SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ परमाणु कोने कहेवाय? तेनी व्याख्या . ૬૨૬ આ પ્રમાણાંગુલ વડે જે વસ્તુઓ માપવાની છે, તેમાં ત્રણ પ્રકારનું પ્રમાણાંગુલ ઉપયોગમાં લેવાય છે. કેટલાક કહે છે કે પ્રમાણાંગુલની માત્ર દીર્ઘતા વડે જ પૃથ્વી, પર્વતો માપવા પણ વિખંભ-પહોળાઈ ભેગી ન લેવી એટલે સૂચી અંગુલથી જ માપવું. બીજા એમ કહે છે કે ના, એમ નહીં પણ પ્રમાણાંગુલના ક્ષેત્રફળવડે (એટલે હજાર ઉધાંગુલરૂ૫) માપવું. જ્યારે ત્રીજો પક્ષ કહે છે કે દીર્ઘતા ન લેવી–ક્ષેત્રફળ ન લેવું. માત્ર વિખંભ એટલે રાા ઉત્સધાંગલ વિસ્તારવડે જ માપવું. અહીં પ્રથમ પક્ષમાં પ્રમાણાંગુલીય એક યોજનમાં ઉત્સધાંગુલ પ્રમાણવાળાં ૪00 યોજન, બીજા પક્ષમાં એક હજાર યોજન અને ત્રીજા પક્ષમાં રા યોજના (એટલે દશ ગાઉ) આવે છે. પ્રમાણાંગુલથી કઈ વસ્તુઓ મપાય છે? મેરુ આદિ શાશ્વત પદાર્થો, ધમદિ નરક પૃથ્વીઓ, સૌધમવતંસકાદિ સર્વ વિમાનો અને માથામાં કહેલા “ના” શબ્દથી અન્ય શાશ્વતા ભવન–નરકાવાસ દ્વીપ સમુદ્રો વગેરે શાશ્વત પદાર્થો લઈ લેવા. પ્રમાણાંગુલથી અચલ અને શાશ્વતા ગણાતા પદાર્થો માપવાના છે તે ધ્યાનમાં રાખવું. [૩૧]. - અવતાર–ગત ગાથામાં કયા અંગુલથી કઈ વસ્તુ મપાય તેટલું જ કહ્યું હતું પણ એ ત્રણેય અંગુલ કોને કહેવાય એ બાબતમાં ગ્રન્થકારે કહ્યું ન હતું. (અલબત્ત, વિશેષાર્થમાં તે વાતનો ઇસારો કર્યો છે.) હવે ગાથા દ્વારા જ ઉત્સુધાદિ અંગુલની ગણત્રી પરમાણુથી શરૂ કરાય છે તેથી પરમાણુ કોને કહેવાય ? તેની વ્યાખ્યા કરે છે. सत्येण सुतिक्खेण वि, छित्तुं भित्तुं व जं किर न सका । तं परमाणुं सिद्धा, वयंति आइ पमाणाणं ॥३१५॥ સંસ્કૃત છાયાशस्त्रेण सुतीक्ष्णेनापि, छेत्तुं भेत्तुं वा यं किल न शक्ताः । तं 'परमाणु' सिद्धा, वदन्ति आदि प्रमाणानाम् ॥३१॥ | શબ્દાર્થ'સત્યેન શસ્ત્ર વડે તે પરમાણુંન્ને પરમાણુને સુતિવવેક વિસમ્યક રીતે તીક્ષ્ણ એવા પણ સિદ્ધાસિદ્ધ પુરુષો ત્તેિ મિતું બં=જેને ભેદવા કે છેદવાને વયંતિ વદે છે વિર ન સં=ખરેખર (પુરુષ) શક્તિમાન નથી | બાપHITI પ્રમાણોની આદિ ભાવાર્ય-વિશેષાર્થવત્ . ll૩૧૫ા. વિરોષાર્થ– ઉત્સધાંગુલની વ્યાખ્યામાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધિ પામતું અંગુલ તે ઉત્સધાંગુલ. ૪૬૦. અનુયોગ દ્વારા અને અંગુલસિત્તરીમાં ત્રીજા પક્ષને જ યોગ્ય ગણ્યો છે અને આ માપ જઘન્ય હોવાથી પૃથ્યાદિના માપમાં ઠીક અનુકૂળ રહે છે. તત્ત્વ તુ કેવલીગયું. ૪૬૧. કવચિત્ અન્વય પ્રમાણે શબ્દાર્થક્રમ મૂક્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy