૧. હિ [સ્થિતિ- એટલે આયુષ્ય મર્યાદા કથન. જીવોનાં જઘન્યોત્કૃષ્ટ આયુષ્યની વિવિધ કાલ મયદા દશવિવી તે. ૧૬ પmત્તિ [પતિ- એટલે જીવન જીવવાની શક્તિ. ઉપરના ૧૬ થી ૧૯, આ ચારેય દ્વારની વ્યાખ્યા આ ગ્રન્થમાં સારી રીતે કહેવાઈ ગઈ છે. જેથી તેની અહીં વિસ્તારથી પુનરુક્તિ કરવામાં નથી આવતી. ૨૦. વિમહિરે [-મિહારઃ?-આ પ્રાકૃત શબ્દનું સંસ્કૃત રૂપાંતર વિનાહારશ્ન: થાય છે. વિકાહારમાં બે શબ્દો છે. એમાં વિમ્ નો અર્થ “શું અને પ્રાકૃત માહાર નો અર્થ ખાનારો થાય છે. આનો અર્થ સંકલિત કરીએ તો તે પ્રશ્નાર્થક વાક્ય બની જાય છે. અર્થાત્ જીવ આહારક છે કે અનાહારક? એક અર્થ આ થયો. હવે મિહિર શબ્દને *સામાસિક માનીને બીજો અર્થ કરીએ તો જીવ કયા શરીર વડે આહાર કરે છે? અને તેનો ત્રીજો અર્થ કયા જીવો કેટલી દિશામાંથી આવેલાં દ્રવ્યોનો આહાર કરે? વગેરે વ્યાખ્યાઓ આ દ્વારમાં કહેવાની છે. એમાં પહેલા અને બીજા અર્થની વ્યાખ્યા આ જ ગ્રન્થની ૩૩૧મી ગાથાના વિવેચનમાં (પૃષ્ઠ ૬૪૨. “વિમાહા' રિમાદારયતીત્યાહાર: તતઃ મિહિરો નાહારો વા નીવઃ? ૬૪૩. વેન વા શરીરે હારોગતિ વિહાર ત્યપ | (સંગ ટીકા). ૬૪૪. જે નવા: તિગો ટ્રિાયઃ કાતિનિ દ્રવ્યાખ્યાદિન્તીતિ જુઓ જીવાભિગમ, લોકપ્રકાશાદિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy