SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ पर्याप्ति संबंधी विशेष स्वरूप १८७ સ્પર્શ કેવા પ્રકારનો છે, તેનો સ્વાદ કેવો છે? તેની ગંધ કેવી છે? વિષય દર્શન કર્યું છે? અને શ્રવણ ધ્વનિ શેનો છે? આ પાંચે વિષયોનો જ્ઞાતા બની શકે છે. ૪. શ્વાસોચ્છવાસ પયાપ્તિ પૂર્ણ થતાં શ્વાસોશ્વાસ લેવાની (તસ્ત્રાયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ–પરિણમન અને વિસર્જન લેવા-મૂકવાની) ક્રિયામાં જીવ સમર્થ બને છે. અને તે થતાં જ શ્વાસોશ્વાસ “પ્રાણ” નામના ભેદનું સર્જન થાય છે માટે જ પતિને કારણરૂપે અને પ્રાણોને તેના કાર્યરૂપે ગણ્યા છે. જે વાત હવે પછીની ગાથામાં આવવાની જ છે. ૫. ભાષાયપ્તિ પૂર્ણ થતાં જીવને બોલવાનું સામર્થ્ય પ્રગટ થઈ જાય છે. ૬. મન પયપ્તિ પૂર્ણ થતાં વિચાર, ચિંતન, મનન, વગેરે મનના વ્યાપારો કરવાની શક્તિ પ્રાપ્ત કરી લે છે અને પરિણામે “મનોબળ’ નામનો (દશપ્રાણ પૈકીનો એક) પ્રાણ જન્મ લે છે. શરીરપયપ્તિથી “કાયબલ' નામનો પ્રાણ, ઇન્દ્રિય પયાપ્તિથી પાંચ ઇન્દ્રિયરૂપ પાંચ પ્રાણો, ભાષા પયપ્તિથી “વચનબળ'રૂપ પ્રાણ અને મનઃપયપ્તિથી “મનોબળ'રૂપ પ્રાણ પેદા થાય છે. “આયુષ્ય” નામનો પ્રાણ ઉત્પન્ન કરવા કોઈ શક્તિ પ્રાપ્ત કરવાની જરૂર ન હોવાથી કારણરૂપે કોઈ નવી પયાપ્તિની અગત્ય રહેતી નથી. એમ છતાં આહાર પયપ્તિ આયુષ્ય પ્રાણને ટકાવવામાં પ્રધાન કારણરૂપ હોવાથી તેને સહકારી કારણ તરીકે ગણી શકાય ખરી. તત્ત્વાર્થભાષ્યવૃત્તિના આધારે છ પર્યાપ્તિઓની વિશિષ્ટ સમજ ૧. એક ઘર બનાવવું હોય તો પ્રથમ ઇંટો, લાકડા, માટી, ચૂનો વગેરે સામગ્રી એક સાથે ભેગી કરાય છે. આ સામગ્રી બધી ઘરનાં દલિકો એટલે સાધનોરૂપે છે. આ સામગ્રીમાંથી કઈ ક્યાં વાપરવી તે ક્રમશઃ નક્કી કરાય છે. એમ અહીંયા ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થતો જીવ પ્રથમ સમયે તે તે યોગ્યતાવાળા વિવિધ રીતે ઉપયોગી પુદ્ગલોનું સામાન્યરૂપે ગ્રહણ કરે તેનું નામ આહાર પયાપ્તિ. આ પયાપ્તિ વખતે અનેક કાર્યોનો પ્રારંભ થાય છે. ૨. હવે જેમ પેલી ઘર માટે ભેગી કરેલી સામગ્રીમાંથી જે લાકડું હતું તેમાંથી આનો પાટડો. આનો થાંભલો, આની બારી બનશે એમ વિચારાય છે, તેમાં પ્રથમ સમયે ગ્રહણ કરાએલાં પુદ્ગલોમાંથી અમુક પુદ્ગલો શરીરવર્ગણા યોગ્ય હોવાથી તે પુદ્ગલો વડે શરીર બનતું હોવાથી જીવ શરીર બનાવવામાં સમર્થ બને છે. પરિણામે તે વખતે ઘરની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ નક્કી થાય છે, તે રીતે અહીંયા શરીરનું સ્વરૂપ નક્કી થાય છે. ૩. તે પછી ઘરમાં દરવાજા કેટલા મૂકવા? ક્યાં મૂકવા? નિગમનના દરવાજા કયાં મૂકવા તે નિર્ણય લેવાય છે. તેમ ઈન્દ્રિય પયપ્તિ દ્વારા પસવા નીકળવા વગેરેના માર્ગો નક્કી થાય છે. ૪–૫ ઉચ્છવાસ ભાષામાં પણ ત~ાયોગ્ય પગલોનું ગમનાગમન હોય જ છે. તેથી તેની ઘટના ઇન્દ્રિય પતિ જોડે ઘટતી હોવાથી તે રીતે સમજી લેવું. ૬. મુકામ તૈયાર થયા પછી દીવાનખાનું, બેઠકરૂમ, સુવાનું ભોજનનું સ્થાન કયાં રાખવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy