SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અન્તિમ અન્તર્મુહૂર્તમાં પરભવાયુષ્ય બાંધે તો તેને અપાન્તરાલ કાળ અન્તર્મુહૂર્તનો જ હોવાથી તેટલો અબાધાકાળ ગણાય, એમ સર્વત્ર સમજી લેવું. અંતસમય–ચાલુ ભવના આયુષ્યની સમાપ્તિ થવી, ને તે પછી તરત જ પરભવાયુષ્ય ઉદયમાં આવવું તે. તેને મૃત્યુ પણ કહી શકાય. જુવકાગતિ-જીવ અન્તસમયે આયુષ્ય પૂર્ણ કરીને પરભવમાં જાય છે, ત્યારે જીવને એક સમયની ઋજગતિ અને ચાર-પાંચ સમય સુધીની એટલે એક વક્રા, દ્વિવક્રા, ત્રિવક્ર અને ચતુર્વક્રા, આ બે–ત્રણચાર અને પાંચ સમયવાળી વક્રાગતિઓ ઉદયમાં આવે છે. અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણનો અતિસૂક્ષ્મ માનવાળો સંસારી આત્મા તૈજસ–કામણ નામના સૂક્ષ્મ શરીરને ધારણ કરીને પરભવમાં ઉત્પન્ન થવાના સ્થળે બે ગતિથી પહોંચે છે. એક 28જુ અને બીજી વકા. ઋજુગતિ એક જ સમયની છે, કારણ કે જીવનું મૃત્યુસ્થાન અને ઉત્પત્તિસ્થાન બંને સમશ્રેણીએ અથવા સમાંતર લીંટીએ વ્યવસ્થિત હોય તો, મૃત્યુ સમય પછીના એક જ સમયમાં જીવ ઉત્પન્ન થઈ જાય છે. એને બીજો સમય લાગતો જ નથી. એથી જ આ ગતિનું ઋજુ એ નામ અન્વર્થક છે. ઋજુ એટલે સરલ–સીધી ગતિને સમશ્રેણીએ ન હોય પણ તિહુઁ વિદિશામાં આડું-અવળું હોય તો જીવને (આકાશ પ્રદેશની શ્રેણીમાં) કાટખૂણો કરીને ધપવું પડે છે. આત્માની ગતિ હંમેશા સીધી જ દિશાગત હોય છે પણ તિર્થો કે ગમે તે રીતે જવાની નથી હોતી. એ તો પ્રથમ સીધો જઈ પછી વળાંક લે એટલે એના વળાંકોના કાટખૂણા જ થતા જાય છે. જેટલા વળાંક લેવા પડે તેટલા સમયો રસ્તામાં વધે છે. આવા વળાંકો સંસારી જીવોને (ચતુર્વિગ્રહામાં) વધુમાં વધુ ત્રણ અને કોઈ વખતે (પંચવિગ્રહાગતિમાં) ચાર થાય છે. [૩૨] અવતર-પૂર્વોક્ત બને ગતિના જ વિષયમાં નિશ્ચય અને વ્યવહારથી પરભવાયુષ્યનો ઉદય અને પરભવ સંબંધી આહાર ક્યારે હોય? તે સંબંધી કહેતાં ઋજુગતિમાં આહાર અને ઉદય તેમજ વક્રામાં માત્ર આયુષ્યનો ઉદયસમય કહે છે. उज्जुगइपढमसमए, परभविअं आउअं तहाऽऽहारो । वक्काए बीअसमए, परभविआउं उदयमेइ ॥३३०॥ સંસ્કૃત છાયાऋजुगतिप्रथमसमये पारभविकमायुस्तथाऽऽहारो । वक्रायां द्वितीयसमये पारभविकमायुरुदयमेति ॥३३०॥ શબ્દાર્થ–ગાથાર્થવત્ સુગમ છે. જયાર્ચ-ઋજુગતિના પ્રથમ સમયે પરભવના આયુષ્યનો ઉદય તેમજ પ્રથમસમયે જ આહાર અને વક્રાગતિમાં દ્વિતીયસમયે પરભવાયુષ્યનો ઉદય હોય છે. ૩૩૦ વિશોષાર્થગાથા ૧૮૮માં ઋજુ અને વક્રાગતિ વિષે ઠીક ઠીક સમજ આપી છે, છતાં થોડીક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy