SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ कया कारणे देवो मनुष्यलोकमां आवता नथी? ३६७ चत्वारि पञ्चयोजनशतानि, गन्धश्च मनुजलोकस्य । उर्ध्वं व्रजति येन, न तु देवा तेन आयान्ति ॥१६४।। | શબ્દાર્થ— સંઇતિધ્વનિસંક્રાંત દિવ્યપ્રેમવાળા ન તિઆવતા નથી, વિષયપસત્તા=વિષયમાં પ્રસક્ત પરિવંવનોથળાડું ચારસો પાંચસો યોજના અસમત્તાવાઅપૂર્ણ કાર્યવાળા મyગતો સમનુષ્યલોકનો કળથીનમણુકwજ્ઞા=મનુષ્યને આધીન ન ૐ વઊંચે જાય છે હોવાથી તેને કારણથી સુદં અશુભ ન સાવંતિ–આવતા નથી પથાર્થ વિશેષાર્થવત. ૧૯૩–૯૪ના વિરોણાર્ય– જ્યારે દેવલોકમાં દેવો ઉત્પન્ન થાય છે ત્યારે દેવલોકવર્તી અત્યન્ત સુંદર દેવાંગનાઓને વિષે નવો જ દિવ્ય પ્રેમ સંક્રાન્ત (પ્રવેશ ભાવવાળો) થાય છે. અતિમનોહર દેવીઓના સુંદર શબ્દ–રૂપ-રસ–ગંધ અને સ્પર્શના વિષયો અતિ સુખકર અને મનોશ હોવાથી દેવો તેમાં અત્યન્ત આસક્ત થવાથી, વળી ઇચ્છામાત્રથી સ્વર્ગ સમ્બન્ધી અત્યન્ત સુંદર રૂપ-રસ–ગંધ સ્પર્શ અને શબ્દોમાં ઉત્પન્ન થતાંની સાથે જ પ્રસક્ત થાય છે તેથી. એથી જ વળી નથી સમાપ્ત થયાં સ્વકર્તવ્યો જેનાં એટલે કે ત્યાં એવા વિષયાદિક સુખો છે કે સ્નાન કરીને તૈયાર થાય ત્યાં નાટકપ્રેક્ષણાદિનું મન થાય, એ પૂર્ણ ન થાય ત્યાં બીજાં અનેક સુખોમાં તલ્લીન થતા જાય, એથી તે 'દેવાંગનાદિને વિષે અપૂર્ણ કર્તવ્યવાળા હોવાથી, વળી મનુષ્યાધીન તેને કંઈ પણ કાર્ય હોતું જ નથી, કારણકે તેઓ અનુપમ સામર્થ્યવાળા હોવાથી સ્વયમેવ સ્વકાર્યને સાધનારા છે. આ કારણોથી અશુભ ગંધથી ભરેલા આ મનુષ્યલોકમાં દેવો આવતા નથી [૧લ્ડ અશુભગંધોપેતપણું શી રીતે? મનુષ્યલોકના મનુષ્ય, તિર્યંચાદિના મૃતકલેવરોમાંથી મૂત્ર–પુરીષાદિમાંથી ઉત્પન્ન થતો અશુભ ગંધ જ્યારે (શ્રી અજીતનાથ ભગવાન આદિના સમયમાં મનુષ્યો ઘણા હોય ત્યારે મૃતકલેવરાદિનું પ્રમાણ વધુ જોરમાં હોય ત્યારે ગંધ પ્રમાણ પણ) વધારે થાય ત્યારે “પાંચસો યોજન સુધી, નહીંતર ચારસો યોજન સુધી ઊંચે જાય છે. તેમજ તેની નીચે ચારે બાજુ દુર્ગધી વાતાવરણ પણ સદા રહેતું ૩૪૪. કદાચિત તે દેવ પૂર્વજન્મના ઉપકારી કુટુમ્બ, ગુરુ આદિને મળવાને, તેને પોતાની સંપત્તિ દશવિવાને પણ ઇચ્છે, પરંતુ એવામાં તે દેવીઓ ઉત્પન્ન થયા બાદ તરત અહીં આવતા તે દેવોને અનેક પ્રકારનાં પ્રેમનાં મહેણાં મારી, શરમાવી, હાવભાવથી પુનઃ યેનકેન પ્રકારેણ પોતાનામાં દત્તચિત્તવાળા કરે છે અને ત્યારબાદ ત્યાં સુખમાં પડી જાય છે અને મનુષ્યલોકમાં આવવાનું વિસરી પણ જાય છે. ૩૪૫. ધ્રાણેન્દ્રિયનાં પુદ્ગલો ઊંચે નવ યોજન સુધી જ જાય છે પરંતુ અહીં જે પાંચસો યોજન પ્રમાણ કહ્યું તે માટે એમ સમજવું કે અહીંથી જે મૂલ ગધનાં પુદ્ગલો ગયા તે અપાન્તરાળે ઊર્ધ્વ રહેલા અન્ય પુદ્ગલોને પોતાના ગન્ધથી વાસિત કરી નાખેત્યાં વાસિત થયેલાં એ પુદ્ગલો વળી ઉપર ઉપર જતાં અન્ય પુગલોને વાસિત કરે. આ પ્રમાણે અચાન્ય વાસિત પુદ્ગલોમાં તેટલા યોજન સુધી ગંધ જવાનો સંભવ સમજી લેવો. ઉપદેશમલા કર્ણિકાટીકામાં તો ૮૦૦ થી ૧000 યોજન સુધી ગંધનું જવું જણાવેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy