SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह छठं-सातमु एक समयगत उपपात च्यवन संख्याद्वार ગવારન–હવે છઠ્ઠ ઉપપતસંખ્યા તથા સાતમું ચ્યવનસંખ્યા નામનું દ્વાર કહે છે. संखा पुण सुरसमा मुणेअवा ॥२५०॥ સંસ્કૃત છાયાसंख्या पुनः सुरसमा ज्ञातव्या ॥२५०।। આ શબ્દાર્થ–ગાથાર્થ-વિશેષાર્થવત્ સુગમ છે. ર૫૦ વિશેષાર્થ નરકમાં ઉત્પન્ન થનારા તથા ચ્યવનારા જીવોની એક સમયમાં કેટલી સંખ્યા હોય? તો અનુક્રમે ઉપપાત-અવનસંખ્યા દેવો સરખી જાણવી. એટલે એક જ સમયમાં નારકો નરકમાં જઘન્યથી એક બે ત્રણ યાવત, ઉત્કૃષ્ટ સંખ્ય, અસંખ્ય સુધી ઉત્પન્ન થઈ શકે છે અને એક બે યાવત, સંખે અસંખ્ય સુધીના ચ્યવી પણ શકે છે. દેવોમાં પણ આ પ્રમાણે જ કહેલ છે. । नरकाधिकारमा आठमुं गतिद्वार અવતર–હવે આઠમું ગતિદ્વાર [કયા કયા જીવો નરકે જાય ? તે] કહે છે. संखाउपजत्तपणिंदितिरिनरा जंति नरएसुं ॥२५१॥ સંસ્કૃત છાયાसंख्यायुः पर्याप्तपञ्चेन्द्रियतिर्यङ्नरा यान्ति नरकेषु ॥२५१।। | શબ્દાર્થ—ગાથાર્થ_વિશેષાર્થવ સુગમ છે. l૨૫૧ વિશેષાર્થ – સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો નરકને વિષે ઉત્પન્ન થાય છે. આથી એ સ્પષ્ટ થાય છે કે–અસંખ્ય વિષયુષી યુગલિકોને અતિ ક્રૂર અધ્યવસાય થતા ન હોવાથી નરક યોગ્ય કર્મબંધ કરતા નથી, તેથી ત્યાં ઉત્પન્ન થતા નથી. તિર્યચોમાં પણ માત્ર પંચેન્દ્રિયો જ લીધા. એકેન્દ્રિયાદિ ચારનો નિષેધ થયો. પંચેન્દ્રિયોમાં પણ દેવનારકી નહિ કારણકે દેવ મરીને નરકમાં ન જાય અને નારકી મરીને પુનઃ નરકમાં ન જાય માટે. પરંતુ તથાવિધ રોદ્રાદિક અતિક્રૂર અધ્યવસાયાદિકથી નરક આયુષ્યના બન્ધહેતુઓ ઉત્પન્ન થતાં, તે દ્વારા તેનું આયુષ્ય બાંધતાં ત્યાં જાય છે. વગર કારણે, વગર બંધે ઉત્પન્ન થતા નથી. આથી નરકગમનમાં મનોયોગની પ્રાધાન્યતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy